૨૨.૧૮

સહસવાન ઘરાણુંથી સંકલ્પના-નિર્માણ (concept-formation)

સહસવાન ઘરાણું

સહસવાન ઘરાણું : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક ઘરાણું. તેનું નામ ઉત્તરપ્રદેશના બદાઇયું ઇલાકામાં આવેલા સહસવાન નામના એક શહેર પરથી પડ્યું છે. અઢારમી સદીની શરૂઆતમાં સહસવાનના બે પ્રખર ગાયકો સાહેબુદૌલા તથા કુતુબુદૌલા અવધના દરબારી સંગીતકાર હતા. એમના શિષ્ય મહેબૂબખાંએ પોતાના પુત્ર ઇનાયતહુસેનખાંને સંગીતની પ્રાથમિક તાલીમ આપ્યા બાદ રામપુર દરબારના મહાન…

વધુ વાંચો >

સહસંયોજકબંધ

સહસંયોજકબંધ : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >

સહસંવેદન (synaesthesia)

સહસંવેદન (synaesthesia) : સહસંવેદન એક એવી અનૈચ્છિક પ્રક્રિયા, જેમાં એક ઇંદ્રિય ઉદ્દીપિત થવાથી ઉત્પન્ન થતા સંવેદન સાથે બીજી ઇંદ્રિયમાં પણ સંવેદન ઊપજે છે. તેના માટેના અંગ્રેજી શબ્દ ‘synaesthesia’માં ‘syn’ એટલે ‘એકસાથે’, અને ‘Aesthesia’ એટલે ‘સંવેદનોનું જોડાવું તે’. ગીટારનો ધ્વનિ સંભળાય ત્યારે વ્યક્તિને શ્રવણ-સંવેદન તો થાય જ, પરંતુ સાથે તેને કોઈક…

વધુ વાંચો >

સહસ્ફટિકીભવન (Eutectic)

સહસ્ફટિકીભવન (Eutectic) : બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણમાં બે ઘટકોની એકસાથે તૈયાર થવાની પ્રક્રિયા. દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણની આ પ્રકારની પ્રક્રિયા તાપમાન-બંધારણના આલેખની મદદથી સમજાવી શકાય. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે જ્યારે મૅગ્મા બે ઘટકોનો બનેલો હોય ત્યારે તેમાં દરેક ઘટકના અમુક ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે.…

વધુ વાંચો >

સહસ્રબુધ્યે, રમેશ કે.

સહસ્રબુધ્યે, રમેશ કે. (જ. 8 સપ્ટેમ્બર 1938, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લોકપ્રિય વિજ્ઞાનલેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.; અને બી.એસસી.; ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી બી.જે.; ડીસીઇની પદવી મેળવી. પછી તેમણે નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયામાં ફિલ્મ સંગ્રહાલયના ઑફિસર તરીકે કારકિર્દી શરૂ કરી. તેઓ મહારાષ્ટ્ર વિદ્યુત મંડળ માહિતી-પત્રિકાના સંપાદક; જર્નલ ઑવ્ મરાઠી વિજ્ઞાનપરિષદ…

વધુ વાંચો >

સહસ્રલિંગ તળાવ

સહસ્રલિંગ તળાવ : પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુએથી બાંધેલું સરોવર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં…

વધુ વાંચો >

સહસ્રાર્જુન 

સહસ્રાર્જુન  : માળવામાં માહિષ્મતીનો રાજધાની બનાવી રાજ કરતો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. તે હૈહય વંશના રાજા કૃતવીર્યનો પુત્ર હતો. એનું મૂળનામ અર્જુન હતું. દત્તાત્રેયની ઉગ્ર ઉપાસના કરવાથી તેને સહસ્ર ભુજાઓ તેમજ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, આથી તે સહસ્રાર્જુનને નામે પ્રસિદ્ધ થયો. નર્મદા નદીમાં એ પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો…

વધુ વાંચો >

સહા, આરતી

સહા, આરતી (જ. 1940, કોલકાતા; અ. 23 ઑગસ્ટ, 1994, કોલકાતા) : ભારતની લાંબા અંતરની અગ્રણી મહિલા-તરવૈયા. નાનપણથી જ તેમને તરવાનો શોખ હતો. તેઓ ભારતનાં જ નહિ, પરંતુ ‘ઇંગ્લિશ ચૅનલ’ તરનારાં એશિયા ખંડનાં પ્રથમ મહિલા-તરવૈયા બનવાનું ગૌરવ મેળવી શક્યાં. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેના સમુદ્રના ભાગને ‘ઇંગ્લિશ ચૅનલ’ કહેવામાં આવે છે અને…

વધુ વાંચો >

સહાની, બલરાજ

સહાની, બલરાજ : (જ. 1 મે 1913, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 13 એપ્રિલ 1973, મુંબઈ) હિંદી ચલચિત્રોના અભિનેતા. પરિપક્વ ઉંમરે અભિનેતા બનેલા બલરાજ સહાની અભિનયમાં નાટકીયતા કરતાં સ્વાભાવિકતાને વધુ મહત્ત્વ આપતા. ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા હતા. પિતાનો કપડાંનો વેપાર હતો. તેમના કહેવાથી ધંધો સંભાળી લેવો…

વધુ વાંચો >

સહાની, બીરબલ

સહાની, બીરબલ (જ. 14 નવેમ્બર 1891, મૅરા, પંજાબ; અ. એપ્રિલ 1949, લખનૌ) : ખ્યાતનામ વનસ્પતિવિદ અને પુરાવનસ્પતિવિજ્ઞાની (palaeobotanist). 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા. 1919માં લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસસી. અને 1929માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસસી.ડી. થયા. 1919-20 દરમિયાન બનારસ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક; 1920-21માં પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1921માં લખનૌ યુનિવર્સિટી વનસ્પતિવિજ્ઞાનના…

વધુ વાંચો >

સહાની, ભીષ્મ

Jan 18, 2007

સહાની, ભીષ્મ (જ. 8 ઑગસ્ટ 1915, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં); અ. 11 જુલાઈ 2004) : હિંદી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. 1937માં તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી અંગ્રેજી સાથે એમ.એ. તથા 1958માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પંજાબ તથા દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા. 1965-67 ‘નઈ કહાનિયાઁ’ નામના ટૂંકી વાર્તાઓના હિંદી જર્નલના સંપાદક.…

વધુ વાંચો >

સહા, મેઘનાદ

Jan 18, 2007

સહા, મેઘનાદ (જ. 6 ઑક્ટોબર 1893, સીયોરાતલી, ઢાકા, બાંગ્લાદેશ; અ. 16 ફેબ્રુઆરી 1956, દિલ્હી) : મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, રાષ્ટ્રપ્રેમી તથા પ્રખર ન્યૂક્લિયર અને સમર્થ ખગોળભૌતિકવિજ્ઞાની. તેમણે શાલેય શિક્ષણ ઢાકામાં લીધું હતું. શાળાકાળ દરમિયાન મેરિટ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજમાં દાખલ થયા. આ કૉલેજમાં અભ્યાસ…

વધુ વાંચો >

સહાય, એસ.

Jan 18, 2007

સહાય, એસ. (જ. 1925; અ. 12 ડિસેમ્બર 1999, નવી દિલ્હી) : પીઢ પત્રકાર. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1955માં આશરે 30 વર્ષની ઉંમરે દિલ્હીમાં અંગ્રેજી અખબાર ‘ધ સ્ટેટ્સમૅન’માં જોડાયા હતા. આ જ અખબારમાં તેમણે 20 વર્ષની દીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ હોદ્દાઓ પર રહી ફરજ બજાવી હતી. 1975માં તેઓ તંત્રી બન્યા…

વધુ વાંચો >

સહાયક (Helper/adjuvant)

Jan 18, 2007

સહાયક (Helper/adjuvant) : પ્રતિજન (antigen) સાથે શરીરમાં દાખલ કરવામાં આવતા યજમાનની રોગપ્રતિકારકતા વધારનારો એક પ્રકારનો પદાર્થ. આવા સહાયકો પ્રતિજનની પ્રતિદ્રવ્ય (antibody) ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી હોય અથવા પ્રતિજનની અલ્પપ્રાપ્યતા હોય ત્યારે ખાસ વપરાય છે. આવા પદાર્થોનો ઉપયોગ મુખ્યત્વે રોગપ્રતિકારકતા વધારવા માટે કરવામાં આવે છે. હાલમાં અનેક પ્રકારના સહાયકો ઉપલબ્ધ છે.…

વધુ વાંચો >

સહાયકારી યોજના

Jan 18, 2007

સહાયકારી યોજના : ભારતમાં બ્રિટિશ સત્તાને બિનહરીફ બનાવવા ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ (1798-1805) ઘડેલી યોજના. બ્રિટિશ કંપની તેની લશ્કરી તાકાતથી દેશની બીજી સત્તાઓને હરાવી શકે અથવા તેમના ઉપર આધિપત્ય સ્થાપી શકે તેમ ન હતી. તેથી વેલેસ્લીએ દીર્ઘદૃષ્ટિ તથા રાજકીય કુનેહ દ્વારા એક યોજના ઘડી, જે સહાયકારી યોજના તરીકે જાણીતી થઈ.…

વધુ વાંચો >

સહાય, રઘુવીર

Jan 18, 2007

સહાય, રઘુવીર (જ. ?, લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી ભાષાના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘લોગ ભૂલ ગયે હૈં’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. લખનૌમાં અભ્યાસ કરીને તેમણે અંગ્રેજી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે લખનૌ ખાતે ‘નવજીવન’માં ખબરપત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ ‘પ્રતીક’ના સહાયક સંપાદક તરીકે તેઓ દિલ્હી આવ્યા.…

વધુ વાંચો >

સહાય, શિવપૂજન

Jan 18, 2007

સહાય, શિવપૂજન (જ. 1893, ઉન્વાસ, જિ. શાહબાદ, બિહાર; અ. 1963) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, ચરિત્રકાર તથા પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા મુનશી ઈશ્વરી-દયાળ ડુમરા રાજના અધિકારી હતા અને ઉર્દૂ તથા ફારસીના જાણકાર હતા. શિવપૂજને ગામની મદરેસામાં ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો અને 1912માં આરાહની કાયસ્થ…

વધુ વાંચો >

સહા, રણજિતકુમાર

Jan 18, 2007

સહા, રણજિતકુમાર (જ. 21 જુલાઈ 1946, ભાગલપુર, બિહાર) : હિંદી લેખક તથા અનુવાદક. 1966માં તેમણે હિંદીમાં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1974માં વિશ્વભારતીમાંથી પીએચ.ડી.; 1964માં ફાઇન આર્ટ્સમાં, 1989માં કમ્પરેટિવ લિટરેચરમાં તથા તિબેટનમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં. તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ડેપ્યુટી સેક્રેટરી રહ્યા. 1977માં તેઓ ભાગલપુર યુનિવર્સિટીમાં હિંદીના અધ્યાપક; 197982 સુધી વિશ્વભારતી,…

વધુ વાંચો >

સહિષ્ણુતાનો સિદ્ધાંત

Jan 18, 2007

સહિષ્ણુતાનો સિદ્ધાંત : અજૈવ ઘટકના કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પરિબળ માટે સજીવની સહિષ્ણુતાની લઘુતમ અને મહત્તમ મર્યાદા દર્શાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વી. ઈ. શેલ્ફર્ડે (1913) આપ્યો. લિબિગ-બ્લૅકમૅનના સીમિત પરિબળના સિદ્ધાંતમાં આ એક મહત્ત્વનો ઉમેરો હતો. શેલ્ફર્ડે જણાવ્યું કે વસ્તીની વૃદ્ધિ અને પ્રજનન પર નિશ્ચિત પરિબળની અત્યંત ઊંચી કે અત્યંત…

વધુ વાંચો >

સહૃદય (ધ્વનિકાર)

Jan 18, 2007

સહૃદય (ધ્વનિકાર) : સંસ્કૃત અલંકારગ્રંથ ‘ધ્વન્યાલોક’ની કારિકાઓનો તથાકથિત લેખક. જાણીતા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોક’ પર રચેલી ‘લોચન’ ટીકામાં કારિકા અને વૃત્તિગ્રંથ એવા ભિન્ન શબ્દો પ્રયોજી કારિકાકાર અને વૃત્તિકાર એમ પૃથગ્ ઉલ્લેખો કર્યા છે અને કારિકા અને વૃત્તિ વચ્ચેના વિરોધોને સ્પષ્ટ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેથી વિદેશી વિદ્વાનો બ્યૂલર અને…

વધુ વાંચો >