શુદ્ધાદ્વૈતવાદ

શુદ્ધાદ્વૈતવાદ : શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો તત્વજ્ઞાનનો એક સિદ્ધાંત. પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓએ પોતાને લાધેલા તત્વના જ્ઞાનને વેદના અંતભાગમાં આવેલાં ઉપનિષદોમાં થયેલું તત્વચિંતન શ્રુતિપ્રસ્થાન નામે ઓળખાય છે. ઉપનિષદોમાં રહેલા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સંક્ષેપમાં બાદરાયણે બ્રહ્મસૂત્રોમાં ગૂંથ્યા. આ સૂત્રોમાં નિહિત વિચારોને સારરૂપે શ્રીમદભગવદ્ગીતામાં સંગૃહીત કર્યા છે. સ્મૃતિ પ્રસ્થાનમાં ભગવદગીતા ઉપરાંત પુરાણોને પણ સમાવાયાં છે.…

વધુ વાંચો >

શુદ્ધીકરણ

શુદ્ધીકરણ : વ્યક્તિનાં શરીર અને મન અશુદ્ધ થાય તેને હિંદુ ધર્મશાસ્ત્રના આધારે શુદ્ધ કરવાની ક્રિયા. મનુ, યાજ્ઞવલ્ક્ય, નારદ, પરાશર આદિની સ્મૃતિઓ વિશ્વરૂપ, મેધાતિથિ, વિજ્ઞાનેશ્વર વગેરેની ટીકાઓ તેમજ લક્ષ્મીધરનું ‘કલ્પતરુ’, દેવજ્ઞ ભટ્ટની ‘સ્મૃતિચંદ્રિકા’, હેમાદ્રિનું ‘ચતુર્વર્ગચિન્તામણિ’, ‘નિર્ણયસિન્ધુ’, ‘ધર્મસિન્ધુ’, ‘સ્મૃતિસમુચ્ચય’ વગેરે નિબંધગ્રંથો ધર્મશાસ્ત્રીય નિર્ણય માટે પ્રમાણભૂત બન્યા છે. દેશ, કાળ, કુળ કે જાતિના…

વધુ વાંચો >

શુન:શેપ

શુન:શેપ : વૈદિક સાહિત્યનું પાત્ર. સૂર્યવંશી પ્રસિદ્ધ રાજા હરિશ્ર્ચંદ્રને સંતાન ન હતું. વરુણના વરદાનથી તેને રોહિત નામે પુત્ર થયો. પરંતુ શરત મુજબ હરિશ્ર્ચંદ્રે વરુણને આ પુત્ર બલિદાનમાં આપવાનો હતો. આથી રોહિત વનમાં નાસી ગયો. શરત પૂરી ન થતાં હરિશ્ર્ચંદ્રને જળોદર રોગ થયો. રોહિતને પિતાને રોગમુક્ત કરવાની ઇચ્છા હતી, પરંતુ તેણે…

વધુ વાંચો >

શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)]

શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)] (જ. 31 જાન્યુઆરી 1797, હીમેલ્ફૉર્ટર ગ્રૂન્ડ, ઑસ્ટ્રિયા; અ. 19 નવેમ્બર 1828, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીતકાર અને સ્વરનિયોજક. અત્યંત ઋજુ સૂરાવલિઓ માટે એ જાણીતો છે. શુબર્ટના પિતા ફ્રાન્ઝ થિયોડૉર શુબર્ટ શાલેય શિક્ષક હતા અને માતા એલિઝાબેથ લગ્નસમયે ઘરગથ્થુ નોકરાણી હતાં. આ યુગલનાં પાંચ સંતાનોમાં…

વધુ વાંચો >

શુબુન, તેન્શો (Shubun, Tensho)

શુબુન, તેન્શો (Shubun, Tensho) (જ. ચૌદમી સદીનો અંત ?, ઓમિ, જાપાન; અ. 1444-48 ?, ક્યોટો, જાપાન)  : જાપાની ચિત્રકાર. જાપાનમાં એકરંગી (monochromatic) શાહી વડે આલેખિત ચિત્રોના વિકાસમાં તેનો મુખ્ય ફાળો છે. ચીની ચિત્રશૈલીઓને અનુસરતા જાપાની ચિત્રકારો પાસેથી શુબુન ચિત્રકલા શીખેલો. ક્યોટોમાં શોકોકુ-જી (Shokku-Ji) મંદિરમાં એ પોતે ધર્મગુરુ હતો. આ જ…

વધુ વાંચો >

શુભ્રરંગી ખડકો,  ખનિજો (leucocratic rocks, – minerals)

શુભ્રરંગી ખડકો,  ખનિજો (leucocratic rocks, – minerals) : મુખ્યત્વે આછા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. આવા ખડકોમાં ઘેરા રંગના ખનિજોનું પ્રમાણ 0 % થી 30 % જેટલું હોય છે. બાકીની ટકાવારી આછા રંગનાં ખનિજોની હોય છે. આછા રંગનાં ખનિજો પૈકી ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ફેલ્સ્પેથૉઇડ, રંગવિહીન કે આછા…

વધુ વાંચો >

શુમાકર ઈ. એફ.

શુમાકર ઈ. એફ. (જ. 1911, જર્મની; અ. 6 સપ્ટેમ્બર 1977, સ્વિટ્ઝર્લૅન્ડ) :  વિકાસશીલ દેશો માટે મધ્યવર્તી તકનીકોની હિમાયત કરનાર સ્વતંત્ર વિચારક તથા ‘બુદ્ધિસ્ટ ઇકોનૉમિસ્ટ’ની આર્થિક વિચારસરણીના પ્રવર્તક. આખું નામ અર્ન્સ્ટ ફ્રેડરિક શુમાકર. 1930ના અરસામાં ઇંગ્લૅન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ‘રોડસ સ્કૉલર’ તરીકે અધ્યયન કર્યું અને ત્યારબાદ જર્મની પાછા ગયા ખરા, પરંતુ નાઝીવાદની…

વધુ વાંચો >

શુમાકર, માઇકલ

શુમાકર, માઇકલ (જ. 3 જાન્યુઆરી 1969, હર્થ હર્મેલ્દિરા, જર્મની) : ફાર્મુલા વન કાર-રેસના બેતાજ બાદશાહ. તારીખ 10 સપ્ટેમ્બર 2006ના રોજ ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં વિજય મેળવ્યા પછી તેમણે ઇટાલીના મોન્ઝા ખાતે 2006ની ચાલુ સિઝન બાદ સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરતાં દંતકથારૂપ બની ગયેલા આ જર્મન કાર-રેસરની કારકિર્દીનો ઑક્ટોબર 2006થી અંત આવ્યો છે.…

વધુ વાંચો >

શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth)

શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth) (જ. 13 જૂન 1885, જર્મની; અ. 23 એપ્રિલ 1952, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વૉલ્ફગૅન્ગ મોત્સાર્ટ અને રિચાર્ડ સ્ટ્રૉસની કૃતિઓ ગાવા માટે વિશ્વવિખ્યાત બનેલી સોપ્રાનો ગાયિકા. હેમ્બર્ગ ઑપેરા ખાતે 1910માં એલિસાબેથે સોપ્રાનો ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. 1914માં ન્યૂયૉર્ક નગરના મેટ્રોપોલિટન ઑપેરા હાઉસમાં સ્ટ્રૉસના ઑપેરા ડી રોસેન્કાવેલિયર(Die…

વધુ વાંચો >

શુમાન, ક્લૅરા (Schumann, Clara)

શુમાન, ક્લૅરા (Schumann, Clara) (જ. 13 સપ્ટેમ્બર 1819, લિપઝિગ, જર્મની; અ. 20 મે 1896, ફ્રાન્કફર્ટ આમ મેઇન જર્મની) : પ્રસિદ્ધ જર્મન પિયાનોવાદિકા. પ્રસિદ્ધ જર્મન પિયાનોવાદક વીકની એ પુત્રી. પાંચ વરસની ઉંમરથી જ પિતા પાસેથી પિયાનોવાદનના પાઠ ગ્રહણ કરવા શરૂ કર્યા. પંદર વરસની વયથી તેણે એક કન્સર્ટ પિયાનિસ્ટ તરીકે આખા યુરોપમાં…

વધુ વાંચો >

શૂદ્રક

Jan 19, 2006

શૂદ્રક : સંસ્કૃત નાટ્યકાર. ‘મૃચ્છકટિક’ નાટકના સર્જક. તેની પ્રસ્તાવનામાં શૂદ્રક વિશે જે માહિતી મળે છે તે આ પ્રમાણે છે : શૂદ્રક ઋગ્વેદ, સામવેદ અને ગણિતના તેમજ નૃત્ય અને સંગીત જેવી વૈશિકી કલાના જાણકાર હતા. ભગવાન શિવની કૃપાથી તેમને ગજશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. તેમની આંખો બગડેલી, પણ પછીથી તે સારી થયેલી.…

વધુ વાંચો >

શૂન (રાજા)

Jan 19, 2006

શૂન (રાજા) : ચીનનો માત્ર દંતકથાઓમાં જાણીતો રાજા. તે ચીનનાં પુરાણોમાં યુ તી શૂન નામથી પ્રસિદ્ધ છે. તે ઈ. પૂ. 23મી સદી દરમિયાન શાસન કરતો હતો. પ્રાચીન કાળમાં તેનો સુવર્ણયુગ હતો. કન્ફ્યૂશિયસે તેને પ્રામાણિકતા તથા તેજસ્વિતાના નમૂનારૂપ ગણાવ્યો છે. તેની અગાઉના, દંતકથામાં જાણીતા રાજા યાઓ સાથે તેનું નામ જોડાયેલું છે.…

વધુ વાંચો >

શૂન્ય (zero)

Jan 19, 2006

શૂન્ય (zero) : ભારતીય બહુપાર્શ્ર્વી (multifacet) ગાણિતિક વિભાવના. તે એકસાથે સંજ્ઞા, પરિમાણ, દિશાનિર્દેશક અને સ્થાનધારક હોવાનું કામ કરે છે. ચાર હજાર વર્ષ અગાઉ ઇજિપ્તમાં શૂન્યનો સંકેત માત્ર પરિમાણ કે ઊંચી-નીચી સપાટીને છૂટી પાડતી સીમાનો નિર્દેશ કરવા પૂરતો થતો. બૅબિલોનની સંખ્યાલેખન-પદ્ધતિમાં અંકનો અભાવ દર્શાવતા સ્થાનસંકેત તરીકે તેનો ઉપયોગ થતો. દક્ષિણ અમેરિકામાં…

વધુ વાંચો >

શૂન્ય-આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB)

Jan 19, 2006

શૂન્ય–આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB) : ઉત્પાદનની ચાલુ પ્રવૃત્તિઓ જારી રાખવી, વધારવી, ઘટાડવી અથવા બંધ કરવી તેનો નિર્ણય કરવા માટે સંચાલકોએ પ્રત્યેક વર્ષે બધી પ્રવૃત્તિઓનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો અપનાવેલો વ્યવસ્થિત અભિગમ. સામાન્ય રીતે ઉત્પાદક સંસ્થા/કંપનીનું નવા વર્ષનું અંદાજપત્ર તૈયાર કરવા માટે ચાલુ વર્ષમાં કરેલો ખર્ચ ઉચિત પ્રમાણમાં કરેલો…

વધુ વાંચો >

શૂન્ય પાલનપુરી

Jan 19, 2006

શૂન્ય પાલનપુરી (જ. 19 ડિસેમ્બર 1922; અ. 17 માર્ચ 1987, પાલનપુર) : ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર. એમનું મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. અલીખાન લગભગ ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એમની માતાનું નામ નનીબીબી હતું. પાલનપુરમાં મામાને ઘેર તેમનો ઉછેર થયો. બાળપણથી અલીખાને ઘરનો નિર્વાહ ચલાવવા માટે…

વધુ વાંચો >

શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy)

Jan 19, 2006

શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy) : નિરપેક્ષ શૂન્ય (0 k) તાપમાને પદાર્થમાં રહી જતી ઊર્જા. બધી પ્રતિરોધિત (confined) પ્રણાલીઓ તેમના ન્યૂનતમ (lowest) ઊર્જાસ્તર(energy level)માં ધનાત્મક (positive) શૂન્ય બિંદુ ઊર્જા ધરાવે છે. પ્રશિષ્ટ ભૌતિકી (classical physics) કણો માટે પ્રત્યેક ક્ષણે નિર્દિષ્ટ સ્થાનો (locations) અને વેગમાન(momenta)વાળા ચોક્કસ પ્રક્ષેપપથ (trajectory) સૂચવે છે…

વધુ વાંચો >

શૂન્યવાદ

Jan 19, 2006

શૂન્યવાદ : બધી ધારણઓમાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે, આથી બધું શૂન્ય છે એવો મતવાદ. મહાયાન બૌદ્ધ સંપ્રદાય માધ્યમિક (શૂન્યવાદી) અને વિજ્ઞાનવાદ (યોગાચાર) એવી બે શાખાઓમાં વિભાજિત છે. એમાં શૂન્યવાદના પ્રબળ પ્રતિપાદક આચાર્ય નાગાર્જુન ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયા. નાગાર્જુને ‘માધ્યમિકશાસ્ત્ર’ની રચના કરી, તેના દ્વારા શૂન્યવાદને દાર્શનિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યો.…

વધુ વાંચો >

શૂરસેન

Jan 19, 2006

શૂરસેન : 1. કાર્તવીર્ય રાજાનો આ નામનો પુત્ર. 2. પાંડવ પક્ષનો પાંચાલનો ક્ષત્રિય રાજા. મહાભારતના યુદ્ધમાં તેને કર્ણે માર્યો હતો. 3. મથુરાની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋષિઓના યજ્ઞમાં વિઘ્ન કરનાર લવણાસુરનો શત્રુઘ્ને વધ કર્યો; ત્યારે દેવીએ વરદાન માગવાનું કહેતાં શત્રુઘ્ને માગ્યું કે આ દેશમાં લોકો શૂરવીર થાઓ. આ વરદાન આપવાથી…

વધુ વાંચો >

શૂર્પણખા

Jan 19, 2006

શૂર્પણખા : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Monstera deliciosa Liebm. syn. Philodendron pertusum Kunth & Bouche છે. તે સદાહરિત આરોહી જાતિ છે અને વેસ્ટ ઇંડિઝ અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. શોભન પર્ણસમૂહ અને 25.0 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં ખાદ્ય ફળો માટે તેનો ભારતમાં પ્રવેશ કરાવવામાં…

વધુ વાંચો >

શૂર્પારક

Jan 19, 2006

શૂર્પારક : પરશુરામે પશ્ચિમ કિનારે સ્થાપેલ નગર, જે વેપારનું કેન્દ્ર બન્યું. પરશુરામ તે દ્વારા ઉત્તરમાંના આર્યો પાસેના વેપારને દક્ષિણમાં દ્રવિડો તરફ વાળવા માગતા હતા. મહાભારતમાંનો એક શ્લોક સૂચવે છે કે શૂર્પારક અગાઉ જમદગ્નિ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ઈ.સ. 70 અને 80 વચ્ચેના સમયગાળામાં લખાયેલ ‘ધ પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’માં…

વધુ વાંચો >