ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અર્લી બર્ડ

Jan 20, 1989

અર્લી બર્ડ (Early Bird) : અંતરીક્ષયાનો અને ઉપગ્રહોના પ્રારંભિક તબક્કાઓમાં અમેરિકા દ્વારા 1965 અને 1966 દરમિયાન સફળતાપૂર્વક છોડવામાં આવેલા દૂરસંચાર માટેના ઉપગ્રહ. દૂરસંચાર માટે ઇકો (Echo–1) જેવા અક્રિય પરાવર્તક (passive reflector) ઉપગ્રહ પછી 1962 અને 1963 દરમિયાન ટેલસ્ટાર(Telstar)–1 અને 2 જેવા સક્રિય ઉપગ્રહો દીર્ઘવૃત્તીય (eliptical) ભ્રમણકક્ષામાં તરતા મુકાયા હતા. તેમાં…

વધુ વાંચો >

અર્વાચીન કવિતા

Jan 20, 1989

અર્વાચીન કવિતા (1946) : ગુજરાતી કવિ સુન્દરમનો વિવેચનગ્રંથ. 1946ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયેલું. 1845થી1945 સુધીની ગુજરાતી કવિતાની રૂપરેખા આ ગ્રંથમાં આલેખાઈ છે. 257 લેખકો અને તેમની કૃતિઓનું ઐતિહાસિક સાતત્ય જાળવીને અવલોકન કર્યું છે. કાવ્યપ્રવાહમાં દરેક કવિની સર્જકતાનું મૂલ્યાંકન રસદૃષ્ટિએ કર્યું છે. અર્વાચીન કવિતાના બે પ્રવાહો –…

વધુ વાંચો >

અર્વાચીન રચના

Jan 20, 1989

અર્વાચીન રચના (holocene systemrecent) : અર્વાચીન સમય દરમિયાન થયેલી ભૂસ્તરીય રચના. અંગ્રેજી નામાભિધાન holoceneની વ્યુત્પત્તિ કરતાં holos એટલે complete–પૂર્ણ અને cene એટલે recent–અર્વાચીન, આ બંને મળીને ‘પૂર્ણ અર્વાચીન’ના ભાવાર્થ રૂપે અર્વાચીન શબ્દપ્રયોગ થાય છે. ભૂસ્તરીય કાળગણના (geochronology) માટે તૈયાર કરાયેલા સ્તરવિદ્યાત્મક સ્તંભ(stratigraphic column)નો સૌથી છેલ્લો સમયગાળો એટલે અર્વાચીન સમય અને…

વધુ વાંચો >

અર્શ (આયુર્વેદ)

Jan 20, 1989

અર્શ (આયુર્વેદ) : ગુદાની વલીઓમાં ઉત્પન્ન થતા માંસાંકુરોને લીધે થતો કષ્ટદાયક રોગ. ગુદમાર્ગનો અવરોધ થતાં અપાનવાયુ અને મળપ્રવૃત્તિની રુકાવટ થાય છે, જે પ્રતિલોમ પામીને વ્યાનવાયુ સાથે ભળી જઈ તે વ્યક્તિનો જઠરાગ્નિ મંદ કરી નાખે છે. મંદાગ્નિ થતાં તેમાંથી આમની વૃદ્ધિ થાય છે અને આહાર રસ દ્વારા ધાતુઓને સમ્યક્ પોષણ મળતું…

વધુ વાંચો >

અર્સ દેવરાજ

Jan 20, 1989

અર્સ, દેવરાજ (જ. 20 ઑગસ્ટ 1915, મૈસૂર, કર્ણાટક; અ. 6 જૂન 1982, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટક રાજ્યના અગ્રણી રાજકીય નેતા તથા પૂર્વ મુખ્ય પ્રધાન. રાજ્યના મૈસૂર જિલ્લાના હાંસુર તાલુકાના કલ્લાહાલીના વતની. કુટુંબનો પરંપરાગત વ્યવસાય ખેતી, તેથી મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી કુટુંબના વ્યવસાયમાં જોડાવાના હેતુથી વતન પાછા ફર્યા,…

વધુ વાંચો >

અલ ઓરટર

Jan 20, 1989

અલ ઓરટર (જ. 19 સપ્ટેમ્બર 1936. ન્યૂયોર્ક, યુ.એસ.; અ. 1 ઑક્ટોબર 2007, ફ્લોરિડા, યુ.એસ.) : યુ.એસ.નો ચક્રફેંકનો ખેલકૂદવીર. તેણે ચાર ઑલિમ્પિક્સમાં સતત સુવર્ણચંદ્રક જીતીને ઑલિમ્પિક્સનો અમેરિકા માટે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. ન્યૂયૉર્ક સ્ટેટના લૉગ આઇલૅન્ડમાં ઇલેક્ટ્રિક ડેટા પ્રોસેસિંગના સિસ્ટમ એનાલિસ્ટ તરીકે આઠ કલાકની કામગીરી બજાવ્યા પછી શારીરિક ચુસ્તતા માટે વ્યાયામ…

વધુ વાંચો >

અલક (અલટ – અલ્લટ)

Jan 20, 1989

અલક (અલટ, અલ્લટ) (અગિયારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ના સહલેખક મનાતા વિદ્વાન. ‘કાવ્યપ્રકાશ’ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. એના રચયિતા મમ્મટ તો છે જ, પણ તે સાથે સહલેખક તરીકે ‘અલક’ છે તેવું વિધાન ‘કાવ્યપ્રકાશ’ની ‘સંકેત’ ટીકાના લેખક માણિક્યચંદ્ર તથા કાશ્મીરી વિદ્વાન રાજાનક આનંદ જેવા કરે છે. આ રીતે કાવ્યપ્રકાશના બે લેખકો છે.…

વધુ વાંચો >

અલકનંદા

Jan 20, 1989

અલકનંદા (1967) : આસામનાં અર્વાચીન રહસ્યવાદી કવયિત્રી  નલિનીબાલાદેવી(1899-1977)નો છઠ્ઠો કાવ્યસંગ્રહ. 1968માં એમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. યૌવનના ઉંબરે પ્રવેશતાં જ વિધવા થયેલાં નલિનીબાલાને ગીતા અને ઉપનિષદે, શંકરદેવના વૈષ્ણવ સાહિત્યે તથા રવીન્દ્રનાથની કવિતાએ ધૃતિ આપીને એમના જીવનમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું. આ સંગ્રહમાંની કવિતામાં એમણે પ્રત્યેક…

વધુ વાંચો >

અલકનંદા (નદી)

Jan 20, 1989

અલકનંદા (નદી) : ભારતની પવિત્ર નદીઓમાંની એક નદી. તે ઉત્તરપ્રદેશના ગઢવાલ-હિમાલય પ્રદેશમાંની ગંગા નદીની ઉપનદી છે. કામેટ શિખર પરથી વહેતી વિષ્ણુગંગા (જે ધૌલી નામથી પણ એ વિસ્તારમાં ઓળખાય છે.) અને સરસ્વતી – આ બે નદીઓનો સંગમ જોશીમઠ પાસે થાય છે અને ત્યારબાદ તે અલકનંદા નામથી ઓળખાય છે. અલકનંદા જ્યારે કર્ણપ્રયાગ…

વધુ વાંચો >

અલકેશ્વરી (રૂપભવાની)

Jan 20, 1989

અલકેશ્વરી (રૂપભવાની) (જ. 1621, શ્રીનગર; અ. 1721) : કાશ્મીરની પ્રસિદ્ધ મધ્યકાલીન સંત કવયિત્રી. પિતા માધવધર સંસ્કૃતના પંડિત. બાળપણથી જ પિતા પાસે આધ્યાત્મિક શિક્ષણ લીધું, પછી વર્ષો સુધી યોગસાધના કરી. યોગિનીઓની પરંપરામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે જે પદો લખ્યાં છે, તે કાશ્મીરી ‘વખ્ખ’ પ્રકારનાં છે. એમાં એમણે અગમનિગમને ઋજુતાથી ગાયો…

વધુ વાંચો >