ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સન્ડે ઑબ્ઝર્વર

Jan 4, 2007

સન્ડે ઑબ્ઝર્વર : લંડનથી પ્રકાશિત અંગ્રેજી અખબાર. પ્રારંભ 4-12-1791. આ અખબારની શરૂઆત અને તેનાં પ્રારંભનાં વર્ષો રસપ્રદ છે. ડબ્લ્યૂ. એસ. બોર્ન નામના એક ઉત્સાહીને અખબાર શરૂ કરવાનો ચસકો લાગ્યો અને તેમણે 100 પાઉન્ડ ઉછીના લીધા. 4 ડિસેમ્બર, 1791ના રોજ ‘સન્ડે ઑબ્ઝર્વર’નું પ્રકાશન શરૂ થયું. તે દિવસે રવિવાર હતો. બોર્ને તેમના…

વધુ વાંચો >

સન્દિકૈ, કૃષ્ણકાન્ત

Jan 4, 2007

સન્દિકૈ, કૃષ્ણકાન્ત (જ. 1898, જોરહટ, આસામ; અ. 1982) : આસામીના વિદ્વાન લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘કૃષ્ણકાન્ત સન્દિકૈ રચના-સંભાર’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (મરણોત્તર) આપવામાં આવ્યો. તેમની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. 1919માં એમ.એ.માં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારપછી યુનાઇટેડ કિંગ્ડમ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મૉડર્ન હિસ્ટરીમાં એમ.એ.ની…

વધુ વાંચો >

સન્ના કથેગલુ

Jan 4, 2007

સન્ના કથેગલુ (જ. 1891; અ. ) : શ્રીનિવાસ (મસ્તી વેંકટેશ આયંગર) રચિત વાર્તાસંગ્રહ. તે ગ્રંથ 12 (1965) અને ગ્રંથ 13 (1967)  એમ બે ભાગમાં પ્રગટ કરાયો હતો. તે વાર્તાસંગ્રહને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાં કુલ 15 વાર્તાઓ બે જૂથમાં સંગૃહીત કરવામાં આવી છે. પ્રથમ જૂથમાં…

વધુ વાંચો >

સન્નિઘર્ષણ (attrition)

Jan 4, 2007

સન્નિઘર્ષણ (attrition) : એક પ્રકારની ઘસારાની ક્રિયા. માતૃખડકોમાંથી તૂટીને છૂટા પડેલા નિક્ષેપબોજની વહનક્રિયા દરમિયાન ખડકટુકડાઓ કે કણો અરસપરસ અથડાવાથી, ઊછળવાથી, ખોતરાવાથી, કચરાવાથી, દળાવાથી કે ઘસાવાથી વધુ ને વધુ તૂટતા જાય છે; પરિણામે તેમના કદમાં ઘટાડો થઈ નાના બનતા જાય છે. આ પ્રકારની ઘર્ષણક્રિયાને સન્નિઘર્ષણ કહે છે. નદી અને પવન આ…

વધુ વાંચો >

સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ)

Jan 4, 2007

સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ) (જ. 7 જાન્યુઆરી 1938, સુસંગ દુર્ગાપુર [હાલ બાંગ્લાદેશમાં]) : બંગાળી લેખક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે કોલકાતાની બી.ઈ.એસ. કૉલેજમાં બંગાળી વિભાગમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમણે તેમની કારકિર્દી ઇન્ડિયન રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે શરૂ કરી. તેમણે ‘કલેક્ટેડ વર્ક્સ ઑવ્ બાબાસાહેબ બી. આર. આંબેડકર’નું બંગાળીમાં…

વધુ વાંચો >

સન્યાલ, ભાવેશચંદ્ર

Jan 4, 2007

સન્યાલ, ભાવેશચંદ્ર (જ. માર્ચ 1901, દિબ્રુગઢ, આસામ, ભારત; અ. 2002) : આધુનિક ભારતીય ચિત્રકાર. આધુનિક ચિત્રકલાને લોકસંપર્કમાં રાખવાના તેમના સતત પ્રયત્ન રહ્યા છે. ભાવેશચંદ્ર ચાર વરસના હતા ત્યારે તેમના પિતાનું દિબ્રુગઢમાં અવસાન થયું. માતા સુભાષિની માટીમાંથી દેવદેવીઓની આકૃતિઓ ઘડતી. આ જોઈને ભાવેશચંદ્રના મનમાં કલા પ્રત્યે રુચિ જાગી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર…

વધુ વાંચો >

સન્યાલ, સચીન્દ્રનાથ

Jan 4, 2007

સન્યાલ, સચીન્દ્રનાથ (જ. 1895, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 1945, ગોરખપુર) : ભારતના મહાન ક્રાંતિકારોમાંના એક નીડર સ્વાતંત્ર્યસેનાની. તેમનો જન્મ હરિનાથ સન્યાલ નામના રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને પ્રખર રાષ્ટ્રવાદીને ત્યાં થયો હતો. હરિનાથે પોતાના પુત્રોને ક્રાંતિકારી ચળવળ અને ખાસ કરીને અનુશીલન સમિતિમાં જોડાવા અનુરોધ કર્યો હતો. હરિનાથ પણ અરવિંદ ઘોષના ભાઈ અને બંગાળના…

વધુ વાંચો >

સપાટીઓ (surfaces)

Jan 4, 2007

સપાટીઓ (surfaces) : યામાવકાશમાં z =  f(x,y) અથવા f(x,y,z) = 0 જેવાં સમીકરણો કે x = x (u, v), y = y(u, v), z = z (u, v) જેવાં પ્રાચલ સમીકરણોનું સમાધાન કરતાં (x, y, z) બિંદુઓ દ્વારા રચાતી ભૌમિતિક રાશિ. ગોલક, નળાકાર, શંકુ, સમતલ વગેરે સપાટીનાં દૃષ્ટાંતો છે. ગોલકનું…

વધુ વાંચો >

સપાદલક્ષ

Jan 4, 2007

સપાદલક્ષ : રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે શાકંભરી(સાંભર)ની આસપાસનો પ્રદેશ. તે જાંગલ દેશ પણ કહેવાતો હતો. ત્યાં અર્ણોરાજ (ઈ.સ. 1139-1153), વિગ્રહરાજ (ઈ.સ. 1153-1164) અને પૃથ્વીરાજ ચૌહાણ (ઈ.સ. 1178-1192) જેવા પરાક્રમી અને નામાંકિત રાજાઓ થઈ ગયા. ત્યાંના રાજવંશનો સ્થાપક વાસુદેવ હતો. તેના વંશજોમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ 1લો વગેરે રાજાઓ થઈ ગયા. ગુજરાતના…

વધુ વાંચો >

સપુષ્પ (phanerogam) વનસ્પતિ

Jan 4, 2007

સપુષ્પ (phanerogam) વનસ્પતિ : પુષ્પ ધારણ કરતી વનસ્પતિ. તેઓ બહુકોષી, મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ ધરાવતી વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓમાં બીજાણુજનક (sporophyte) અવસ્થા મુખ્ય અને જન્યુજનક (gametophyte) અવસ્થા અલ્પવિકસિત (reduced) હોય છે. તેઓ વિષમબીજાણુક (heterosporous) વનસ્પતિઓ છે અને ફલનની ક્રિયા પછી બીજનિર્માણ કરતી હોવાથી તેમને બીજધારી (Spermatophyta) વનસ્પતિઓ પણ કહે…

વધુ વાંચો >