ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સમુદ્રધેનુ અથવા સાગરસુંદરી (sirenia)

સમુદ્રધેનુ અથવા સાગરસુંદરી (sirenia) : ગ્રીક ભાષામાં sirenનો અર્થ sea nymph એટલે કે સમુદ્રપરી થાય છે. આ પ્રાણી નદી તથા સમુદ્રના કિનારાના પાણીમાં જોવા મળે છે. ઍટલૅન્ટિક મહાસાગરમાંથી મેનેટી (manatee) અને પ્રશાંત તથા હિંદી મહાસાગરમાંથી ડુગોંગ (dugong) નામની સમુદ્રધેનુઓ મળી આવે છે. વાસ્તવમાં આ બંને અલગ શાખાઓનાં પ્રાણીઓ છે અને…

વધુ વાંચો >

સમુદ્રપ્રવાહો (Ocean Currents)

સમુદ્રપ્રવાહો (Ocean Currents) : સમુદ્રજળનું સમક્ષૈતિજ અને લંબ રૂપે પરિભ્રમણ. ભૂપૃષ્ઠ પર વહેતા નદીપ્રવાહની જેમ મહાસાગરોમાં પણ વિશાળ જળજથ્થા હજારો વર્ષથી નિયત દિશામાં વહે છે, તેને સમુદ્રપ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકી કેટલાક પ્રવાહો ખૂબ જ ઝડપી છે, જ્યારે કેટલાક ભાગ્યે જ વહેતા જણાય છે. સમુદ્રપ્રવાહ તરીકે વહેતાં જળ…

વધુ વાંચો >

સમુદ્રફળ

સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે…

વધુ વાંચો >

સમુદ્રબંધ

સમુદ્રબંધ : આલંકારિક લેખક. આચાર્ય રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર તેમણે સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકામાં પોતાના આશ્રયદાતા રાજા રવિવર્મન્ ઉર્ફે સંગ્રામધીર નામના રાજાની પ્રશંસા કરતાં ઉદાહરણો સમુદ્રબંધે આપ્યાં છે. તેથી તે રાજાના સમયમાં તેઓ થઈ ગયા મનાય છે. આ રાજાનો સમય 13મી સદીના અંત અને 14મી સદીના આરંભમાં…

વધુ વાંચો >

સમુદ્રમંથન

સમુદ્રમંથન : પૌરાણિક સંદર્ભ અનુસાર દેવો અને અસુરોએ કરેલું ક્ષીરસાગરનું મંથન. મંદરાચલ નામે પ્રસિદ્ધ પર્વત પોતાનાં સુવર્ણમય શિખરો વડે સૂર્યદેવતાથી પણ અધિક તેજસ્વી હતો. તેના પર દેવો અને ગાંધર્વો રહેતા હતા. તે અનેક રત્નો અને દિવ્ય ઔષધિઓથી આચ્છાદિત હતો. તેની ઊંચાઈ સ્વર્ગથી પણ અધિક હતી. એક વખત દેવો તેનાં તેજસ્વી…

વધુ વાંચો >

સમુદ્ર-રસાયણો

સમુદ્ર–રસાયણો સમુદ્ર અને તેમાંની જૈવસૃદૃષ્ટિમાંથી મેળવાતાં રસાયણો. સમુદ્ર કરોડો જાતિઓ(species)નું ઉદ્ગમસ્થાન છે. આજ સુધી આમાંની બહુ જ થોડી જાતિઓનાં નિષ્કર્ષણ મેળવી તેઓની જૈવિક ક્રિયાશીલતા(biological activities)નો અભ્યાસ થયો છે. આમાંથી મળેલાં ઘણાં રસાયણોનું ઔષધ તરીકે વ્યાપારીકરણ પણ થયું છે અને ઘણાં ચિકિત્સા-અભ્યાસ (clinical studies) હેઠળ છે. સમુદ્રી જીવોમાંથી મળેલાં જૈવક્રિયાશીલ (bio-active)…

વધુ વાંચો >

સમુદ્ર-વાતાવરણ આંતરસપાટી (sea-air interface)

સમુદ્ર–વાતાવરણ આંતરસપાટી (sea-air interface) : સમુદ્ર-મહાસાગર જળરાશિ અને વાતાવરણ વચ્ચેની સંપર્કસપાટી. આ બંને માધ્યમો વચ્ચે કેટલીક પ્રક્રિયાઓ થતી રહે છે, એ રીતે આ સપાટી પર્યાવરણ માટે ભૌતિક અને રાસાયણિક પરિબળો મારફતે ક્રિયાશીલ રહે છે, જેને પરિણામે જળરાશિની નજીકની જીવસૃદૃષ્ટિને જરૂરી પોષણ મળી રહે છે. અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તારમાં સૂર્યાઘાતથી જળસપાટી ગરમ…

વધુ વાંચો >

સમુદ્રવેલ (મરજાદવેલ)

સમુદ્રવેલ (મરજાદવેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કોન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea pes-carpae (Linn.) Sweet syn. I. biloba Forsk.; I. maritima R. Br. (હિં. દોપાતી લતા, બં. છાગાકુરી, મ. મર્યાદવેલ, સમુદ્રફેન) છે. તે એક મોટી આરોહી કે તલસર્પી (trailing), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને જાડાં લાંબાં મૂળ ધરાવે…

વધુ વાંચો >

સમુદ્રશાસ્ત્ર (Oceanography)

સમુદ્રશાસ્ત્ર (Oceanography) : સમુદ્રો અને મહાસાગરો સાથે સંકળાયેલાં તમામ પાસાંઓને આવરી લેતાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સમુદ્રશાસ્ત્ર એ આધુનિક વિજ્ઞાન છે, જે જલાવરણની ભૌતિક, રાસાયણિક, ભૂસ્તરીય, જૈવિક, ગતિવિષયક તથા ભૌગોલિક બાબતોની માહિતી પૂરી પાડે છે. વિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથે તે સંકળાયેલું હોવાથી તેમજ તેમની આંતરસંબંધિત પ્રક્રિયાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતું…

વધુ વાંચો >

સમુદ્રશોષ (વરધારો)

સમુદ્રશોષ (વરધારો) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Barm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રશોષ, મ. સમુદ્રશોક, બં. બિરતારક, હિં. સમંદર-કાપાત, ક. અને તે. ચંદ્રપાડા, ત. સમુદ્રીરાપાકૃચાઈ, અં. એલિફંટ ક્રીપર, વૂલી મોર્નિંગ-ગ્લોરી) છે. તે એક કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને સમગ્ર…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >