ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અમાનત લખનવી
અમાનત લખનવી (જ. 1 જાન્યુઆરી 1815, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 1 જાન્યુઆરી 1858, લખનૌ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ સાહિત્યકાર. મૂળ નામ આગા હસન અમાનત. પિતા મીર આગા રિઝવી. બાળપણથી કાવ્ય રચવાનો શોખ હતો. ‘અમાનત’ તખલ્લુસ રાખેલું. લખનૌના નવાબી વાતાવરણમાં તેમણે મરસિયા કહેવાનું શરૂ કર્યું. ઝુન્નુલાલ ‘મિયાંદિલગીર’ની પાસેથી કવિતાની બાબતમાં માર્ગદર્શન મેળવ્યું. મરસિયા…
વધુ વાંચો >અમાનો, હિરોશી (Amano, Hiroshi)
અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ…
વધુ વાંચો >અમાસના તારા
અમાસના તારા (1953) : ગુજરાતી લેખક કિશનસિંહ ચાવડાનાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ. એમાં સ્વાનુભવના ચિરસ્મરણીય પ્રસંગો તથા વ્યક્તિચિત્રો છે. એ પ્રસંગો એમણે ‘જિપ્સી’ તખલ્લુસથી સામયિકોમાં લખેલા. વિષય અને નિરૂપણરીતિ બંનેને કારણે આ પુસ્તકે વાચકોનું અનન્ય આકર્ષણ કરેલું. એમની શૈલી પ્રાણવાન તથા ચિત્રાત્મક છે. ‘હાજી ગુલામ મહમદ’ અને ‘સાઇકલ’ જેવા લેખો તો નન્નુ…
વધુ વાંચો >અમિત અંબાલાલ
અમિત અંબાલાલ (જ. 26 જુલાઈ 1943, ભાવનગર) : આધુનિક ગુજરાતના અગ્રણી ચિત્રકાર. અમદાવાદસ્થિત અંબાલાલ શેઠના ધનાઢ્ય કુટુંબમાં અમિતનો જન્મ થયો હતો. વિનયન, વાણિજ્ય અને કાયદામાં સ્નાતકની પદવીઓ હાંસલ કર્યા પછી કૌટુંબિક ધંધા-વ્યવસાયમાં જોડાઈ ગયા; પરંતુ આ વરસો દરમિયાન છગનલાલ જાદવ પાસે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. અમદાવાદમાં રવિશંકર…
વધુ વાંચો >અમિતાક્ષર
અમિતાક્ષર : ‘બ્લૅંક વર્સ’ને માટે બંગાળીમાં થતો શબ્દપ્રયોગ. આ છંદનો પ્રથમ પ્રયોગ માઇકલ મધુસૂદન દત્તે કર્યો. એ છંદમાં અંત્યપ્રાસ નથી હોતો. ચૌદ અક્ષરના પયાર છંદની સાથે પ્રાસરહિત અમિતાક્ષરના મિશ્રણથી આ છંદ બન્યો છે. એમાં પ્રાસ કે યતિ અર્થાનુસારી યોજવામાં આવે છે. એટલે કે જ્યાં વિચારનો કે ભાવનો વળાંક આવતો હોય…
વધુ વાંચો >અમિતાભ
અમિતાભ : બૌદ્ધ ધર્મના પાંચ ધ્યાની બુદ્ધોમાંના બૌદ્ધ સાધનમાલા અનુસાર ત્રીજા કે નેપાળમાંની પ્રચલિત માન્યતા પ્રમાણે ચોથા ધ્યાની બુદ્ધ. નેપાળના બૌદ્ધ સંપ્રદાયમાં તે ઘણા પ્રાચીન મનાય છે. પરંપરા અનુસાર તે સુખાવતી સ્વર્ગમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે ને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા મનાય છે. વર્તમાન કલ્પને બૌદ્ધ સંપ્રદાયમાં ભદ્રકલ્પ કહે છે. સ્તૂપમાં…
વધુ વાંચો >અમિસ કિંગ્ઝલી
અમિસ, કિંગ્ઝલી (જ. 16 એપ્રિલ 1922, ક્લેફામ, લંડન; અ. 22 ઑક્ટોબર 1995, લંડન, યુ.કે.) : અંગ્રેજ કવિ અને નવલકથાકાર. શિક્ષણ સિટી ઑવ્ લંડન સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. પત્ની એલિઝાબેથ જેન હાવર્ડ અને પુત્ર માર્ટિન બંને નવલકથાકાર. સ્વાનસી, કૅમ્બ્રિજ(1948–61)માં અધ્યાપક અને પીટરહાઉસ, કૅમ્બ્રિજ(1961–63)ના ફેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘રૉયલ કોર…
વધુ વાંચો >અમીચંદ
અમીચંદ (જ. ?; અ. 1767) : ધનને ખાતર દેશદ્રોહ કરનાર શરાફ, મૂળ નામ અમીરચંદ. અમૃતસરનો આ શીખ વેપારી કલકત્તામાં વસીને શરાફીનો ધંધો કરતો હતો. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલા સામે જીતવું અશક્ય હોવાથી ક્લાઇવે કાવતરું કરી નવાબના સરસેનાપતિ મીરજાફર, શ્રીમંત શ્રૉફ જગતશેઠ અને રાય દુર્લભને નવાબ વિરુદ્ધ બળવો કરવા લલચાવ્યા. કાવતરાની વિગતો…
વધુ વાંચો >અમીન આર. કે.
અમીન, આર. કે. (જ. 24 જૂન 1923, બાવળા, જિ. અમદાવાદ; અ. 30 નવેમ્બર 2004) : ગુજરાતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા લોકસભાના પૂર્વ સભ્ય. પૂરું નામ રામદાસ કિશોરદાસ અમીન. માતાનું નામ નાથીબહેન. પિતા કપાસના વેપારી. પ્રાથમિક શિક્ષણ વતન બાવળામાં. માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદ ખાતે. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ આઝાદીની…
વધુ વાંચો >અમીન ઈદી
અમીન, ઈદી (જ. 17 મે 1925, કોબોકો, યુગાન્ડા; અ. 16 ઑગસ્ટ 2003, રિયાધ, સાઉદી અરોબિયા) : આખું નામ અહ્મીન દાદા ઈદી. વતન : કોબોકો. યુગાન્ડાના કાકવા જાતિના મુસ્લિમ. યુગાન્ડાના ભૂતપૂર્વ લશ્કરી વડા તેમજ રાષ્ટ્રપ્રમુખ. ખાસ શિક્ષણનો અભાવ. શરૂઆતની કારકિર્દીમાં બ્રિટિશ સૈન્યમાં જોડાયેલા અને તેની સાથે બીજા વિશ્વયુદ્ધમાં પહેલાં બ્રહ્મદેશમાં અને…
વધુ વાંચો >