ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અરેકા

Jan 19, 1989

અરેકા (Areca) : જુઓ, સોપારી.

વધુ વાંચો >

અરેખીય પ્રકાશિકી

Jan 19, 1989

અરેખીય પ્રકાશિકી (non-linear optics) : પદાર્થ અને લેઝર વચ્ચેની પારસ્પરિક ક્રિયામાંથી ઉદભવતી વિશિષ્ટ ઘટના. પ્રકાશતરંગો વીજચુંબકીય તરંગોનો એક સીમિત વિસ્તાર છે. 4 × 1014 હર્ટ્ઝથી માંડીને 1 × 1015 હર્ટ્ઝની કંપનઆવૃત્તિવાળા વીજચુંબકીય તરંગો ‘પ્રકાશ’સ્વરૂપે સમજાય છે. તેમના દોલનશીલ (oscillatory) વિદ્યુતક્ષેત્રની અસર નીચે પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રૉન પણ દોલન કરે છે, તેને…

વધુ વાંચો >

અર્ગટ (આયુર્વિજ્ઞાન)

Jan 19, 1989

અર્ગટ (આયુર્વિજ્ઞાન) : રાય (rye) નામના ધાન્યને ફૂગ લાગવાથી રૂપાંતરિત થયેલી દાંડી. અર્ગટનું સંશોધન ઔષધશાસ્ત્રમાં ઘણું મહત્વ ધરાવે છે. યુરોપના રાય (rye) નામના બાજરી જેવા ધાન્યના બીજાશયમાં, ક્લેવિસેપ્સ પરપ્યુરા (Claviceps purpurea) નામની ફૂગ લાગતાં, અર્ધાથી એક ઇંચ લાંબી, લવિંગની દાંડી જેવી, ભૂખરા કાળા રંગની દાંડીમાં તેનું રૂપાંતર થાય છે. આ…

વધુ વાંચો >

અર્ગટ (વનસ્પતિ-રોગશાસ્ત્ર)

Jan 19, 1989

અર્ગટ (વનસ્પતિ-રોગશાસ્ત્ર) : બાજરીના પાકનો થતો એક પ્રકારનો રોગ. તેને બાજરીનો, ગુંદરિયો કે મધિયો અર્ગટ કહે છે. ક્લેવિસેપ્સ ફ્યુઝિફૉર્મિસ (Claviceps fusiformes) નામની ફૂગથી આ રોગ થાય છે. સત્તર જેટલા ઘાસચારા અને ધાન્યપાકોમાં આ રોગ જોવા મળે છે, જેમાં ફૂલમાં ફૂગના બીજકણોના ચેપથી ગુંદર જેવો ચીકણો પદાર્થ ઝરતો જોવા મળે છે.…

વધુ વાંચો >

અર્ગોસ્ટેરોલ

Jan 19, 1989

અર્ગોસ્ટેરોલ : માઇકોસ્ટેરોલ વર્ગનું સંયોજન. આ અર્ગટ (અનાજ ઉપરની એક પ્રકારની ફૂગ) તથા યીસ્ટમાં મળી આવે છે. તે સફેદ, સ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય પદાર્થ છે. તેનું ગ.બિ. 1630 સે. અને અણુસૂત્ર C28H44O છે. પારજાંબલી પ્રકાશની અસરથી તેનું કેલ્સિફેરોલ(વિટામિન D2)માં નીચે દર્શાવેલ સોપાનો મારફત રૂપાંતર થાય છે. વિટામિન…

વધુ વાંચો >

અર્જન હાસિદ

Jan 19, 1989

અર્જન હાસિદ (જ. 1930, કંદિયારો, સિંધ–હાલ પાકિસ્તાનમાં) : સિંધીના નામી ગઝલકાર. તેમને ‘મેરો સિજુ’ નામક તેમના ગઝલસંગ્રહ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમના વાચકવર્ગમાં તેઓ ‘ગઝલગો’ નામથી લોકપ્રિય બન્યા છે. 1966માં તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ ‘સુવાસો–જી સુરહો’ પ્રગટ કર્યો. 1974માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પાથર-પાથર કપડા-કપડા’ પ્રગટ થવાની…

વધુ વાંચો >

અર્જુન (1)

Jan 19, 1989

અર્જુન (1) : કુન્તીએ દુર્વાસાના ઇન્દ્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરેલ ક્ષેત્રજ પુત્ર. હિમાલયના શતશૃંગ પર્વત ઉપર જન્મ. શ્રીકૃષ્ણના પ્રાણપ્રિય સખા અને શિષ્ય. નર ઋષિના અવતાર. વિદ્યાર્જનમાં અત્યંત એકાગ્ર, દક્ષ, ખંતીલા અને તેજસ્વી. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઉદ્યુક્ત. દ્રોણાચાર્યના શિષ્યોમાં સર્વોત્તમ. અર્જુનનો પરાભવ ન થાય તેથી દ્રોણે છળથી એકલવ્યનો…

વધુ વાંચો >

અર્જુન (2)

Jan 19, 1989

અર્જુન (2) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia arjuna (Roxb.) W. & A. (સં. अर्जुन; હિં. – अर्जुना; મ. અર્જુન સાદડા, બંર્જુનગાછ; ગુ. અર્જુન, અર્જુન સાજડ) છે. T. tomentosa W & A syn. T. alata Heyne ex. Roth. નો પણ આર્યભિષક્માં ‘અર્જુન સાજડ’ કે ‘અર્જુન’…

વધુ વાંચો >

અર્જુન ઍવૉર્ડ

Jan 19, 1989

અર્જુન ઍવૉર્ડ : ભારત સરકારે વિવિધ રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનવા માટે 1961માં સ્થાપેલો ઍવૉર્ડ. તે જુદી જુદી રમતોના શ્રેષ્ઠ રમતવીરોને પ્રતિવર્ષ અપાય છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશના 300 ઉપરાંત ખેલાડીઓને 34 જેટલી જુદી જુદી રમતોમાં આ ઍવૉર્ડ અપાયો છે. અર્જુન ઍવૉર્ડ મેળવવા માટે ખેલાડીએ 3 વર્ષ સુધી સતત સર્વોચ્ચ દેખાવ…

વધુ વાંચો >

અર્જુનદેવ

Jan 19, 1989

અર્જુનદેવ (શાસનકાળ 1262–1275) : ગુજરાતનો વાઘેલા વંશનો રાજા. એના સમયના ઉપલબ્ધ લેખો પરથી એની સત્તા સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ સુધી, ઉત્તર-પશ્ચિમ કચ્છ સુધી અને ઉત્તરમાં છેક ઈડર સુધી પ્રસરી હતી. એ શૈવ ધર્મ પાળતો હતો. એણે સ્થાનિક પંચકુલની સંમતિથી નૌવાહ પીરોજને સોમનાથમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી હતી. ‘વિચારશ્રેણી’માં એનો રાજ્યકાલ 1262-1275…

વધુ વાંચો >