ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

આઉટ્રામ, સર જેમ્સ

Feb 2, 1989

આઉટ્રામ, સર જેમ્સ (જ. 29 જાન્યુઆરી 1803, યુ.કે.; અ. 11 માર્ચ 1863, ફ્રાંસ) : બ્રિટિશ યુગના ભારતના એક સેનાપતિ. પિતાનું નામ બેન્જામીન આઉટ્રામ. 1829માં સામાન્ય લશ્કરી અધિકારી તરીકે તેઓ ભારતમાં આવ્યા હતા. ખાનદેશના ભીલોને સૈનિક તરીકેની તાલીમ આપી તેમની સહાયથી તેમણે દોંગ જાતિને પરાજય આપ્યો હતો. 1835થી 1838ના ગાળામાં મહીકાંઠામાં…

વધુ વાંચો >

આઉના રોગો

Feb 2, 1989

આઉના રોગો : પ્રાણીઓના રોગો. સસ્તન માદા પશુઓમાં દુગ્ધગ્રંથિઓ એ કુદરતી દેણ છે, જેના દ્વારા પશુશિશુના પ્રાથમિક પોષણ માટે સંપૂર્ણ ખોરાકરૂપ દૂધનો આહાર મળી રહે છે. પરંતુ માનવસંસ્કૃતિના વિકાસ સાથે મનુષ્યના આહારમાં પણ દૂધની અગત્ય જણાતાં પશુપાલન એક ખેતીપૂરક આર્થિક વ્યવસાય તરીકે વિકાસ પામ્યો અને પશુપાલકો – રબારી, ભરવાડ, ખેડૂતો…

વધુ વાંચો >

આકડો

Feb 2, 1989

આકડો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેની ક્ષુપ કે નાનું સ્વરૂપ ધરાવતી લગભગ 6 જેટલી જાતિઓ થાય છે અને ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયામાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે; તે પૈકી Calotropis gigentea (Linn.) R. Br. (સં. , अर्क, मंदार, रवि,…

વધુ વાંચો >

આકર

Feb 2, 1989

આકર : પ્રાચીન માલવ દેશ. ક્ષત્રપ રાજા રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખ (ઈ. સ. 150)માં એના શાસન નીચે જે દેશો ગણાવ્યા છે તેમાં ‘આકર’ પહેલો દેશ છે. એના પછી તરત ‘આનંત્ય’ આવતો હોઈ આ ‘પૂર્વ માલવ’ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. આથી બૉમ્બે ગૅઝેટિયરમાં અવંતિને ઉજ્જયિની – અવંતિકા – અવંતીવાળો માળવાનો પશ્ચિમ ભાગ…

વધુ વાંચો >

આકંઠ સાબરમતી

Feb 2, 1989

આકંઠ સાબરમતી : ગુજરાતમાં 1970ના દાયકામાં નાટ્યલેખકોનું ચાલેલું વર્તુળ. સ્થળ અમદાવાદની માધ્યમિક શાળા, વિદ્યાનગર હાઈસ્કૂલ, સ્થાપના 1972. મુખ્ય આયોજક મધુ રાય. એના મુખ્ય મુખ્ય નાટ્યલેખકોમાં લાભશંકર ઠાકર, ચંદ્રકાન્ત શેઠ, ચિનુ મોદી, ઇન્દુ પુવાર, રમેશ શાહ, મનહર મોદી, સુવર્ણા, હસમુખ બારાડી, મુકુંદ પરીખ, સરૂપ ધ્રુવ વગેરે. ચિત્રકાર બાલકૃષ્ણ પટેલનો પણ મહત્ત્વનો…

વધુ વાંચો >

આકારજનન

Feb 2, 1989

આકારજનન (Morphogenesis) વનસ્પતિ તથા પ્રાણીઓમાં કોષપેશી અને અંગોના વિકસન તેમજ વિન્યાસ દ્વારા થતું આકારનું સર્જન. સજીવોના આકાર તથા તેની આંતરિક રચના સુંદર અને રુચિકર હોય છે. છેક પ્લેટોના સમયથી પદાર્થ અને તેની આકૃતિ વચ્ચેના સંબંધની ચર્ચા થતી આવી છે. ચૈતન્ય સ્વરૂપમાં સહજ અંતર્હિત હોય છે. વનસ્પતિસૃષ્ટિમાં રૂપનું અપાર વૈવિધ્ય જોવા…

વધુ વાંચો >

આકારયંત્ર

Feb 2, 1989

આકારયંત્ર (shaper) : દાગીનાને સપાટ સપાટી આપતું યંત્ર. આ યંત્રમાં જે દાગીનામાં આકાર પાડવાનો હોય તેને યંત્રના ટેબલ ઉપર બેસાડેલા શિગરામાં મજબૂત રીતે પકડવામાં આવે છે. આ ટેબલ સાદું અથવા દાગીનાને કોઈ પણ જગ્યાએ ખાંચા પાડવાની સગવડ રહે એ રીતે તલકોણ ફેરવી શકાય એવા પ્રકારનું પણ હોય છે. યંત્રના રૅમને…

વધુ વાંચો >

આકારવાદ

Feb 2, 1989

આકારવાદ (formalism) : સાહિત્યકૃતિના આકાર પર ભાર મૂકતી, પહેલા વિશ્વયુદ્ધ પછીની સ્લાવિક દેશોની સાહિત્યમીમાંસામાં સૌપ્રથમ ચાલેલો વાદ. વીસમી સદીની શરૂઆતમાં કળાક્ષેત્રે જે અનેક વાદો જન્મ્યા અને આંદોલનો ચાલ્યાં તેની પાછળ ‘શુદ્ધ’ કળાની શોધ હતી, મુક્ત ‘સર્જકતા’ પ્રતિની ગતિ હતી. આ જાતની કળાપ્રવૃત્તિઓમાં આકારનો ખ્યાલ કેન્દ્રમાં રહ્યો હતો. અંગ્રેજી સંજ્ઞા ‘form’…

વધુ વાંચો >

આકાશગંગા

Feb 2, 1989

આકાશગંગા (milky way) : નિર્મળ અંધારી રાત્રિએ અગ્નિ-વાયવ્ય કોણમાં દેખાતો આછો પ્રકાશિત પટ્ટો. ભારતમાં તે મંદાકિની વિશ્વ (galaxy) તરીકે ઓળખાય છે. ઘણી મોટી સંખ્યામાં રહેલા આછા પ્રકાશિત તારાઓની પ્રકાશતીવ્રતાની સમગ્ર અસર તે જ આ પ્રકાશિત પટ્ટો. વિશ્વને આ દૃશ્ય દેખાય છે. અંદરથી નિહાળતાં પુરીના આકારમાં પથરાયેલા હજારો લાખો તારાઓ તેમાં…

વધુ વાંચો >

આકાશભાષિત

Feb 2, 1989

આકાશભાષિત : સંસ્કૃત નાટ્યપ્રયોગમાં પરંપરાથી રૂઢ થયેલી વાચિક અભિનયની એક પ્રયુક્તિ. ‘આકાશમાં – શૂન્યમાં – બોલાયેલું.’ સામું પાત્ર હોય જ નહિ છતાં જાણે એણે કહેલું સાંભળીને રંગભૂમિ પરનું પાત્ર ‘શું કહે છે ?… એમ ?’ એ પ્રકારે સામાના શબ્દો પણ પોતે ઉચ્ચારીને સંવાદ ચલાવે તે. એકપાત્રી સંસ્કૃત નાટ્યપ્રકાર ‘ભાણ’માં તેનો…

વધુ વાંચો >