ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સપ્તસિંધુ (1977)

સપ્તસિંધુ (1977) : નાટ્યદિગ્દર્શક અને ટીવી-નિર્માતા ભરત દવેનું અમદાવાદ-સ્થિત નાટ્યવૃંદ. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) ખાતે પ્રશિક્ષણ મેળવ્યા બાદ શરદબાબુ-કૃત ‘વિજયા’ અને મોલિયર-કૃત ‘વાહ વાહ રે મૈં’ (scoundrel scorpion) નાટક સન 1976માં કોમેદિયા દેલાર્તે શૈલીમાં ભજવ્યા બાદ ભરત દવેએ દિલીપ શાહ, હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, ભીમ વાકાણી, સુભાષ બ્રહ્મભટ્ટ, અદિતિ ઠાકર,…

વધુ વાંચો >

સપ્તાંગ સિદ્ધાંત

સપ્તાંગ સિદ્ધાંત : રાજ્યનાં સાત અંગો હોવાની માન્યતા ધરાવતો પ્રાચીન, પૌરસ્ત્ય સિદ્ધાંત. રાજ્યની ઉત્પત્તિ અંગે વિવિધ સિદ્ધાંતો વિવિધ દર્શનોમાં જોવા મળે છે. પાશ્ચાત્ય દર્શનમાં રાજ્યની ઉત્પત્તિ અંગે દૈવી સિદ્ધાંત, બળનો સિદ્ધાંત, સામાજિક કરારનો સિદ્ધાંત, આંગિક સિદ્ધાંત તેમજ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પ્રચલિત છે. લગભગ તેવી જ રીતે પૌરસ્ત્ય દર્શનમાં પણ આવા વિચારો…

વધુ વાંચો >

સપ્રમાણતા (normality)

સપ્રમાણતા (normality) : દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની એક પદ્ધતિ. સંજ્ઞા N. દ્રાવણમાં ઓગળેલા પદાર્થોની સાંદ્રતા દર્શાવવા માટે અનેક રીતો ઉપયોગમાં લેવાય છે; જેમ કે મોલૅરિટી (molarity), મોલૅલિટી (molality), સપ્રમાણતા, મોલ અંશ (mole fraction), ટકાવાર પ્રમાણ વગેરે. આ પૈકી સીધા ઍસિડ-બેઝ પ્રકાર જેવાં અનુમાપનોમાં સપ્રમાણતાનો ઉપયોગ ગણતરીની દૃદૃષ્ટિએ વધુ અનુકૂળ આવે છે.…

વધુ વાંચો >

સપ્રુ તેજબહાદુર (સર)

સપ્રુ તેજબહાદુર (સર) (જ. 3 ડિસેમ્બર 1875, અલીગઢ; અ. 20 જાન્યુઆરી 1949, દિલ્હી) : કૉંગ્રેસના મવાળ જૂથના નેતા, વાઇસરૉયની કારોબારી સમિતિમાં કાયદા વિભાગના સભ્ય (મંત્રી), અને ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય. તેજબહાદુરનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આગ્રા કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવીને મેળવી. એલએલ.બી. પાસ…

વધુ વાંચો >

સફરજન

સફરજન : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Malus pumila Mill. syn. M. communis DC.; M. sylvestris Hort. non. Mill.; M. domestica Borkh; Pyrus malus Linn. in part. (હિં. બં., સેબ, સેવ; ક. સેબુ, સેવુ; ગુ. સફરજન; અં. કલ્ટિવેટેડ ઍપલ) છે. તે નીચો ગોળાકાર પર્ણમુકુટ (crown)…

વધુ વાંચો >

સફા (ઇખ્વાનુસ્સફા)

સફા (ઇખ્વાનુસ્સફા) (The Brethren of Sincerity) : એક ઉદાર-મતવાદી સંગઠન, જેનો ઉદ્ભવ દસમા સૈકામાં દક્ષિણ ઇરાકના પ્રખ્યાત નગર બસરામાં થયો હતો. આ સંગઠનમાં ઉચ્ચ ચારિત્ર્ય તથા નીતિમત્તા ધરાવતા સદાચારી લોકોને સભ્ય બનાવવામાં આવતા હતા, તેથી તે સ્વચ્છ(લોકો)ની બિરાદરી તરીકે ઓળખાતું હતું. જે સમયે સમાજમાં ધર્માન્ધતા તથા સંકુચિતતા વધી રહી હતી…

વધુ વાંચો >

સફાઈ કામદાર

સફાઈ કામદાર : જુઓ પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

સફાઈ વિદ્યાલય

સફાઈ વિદ્યાલય : તમામ પ્રકારનાં સફાઈકાર્યોને લગતા શિક્ષણ, પ્રશિક્ષણ અને તેના પ્રચાર-પ્રસારણ અંગેનું વિદ્યાલય. 1958માં ગાંધી સ્મારક નિધિ દ્વારા અપ્પાસાહેબ પટવર્ધનના અધ્યક્ષસ્થાને અને મુંબઈ રાજ્યના ગ્રામસફાઈના માનાર્હ સલાહકાર અને ગાંધીવાદી કૃષ્ણદાસ શાહના સંચાલન હેઠળ વ્યારા (જિ. સૂરત) મુકામે પ્રથમ સફાઈ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન ગાંધી સ્મારક…

વધુ વાંચો >

સફીનતુસ્ સાદાત

સફીનતુસ્ સાદાત : ઈ. સ. 1768માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર્ રહેમાને લખેલ ગ્રંથ. આ ગ્રંથ ગુજરાતના નામાંકિત સૂફી સંતપુરુષોનાં જીવનચરિત્રોનું નિરૂપણ કરે છે. મુઘલ સમય દરમિયાન, ભારતમાં ઇસ્લામને દૃઢ કરનારા પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પોતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય લોકો ઉપર ભારે પ્રભાવ પાડી શક્યા હતા. તેઓમાંના…

વધુ વાંચો >

સફીર પ્રીતમસિંગ

સફીર પ્રીતમસિંગ (જ. 12 એપ્રિલ 1916, મલિકપુર, જિ. રાવલપિંડી – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.  તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી વકીલાતનો વ્યવસાય; સર્વોચ્ચ અદાલતના સિનિયર ઍડવોકેટ અને એ સાથે એમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમણે અગાઉ દિલ્હીની વડી અદાલતમાં જજ (1969-78) તરીકે કામગીરી બજાવેલી. પંજાબી લેખકોની…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >