ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સાકરિયા, બદ્રીપ્રસાદ

સાકરિયા, બદ્રીપ્રસાદ (જ. 1896, બલોતારા-બાડમેર, તે વખતનું જોધપુર રાજ્ય; અ. ?) : રાજસ્થાની લેખક. તેમણે તેમનું આખું જીવન શબ્દકોશ તૈયાર કરવાના ઉદ્દેશથી જૂનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ અને સંપાદન કરવામાં સમર્પિત કર્યું હતું. તેમના ‘રાજસ્થાની-હિંદી શબ્દકોશ’ નામક પ્રતિષ્ઠિત ગ્રંથના 3 ભાગ પૈકી પ્રથમ ભાગનું પ્રકાશન જયપુર સ્થિત પ્રકાશકે 1977માં અને બીજા બે…

વધુ વાંચો >

સાકરિયું

સાકરિયું : વરિયાળીના પાકમાં મોલો પ્રકારની જીવાતને લીધે થતો રોગ. ખેડૂતો તેને ‘સાકરિયું’ તરીકે ઓળખે છે. મોલો પ્રકારની જીવાતના શરીરમાંથી મધ જેવું શર્કરાયુક્ત પ્રવાહી નીકળે છે. તેથી મોલોના ઉપદ્રવને કારણે છોડ, શાખાઓ, પર્ણો અને દાણાના ચક્કર પર શર્કરાયુક્ત પ્રવાહી એકત્રિત થતાં તેના પર મૃતોપજીવી ફૂગ વૃદ્ધિ કરે છે. આ જીવાત…

વધુ વાંચો >

સાકાઈ, હોઇત્સુ

સાકાઈ, હોઇત્સુ (જ. 1 ઑગસ્ટ, 1761, એડો, ટોકિયો, જાપાન; અ. 3 જાન્યુઆરી 1829, એડો, ટોકિયો, જાપાન) : જાપાની ચિત્રકાર. સાકાઈના મોટા ભાઈ જાપાનના એક સ્થાનિક રજવાડાના રાજા હતા. 1797માં સાકાઈ બૌદ્ધ સાધુ બન્યા. 1809માં એ નેગીશી જઈને ચિત્રકલા શીખ્યા. ચિત્રકાર ઓગાટા કોરિનની શણગારાત્મક લઢણો સાકાઈને ખાસ પસંદ પડી. કોરિનની સોમી…

વધુ વાંચો >

સા-કાર્નીરૉ, મારિયો દ

સા–કાર્નીરૉ, મારિયો દ (જ. 19 મે 1890, લિસ્બન; અ. 26 એપ્રિલ 1916, પૅરિસ) : પોર્ટુગીઝ કવિ અને નવલકથાકાર. પોર્ટુગલની આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા. શિક્ષણ પૅરિસની સોર્બોન યુનિવર્સિટીમાં. ‘ડિસ્પર્સાઓ’(1914, ડિસ્પર્શન)નાં કાવ્યોની રચના પૅરિસમાં થયેલી. આ જ વર્ષે ‘કૉન્ફિસ્સાઓ દ લૂસિયો’ (ધ કન્ફેશન ઑવ્ લૂસિયો) નવલકથા પ્રસિદ્ધ થઈ. પોર્ટુગલ પાછા ફર્યા બાદ થિયેટરમાં…

વધુ વાંચો >

સાકી આન્દ્રેઆ

સાકી આન્દ્રેઆ (જ. 1599, નેતૂનો, ઇટાલી; અ. 21 જૂન 1661, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. બોલોન્યા નગરમાં ફ્રાન્ચેસ્કો આલ્બાની નામના ચિત્રકાર પાસે તેમણે તાલીમ લીધી હતી. ઉપરાંત રેનેસાં-ચિત્રકાર સાંઝિયો રફાયેલનો પ્રભાવ પણ તેમનાં ચિત્રો પર જોઈ શકાય છે. સાકી દ્વારા ચિત્રિત ચિત્ર ‘મિરેકલ ઑવ્ સેંટ ગ્રેગોરી’એ સાકીને નામના અપાવી.…

વધુ વાંચો >

સાકી, મોતીલાલ

સાકી, મોતીલાલ (જ. 1936, શ્રીનગર) : કાશ્મીરી કવિ અને પંડિત. તેમના ‘માનસર’ નામના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1964માં તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી વિનયન ઉપરાંત ઉર્દૂમાં ડિગ્રી મેળવી હતી. 1973થી તેઓ જમ્મુ અને કાશ્મીરની કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા ભાષાઓ અંગેના વિવિધ પ્રોજેક્ટો સાથે અકાદમી સાથે…

વધુ વાંચો >

સાકેત (1931)

સાકેત (1931) : ‘રાષ્ટ્રકવિ’ તરીકે જાણીતા મૈથિલીશરણ ગુપ્ત(જ. 1886)ની મહાકાવ્ય પ્રકારની શ્રેષ્ઠ હિંદી રચના. આ કૃતિના કેન્દ્રમાં રામકથા છે, પરંતુ તેને ભિન્ન સ્વરૂપે અને ભિન્ન ઉદ્દેશથી રચવામાં આવી છે. હિંદીના પ્રખ્યાત વિવેચક મહાવીરપ્રસાદ દ્વિવેદીના લેખ ‘કવિયા દ્વારા ઊર્મિલા કી ઉપેક્ષા’ પરથી ગુપ્તને આ પ્રબંધકાવ્ય રચવાની પ્રેરણા મળી. તેમણે તુલસીદાસના સમયથી…

વધુ વાંચો >

સાકેતાનંદ (એસ. એન. સિંઘ)

સાકેતાનંદ (એસ. એન. સિંઘ) (જ. 27 ફેબ્રુઆરી 1940, દરભંગા, બિહાર) : મૈથિલી ભાષાના લેખક. તેઓ મગધ યુનિવર્સિટી, બોધ-ગયામાંથી બી.એ. થયા પછી તેમણે સરકારી નોકરીમાં કારકિર્દીનો આરંભ કર્યો. 1962થી તેઓ પટના અને દરભંગા કેન્દ્રો ખાતે આકાશવાણીના કાર્યક્રમો સાથે સંકળાયેલા રહ્યા. 2002માં તેઓ આકાશવાણીના હઝારીબાગ કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેઓ ફોટોગ્રાફીમાં અધિક…

વધુ વાંચો >

સાક્રેમેન્ટો (નદી)

સાક્રેમેન્ટો (નદી) : ઉત્તર કૅલિફૉર્નિયાના માઉન્ટ શાસ્તા નજીક ક્લૅમથ પર્વતોમાંથી નીકળતી નદી. ભૌગોલિક સ્થાન : 38° 03´ ઉ. અ. અને 121° 56´ પ. રે.. તે કાસ્કેડ પર્વતમાળા અને સિયેરા નેવાડા પર્વતમાળાની વચ્ચે સાક્રેમેન્ટોની ખીણ(મધ્યની ખીણ)માં થઈને 615 કિમી. જેટલી લંબાઈમાં વહે છે. આ નદી સાન ફ્રાન્સિસ્કોના અખાતના ઉત્તર ફાંટાને મળે…

વધુ વાંચો >

સાક્ષાત્કાર

સાક્ષાત્કાર : ઇષ્ટ/આધ્યાત્મિક તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ. માનવ પોતાના જીવનમાં કશુંક ઇષ્ટ પામવા ઇચ્છે છે. નિજ સ્વરૂપનું પરિવર્તન ઇચ્છે છે. તે માટે તે વિવિધ સાધનો અપનાવે છે. જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા જેવો જો કોઈ પરમ ઉદ્દેશ હોય તો તે છે પરમ તત્ત્વના સાક્ષાત્કારનો – આધ્યાત્મિક અનુભવના તત્ત્વદર્શનનો. કોઈ પણ સાધનની કૃતાર્થતા…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >