ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ

Jan 2, 2007

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ અનુક્રમે ગર્ભધારણ, શિશુજન્મ (પ્રસવ) અને તે પછીનો સમય. સ્ત્રીઓનો ગર્ભધારણશીલતાનો સમયગાળો (reproductive period) સ્ત્રીયૌવનારંભ-(menarche)થી ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) સુધીનો ગણાય છે. સામાન્ય રીતે તે 13થી 45 વર્ષ સુધીનો સમયગાળો છે. સ્ત્રીનો અંડકોષ પુરુષના શુક્રકોષ દ્વારા ફલિત થાય અને તે ફલિતાંડનું સ્ત્રીના જનનમાર્ગમાં અંત:સ્થાપન (implantation) થાય ત્યારથી ગર્ભધારણનો કાળ…

વધુ વાંચો >

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy)

Jan 2, 2007

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy) : એક ગર્ભાશયમાં એકસાથે એકથી વધુ ગર્ભનો વિકાસ થવો તે. જો 2 ગર્ભશિશુઓ વિકસે તો તેને જોડકાં (twins) કહે છે. જો 3 ગર્ભશિશુઓ હોય તો તેને ત્રિજોડ (triplets), 4 ગર્ભશિશુઓ હોય તો ચતુર્જોડ (quadruplets), 5 ગર્ભશિશુઓ હોય તો તેને પંચજોડ (quintupets) અથવા 6 ગર્ભશિશુઓ હોય તો…

વધુ વાંચો >

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum)

Jan 2, 2007

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum) : સગર્ભા સ્ત્રીને અતિશય ઊલટીઓ થવી તે. ઊલટી થવાનાં સગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણો હોય છે. સગર્ભાવસ્થામાં જોવા મળતી ઊલટીના વિકારનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે : સારણી : સગર્ભા સ્ત્રીને થતી ઊલટીનાં કેટલાંક મહત્વનાં કારણો વિભાગ અને જૂથ ઉદાહરણો (અ) શરૂઆતની સગર્ભતા (1) સગર્ભતા સંબંધિત કારણો…

વધુ વાંચો >

સગીર

Jan 2, 2007

સગીર : સંબંધિત કાયદા દ્વારા પુખ્તતા માટે નિર્ધારિત કરેલ ઉંમર પૂરી ન કરેલ વ્યક્તિ. સને 1875ના પુખ્ત વય અધિનિયમ [Indian Majority Act] અનુસાર અઢાર વર્ષની ઉંમર પૂરી થતાં સગીરાવસ્થા પૂરી થાય છે, પણ જે સગીરની જાત કે મિલકત માટે અદાલત દ્વારા વાલી નીમવામાં આવ્યો હોય તેની ઉંમર એકવીસ વર્ષની થતાં…

વધુ વાંચો >

સગુણ

Jan 2, 2007

સગુણ : રૂપ, સત્વ વગેરે ગુણો ધરાવનારું તત્વ. ‘ગુણ’ શબ્દનો ગીતામાં 2122 વાર ઉલ્લેખ થયેલો છે, જ્યારે ચૌદમા અધ્યાયમાં તો ‘ગુણત્રયવિભાગ’નો સ્પષ્ટ ખ્યાલ અપાયો છે. મૂળ ‘ગુણ’ શબ્દના તો અનેક અર્થ છે, 24થી ઓછા નહિ એટલા. ‘સગુણ’ – ‘નિર્ગુણ’ શબ્દો આવે ત્યારે ગીતોક્ત ત્રણ ગુણો ચોક્કસ યાદ આવે અને ‘સત્વ’,…

વધુ વાંચો >

સગોત્રતા (consanguinity)

Jan 2, 2007

સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને…

વધુ વાંચો >

સઘર નિઝામી

Jan 2, 2007

સઘર નિઝામી (જ. 1905, અલીગઢ; અ. 1984) : ઉર્દૂ કવિ અને પત્રકાર. તેમનું ખરું નામ મોહમ્મદ સમદ યાર ખાન સરદાર મોહમ્મદ અહમદ યાર ખાન હતું. તેમના દાદા નવાબ મોહમ્મદ અબ્દુર રહેમાન ખાન હરિયાણામાં ઝજ્જારના સૂબા હતા, જે 1857ના બળવામાં શહીદ થયા હતા. સઘર નિઝામીને અલીગઢમાં ખાનગી રીતે ઘેરબેઠાં શિક્ષણ મળેલું…

વધુ વાંચો >

સચદેવ, પદ્મા

Jan 2, 2007

સચદેવ, પદ્મા (જ. 17 એપ્રિલ 1940, જમ્મુ) : ડોગરી તથા હિંદીનાં લેખિકા. જમ્મુમાં શિક્ષણ મેળવ્યા પછી, મુંબઈના ઑલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયાં. તેઓ ડોગરીનાં સર્વપ્રથમ અને સૌથી નામાંકિત કવયિત્રી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ડોગરી માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય અને આવાહક (1993-97), દિલ્હીની પંજાબી એકૅડેમીની નિયામક પરિષદનાં સભ્ય તથા જમ્મુ-કાશ્મીરની…

વધુ વાંચો >

સચલ સરમસ્ત

Jan 2, 2007

સચલ સરમસ્ત (જ. 1739, દરાજ, સિંધ; અ. 14 ઑક્ટોબર 1829, દરાજ) : સૂફી મતના અવૈસી ફકીર અને સિંધી કવિ. તેમનું ખરું નામ અબ્દુલ વહાબ સલાહ-ઉદ્-દીન હતું. તેમણે ‘સચલ’ અથવા ‘સચુ’ જેવું તખલ્લુસ રાખેલું. તેનો સાહિત્યિક અર્થ થાય છે : ‘સત્યપ્રિય માનવી’ અથવા ‘સત્યપ્રિય ભક્ત’. તેઓ કાયમ ધ્યાનાવસ્થામાં રહેતા હોવાથી તે…

વધુ વાંચો >

સચિન શંકર

Jan 2, 2007

સચિન શંકર (જ. 24 સપ્ટેમ્બર 1924, બનારસ; અ. 10 મે 2005) : નૃત્યકલાના પ્રસિદ્ધ કલાકાર ને તજ્જ્ઞ. વિદ્યા અને કલાને વરેલ શંકર પરિવારમાં આ આધુનિક નૃત્ય-નાટિકાના રચયિતાનો જન્મ થયો હતો. ગૌર પડછંદ દેહાકૃતિ પિતા જિતેન્દ્ર શંકર અને નકશીદાર સૌમ્ય ચહેરો માતા કાલીદેવી તરફથી તેમને વારસામાં મળ્યાં હતાં. તેમને પોતાના વિશાળ…

વધુ વાંચો >