ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સરદેસાઈ, મનોહરરાવ એલ.

Jan 12, 2007

સરદેસાઈ, મનોહરરાવ એલ. (જ. 18 જાન્યુઆરી 1925, પણજી, ગોવા) : કોંકણી ભાષાના કવિ અને અનુવાદક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1949માં ફ્રેન્ચ અને મરાઠીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ 1949-52 સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ફ્રેન્ચ ભાષાના અધ્યાપક રહ્યા; 1960માં તેઓ દૂરદર્શન, દિલ્હી(બહારની સેવાઓ)ની સેવામાં; 1960-61 મુંબઈની સોમૈયા કૉલેજમાં ફ્રેન્ચના અધ્યાપક; 1964-70 દરમિયાન કોંકણી…

વધુ વાંચો >

સરદેસાઈ, લક્ષ્મણરાવ

Jan 12, 2007

સરદેસાઈ, લક્ષ્મણરાવ (જ. 1904, સવાઈવેરમ, ગોવા; અ. ?) : કોંકણી ભાષાના જાણીતા વિવેચક, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘ખબરી’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો. તેમણે લિસિયમ ખાતે મરાઠી, કોંકણી અને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કર્યો તેમજ ફ્રેન્ચ, લૅટિન અને અંગ્રેજીમાં વિશેષજ્ઞતા મેળવી પછી અલમૈડા કૉલેજમાં શિક્ષક તરીકે જોડાયા.…

વધુ વાંચો >

સરન (Saran)

Jan 12, 2007

સરન (Saran) : બિહારના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 25o 36’થી 26o 23’ ઉ. અ. અને 84o 24’થી 85o 15’ પૂ. રે. વચ્ચેનો 2641 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગોપાલગંજ, પૂર્વમાં ગંડક નદીથી અલગ પડતા મુઝફ્ફરપુર અને વૈશાલી જિલ્લા, દક્ષિણમાં પટણા અને ભોજપુર…

વધુ વાંચો >

સરપંચ

Jan 12, 2007

સરપંચ : ગ્રામકક્ષાએ કામ કરતી લોકશાહીની પાયાની સંસ્થા ગ્રામપંચાયતનો વડો. ગ્રામકક્ષાએ લોકશાહીનું સ્વરૂપ ગ્રામપંચાયતની રચનામાં જોવા મળે છે. પંચાયતમાં પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવાનું કામ ગામના મતદારો કરે છે. આથી જેમણે પંચાયતમાં સરપંચ કે સભ્ય થવું હોય તેમણે ચૂંટણી કેમ થાય છે, પોતે ચૂંટાવા માટે શું કરવું જરૂરી છે તે જાણવું અગત્યનું…

વધુ વાંચો >

સરફરાઝ, નવાઝ

Jan 12, 2007

સરફરાઝ, નવાઝ (જ. 1 ડિસેમ્બર 1948, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી. તેઓ ફાસ્ટ મીડિયમ ગોલંદાજ તરીકે આક્રમક અને શક્તિશાળી ખેલાડી હતા. 1970ના દાયકા દરમિયાન તેઓ પાકિસ્તાનના ઉત્તમ ગોલંદાજ બની રહ્યા. તેમની ઊંચાઈ 1.90 મી. હતી અને તેઓ બૉલને બંને બાજુએ સીમ અને સ્વિંગ કરી શકતા. પૂંછડિયા ખેલાડી તરીકે તેઓ ઝમકદાર…

વધુ વાંચો >

સરબુલંદખાન

Jan 12, 2007

સરબુલંદખાન (1725-30) : ગુજરાતનો મુઘલકાળનો સૂબેદાર. નિઝામ-ઉલ્-મુલ્કને દખ્ખણના સૂબેદાર તરીકે મોકલાતાં કાબુલના સૂબેદાર મુબારીઝ-ઉલ્-મુલ્ક સરબુલંદખાન બહાદુરની ગુજરાતના સૂબેદાર તરીકે બદલી કરવામાં આવી. સરબુલંદખાને પોતાના નાયબ તરીકે ગુજરાતી ઉમરાવ શુજાતખાનને નીમ્યો. શુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાનને મોમિનખાનની જગ્યાએ સૂરતના ફોજદાર તરીકે નીમવામાં આવ્યો. એ પછી એક વર્ષ સુધી ગુજરાત આંતરવિગ્રહમાં ફસાયેલું રહ્યું. નિઝામના…

વધુ વાંચો >

સરભર વિશ્લેષણ (break even analysis)

Jan 12, 2007

સરભર વિશ્લેષણ (break even analysis) : ઉત્પાદક કંપનીના ઉત્પાદનનો વકરો, ઉત્પાદનની પડતર-કિંમતને જે સુનિશ્ચિત બિંદુએ સાદ્યંત વસૂલ કરી શકે તેવા બિંદુનું પૃથક્કરણ. સરભર વિશ્લેષણ સમતૂટ બિંદુ વિશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. ઉત્પાદન કરતા એકમો, કેટલા જથ્થામાં પોતાનો માલ પેદા કરીને વેચે તો તે, ‘ન નફો  ન નુકસાન’ની પરિસ્થિતિમાં મુકાય તે…

વધુ વાંચો >

સરમુખત્યારશાહી

Jan 12, 2007

સરમુખત્યારશાહી : સરકારનું એક સ્વરૂપ જેમાં કોઈ એક વ્યક્તિ, સમિતિ કે વ્યક્તિઓનું જૂથ સંપૂર્ણ સત્તા ધરાવે છે. પ્રાચીન રોમના સામ્રાજ્યમાં ‘ડિક્ટેટર’ નીમવાની પ્રથા હતી. રોમની સેનેટ ‘કાઉન્સેલ’ને બરતરફ કરવા કાનૂની ધોરણે ‘ડિક્ટેટર’ને નીમતી અને તેને સર્વોચ્ચ સત્તા સોંપવામાં આવતી. આ ‘ડિક્ટેટર’ જે તે વિસ્તારની કટોકટી હલ કરવા અમર્યાદ સત્તા ધારણ…

વધુ વાંચો >

સરયૂ

Jan 12, 2007

સરયૂ : ઉત્તર (અવધ) પ્રદેશની એક પુરાણપ્રસિદ્ધ પવિત્ર નદી. ઋગ્વેદ અનુસાર તેના શાંત ને પવિત્ર કિનારે ઋષિઓ તપ-સાધના અને તત્ત્વચિંતન-યજ્ઞાદિ ધાર્મિક અનુષ્ઠાન કરતા હતા. મહાભારત અનુસાર હિમાલયના સ્વર્ણશિખરમાંથી ઉદ્ભવેલી ગંગાની સાત ધારાઓમાંની તે એક છે. વસિષ્ઠ ઋષિ કૈલાસ તરફ જતી ગંગાને માનસરોવરમાં લઈ આવ્યા ત્યારે અહીં આવતાં એમણે સરોવર(માન)ને તોડી…

વધુ વાંચો >

સરવટે, શરદ બાળકૃષ્ણ

Jan 12, 2007

સરવટે, શરદ બાળકૃષ્ણ (જ. 16 મે 1950, નાગપુર) : ખાણ-ઇજનેરી ક્ષેત્રના નિષ્ણાત અને જોખમકારક ગણાતી ઊંચી ઇમારતોનો કુશળતાથી વિધ્વંસ કરવામાં સમગ્ર ભારતમાં નિપુણતા ધરાવતા તજ્જ્ઞ. પિતાનું નામ બાળકૃષ્ણ અને માતાનું નામ શાલિની. પિતા કેન્દ્ર સરકારના મિલિટરી અકાઉન્ટ્સ ખાતામાં નોકરીમાં હતા. શરદ સરવટેનું પ્રાથમિક શિક્ષણ પુણે ખાતે તથા માધ્યમિક શિક્ષણ, વર્ધા…

વધુ વાંચો >