ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અદાલત

Jan 7, 1989

અદાલત : રાજ્ય દ્વારા ન્યાયનો અમલ કરવા માટેનું મુકરર સ્થાન. અદાલત શબ્દનો ન્યાયાધીશ એવો પણ અર્થ કરવામાં આવે છે. જુદા જુદા અધિનિયમોમાં ‘અદાલત’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ન્યાયપંચો અદાલતો નથી તેમજ લવાદો અને સંસ્થાઓની કમિટીઓ પણ અદાલત નથી; બહોળા અર્થમાં અદાલત એટલે દીવાની તેમજ ફોજદારી ન્યાયિક કાર્યવાહી સ્વીકારી તેને…

વધુ વાંચો >

અદાલતના અનાદરનો કાયદો

Jan 7, 1989

અદાલતના અનાદરનો કાયદો : ભારતના બંધારણ મુજબ સુપ્રીમ કૉર્ટ અને દરેક હાઈકૉર્ટને પોતાના અનાદર માટે સજા કરવાની સત્તા અંગેનો કાયદો. દરેકનો વિના અવરોધે ન્યાય મળે અને ન્યાયના કામમાં કૉર્ટની સત્તા પ્રત્યે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ થાય નહિ તે માટે આવી સત્તા જનહિતાર્થે જરૂરી ગણાઈ છે. ભારતનું ન્યાયતંત્ર બ્રિટિશ ન્યાયપ્રણાલિકા ઉપર…

વધુ વાંચો >

અદિતિ

Jan 7, 1989

અદિતિ : એક વૈદિક દેવતા. યાસ્કે એને દેવોની બલવતી માતા કહી છે. એ વિશ્વની પણ માતા છે. એ આકાશને ટેકો આપે છે અને પૃથ્વીને ધારણ કરે છે. ઋગ્વેદમાં એનું સ્વરૂપ સ્પષ્ટ નથી. એનો દક્ષની કન્યા તરીકે પણ ઉલ્લેખ થયો છે અને દક્ષનો તેના પિતા તરીકે ઉલ્લેખ થયો છે (ઋ. 10…

વધુ વાંચો >

અદિના મસ્જિદ

Jan 7, 1989

અદિના મસ્જિદ (ઈ. સ. 1364) : ચૌદમી સદીની મુસ્લિમ સ્થાપત્યકલાનો આકર્ષક નમૂનો. તે વખતની બંગાળની રાજધાની પાન્ડુઆમાં આ મસ્જિદ બંધાયેલી. 1576માં મુઘલ સામ્રાજ્યનો ઉદય થયો ત્યાં સુધીમાં બંગાળમાં મુસ્લિમ સામ્રાજ્ય ત્રણ તબક્કામાં આવેલું : ઈ. 1200થી 1340 ગૌર, 1340થી 1430 પાન્ડુઆ અને 1442થી 1576 સુધી પુન: ગૌર. અત્યારે આ રાજધાની…

વધુ વાંચો >

અદિયમાન

Jan 7, 1989

અદિયમાન : તામિલનાડુના તડહર નામના રાજ્યનો રાજા. તમિળના સંઘકાળના સાત દાનવીર રાજાઓમાં એની ગણના થાય છે. એની વીરતા તથા દાનશીલતાનું વર્ણન અવ્વૈયાર, ભરણર, પેરુશિત્તિનાર, નલ્લુર, નત્તતાર વગેરે સંઘકાલીન કવિઓએ કર્યું છે અને તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. એની દાનશીલતાનું નિરૂપણ કરતાં અવ્વૈયાર કહે છે કે અદિયમાન પુરસ્કાર લેતાં અત્યંત ક્ષોભ…

વધુ વાંચો >

અદૃશ્ય ખગોળશાસ્ત્ર

Jan 7, 1989

અદૃશ્ય ખગોળશાસ્ત્ર (invisible astronomy) : માનવીની આંખ પારખી કે જોઈ ન શકે એવા વિદ્યુતચુંબકીય તરંગો તેમજ સિન્ક્રોટ્રોન વિકિરણો, ન્યૂટ્રીનો, કૉસ્મિક કિરણો વગેરેની મદદથી ખગોલીય પદાર્થો તેમજ ઘટનાઓનાં અવલોકનો અને અભ્યાસ રજૂ કરતું શાસ્ત્ર. દૃશ્ય પ્રકાશ જેને માનવીની આંખ પારખી શકે છે તેમાં જાંબલી પ્રકાશ(તરંગલંબાઈ, 3,800 Å)થી માંડીને ઘેરા લાલ પ્રકાશ…

વધુ વાંચો >

અદૃષ્ટ

Jan 7, 1989

અદૃષ્ટ : પુણ્ય કે પાપરૂપ ભાગ્ય. તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતું નથી તેથી તે અદૃષ્ટ કહેવાય છે. પ્રત્યેક જીવે વિવિધ પ્રકારના સુખદુ:ખાત્મક અનુભવો કરવા પડે છે. આ અનુભવો ઉત્પત્તિવિનાશશીલ છે, અનિયત છે, અનિશ્ચિત સમયે થનારા છે અને કાદાચિત્ક છે તેથી તે અનિત્ય છે, અને તેથી તે કાર્ય…

વધુ વાંચો >

અદ્ભુત કાર્બ-સંયોજનો

Jan 8, 1989

અદ્ભુત કાર્બ-સંયોજનો (fascinating organic compounds) : વિવિધ પ્રકારના અટપટા આકાર અણુબંધારણ  ધરાવતાં કાર્બનિક સંયોજનો. નીચે દર્શાવેલ કેટલાક અણુઓનાં બંધારણ જોતાં જ તેની અદભુતતા સ્પષ્ટ સમજાશે. ડીવાર બેન્ઝિનનો આકાર ઉઘાડેલ પુસ્તક જેવો, પ્રિઝમેનનો પ્રિઝમ (ત્રિપાર્શ્વ) જેવો, ક્યૂબેનનો ઘન જેવો, ફેરોસીનનો સૅન્ડવિચ જેવો, બાસ્કેટીનનો બાસ્કેટ જેવો અને ઍડેમેન્ટેનનો આકાર પાંજરા જેવો છે,…

વધુ વાંચો >

અદ્ભુતદર્પણ

Jan 8, 1989

અદ્ભુતદર્પણ : સત્તરમી સદીનું સંસ્કૃત નાટક. આ દશ-અંકી નાટકના રચયિતા મહાદેવ કવિ કાવેરી નદીને કાંઠે તાંજોરના પલમનેર ગામના હતા. તે કૌણ્ડિન્ય ગોત્રમાં કૃષ્ણસૂરિના પુત્ર અને બાલકૃષ્ણના શિષ્ય હતા. આ નાટકમાં અંગદની વિષ્ટિથી રામના રાજ્યારોહણ સુધીની ઘટનાઓ છે. રામલક્ષ્મણ મણિ દ્વારા લંકામાંની પરોક્ષ ઘટનાઓ નિહાળે છે. તેને કારણે નાટકનું ‘અદભુતદર્પણ’ શીર્ષક…

વધુ વાંચો >

અદ્ભુતસાગર

Jan 8, 1989

અદ્ભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. આ ગ્રંથમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ યોગોનો અદભુત સંગ્રહ થયેલો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા રહસ્યમય અને અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદ્ભુતસાગર’ નામ આપ્યું જણાય છે.…

વધુ વાંચો >