ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અંત:સ્ફુરણાવાદ

Jan 31, 1989

અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે…

વધુ વાંચો >

અંત:સ્રાવ

Jan 31, 1989

અંત:સ્રાવ (hormone) : શરીરની ક્રિયાઓનું નિયમન કરતાં લોહીમાં સીધાં ઝરતાં રસાયણો. ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, કૉર્ટિકોસ્ટીરૉઇડ, ગલગ્રંથિ(thyroid)ના સ્રાવો વગેરે ઘણા અંત:સ્રાવો શરીરમાં હોય છે. તેમનાં મુખ્ય ચાર કાર્યક્ષેત્રો હોય છે : (1) શરીરની આંતરિક પરિસ્થિતિ અને રાસાયણિક બંધારણનું નિયમન; (2) ઈજા, ચેપ, ભૂખમરો, શરીરમાંથી પાણીનું ઘટી જવું, ખૂબ લોહી વહી જવું, અતિશય…

વધુ વાંચો >

અંત:સ્રાવી તંત્ર

Jan 31, 1989

અંત:સ્રાવી તંત્ર (Endocrine system) (માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને  અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed…

વધુ વાંચો >

અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન)

Jan 31, 1989

અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન) : અંત:સ્રાવી ગ્રંથિઓ દ્વારા અતિસૂક્ષ્મ માત્રામાં સ્રવતાં કાર્બનિક સંયોજનો. આવાં સંયોજનોનું કાર્ય મગજમાં રહેલા એક વિશિષ્ટ કેન્દ્ર અધશ્ચેતક (hypothalamus) દ્વારા થાય છે. અંત:સ્રાવોનું રાસાયણિક વર્ગીકરણ મુખ્યત્વે તેમની પ્રકૃતિ મુજબ કરવામાં આવે છે. 1. 30,000થી ઓછા અણુભારવાળાં પ્રોટીનો; દા. ત., ઇન્સ્યુલિન. 2. નાનાં પૉલિપૅપ્ટાઇડો; દા. ત., પ્રતિ-મૂત્રલ (anti-diuretic) અંત:સ્રાવ.…

વધુ વાંચો >

અંત:સ્રાવો (વનસ્પતિ)

Jan 31, 1989

અંત:સ્રાવો (વનસ્પતિ) : વનસ્પતિમાં જ ઉત્પન્ન થતા અને તેનાં વૃદ્ધિ, વિભેદન અને ચયાપચયનું નિયમન કરતા પદાર્થો. આ પદાર્થોનું ઉત્પત્તિસ્થાનથી કાર્યસ્થાન સુધી વહન થતું હોય છે. અતિઅલ્પ માત્રામાં પણ તે સક્રિય હોય છે. કાર્યને અંતે તેઓ વપરાઈ જતા હોઈ તેમનું સંશ્લેષણ સતત ચાલતું હોય છે. આ પદાર્થોનાં ચાર જૂથો જોવા મળે…

વધુ વાંચો >

અંતાણી, વીનેશ

Jan 31, 1989

અંતાણી, વીનેશ (જ. 27 જૂન 1946, નવાવાસ (દુર્ગાપુર), તા. માંડવી, જિ. કચ્છ) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક તથા અનુવાદક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ.. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી. 1970થી…

વધુ વાંચો >

અંતાનુમાન

Jan 31, 1989

અંતાનુમાન (prognosis) : રોગના અંત કે વૃદ્ધિની આગાહી. તેને પૂર્વાનુમાન પણ કહે છે. દર્દી અને તેનાં કુટુંબીઓ રોગના નિદાન જેટલો જ, કે વધારે રસ સારવાર, રોગમુક્તિ અને અંતાનુમાનમાં ધરાવે છે. વળી તે જાણવાનો તેમનો અધિકાર પણ છે. અંતાનુમાન નિદાન અને સારવારની પ્રયુક્તિઓ અને પ્રવિધિઓનો અગ્રતાક્રમ (priority) નક્કી કરવામાં ઉપયોગી હોય…

વધુ વાંચો >

અંતિમ વેગ

Jan 31, 1989

અંતિમ વેગ (terminal velocity) : તરલ(વાયુ કે પ્રવાહી)માં મુક્ત રીતે અધોદિશામાં પ્રયાણ કરતા પદાર્થે ધારણ કરેલો અચળ (constant) વેગ. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી પૃથ્વી પર પડવા દેવામાં આવે ત્યારે તેના ઉપર અધોદિશામાં ગુરુત્વાકર્ષણબળ અને ઊર્ધ્વ દિશામાં હવાનું અવરોધક બળ લાગે છે. આ રીતે પતન કરતા પદાર્થનો વેગ વધતાં વધતાં છેવટે અચળ…

વધુ વાંચો >

અંતિમ હિમ-અશ્માવલિ

Jan 31, 1989

અંતિમ હિમ–અશ્માવલિ (terminal moraine) : હિમનદીના અંતિમ ભાગમાં તેની વહનક્રિયા દ્વારા એકત્રિત થયેલો વિભાજિત ખડક-ટુકડાઓનો ઢગ. હિમનદીના માર્ગની આડે, તેના પૂરા થતા છેક છેડાના પટ પર, જ્યાંથી બરફ પીગળીને પાણી સ્વરૂપે આગળ વહી જાય, એવી હિમનદીની પીગળતી જતી સ્થિર કિનારી પર, ખેંચાઈ આવેલો ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થઈને ઢગ સ્વરૂપે પથરાય…

વધુ વાંચો >

અંતિયોક 3જો

Jan 31, 1989

અંતિયોક 3જો (ઈ. પૂ. ત્રીજી સદી) : સેલુકવંશનો ગ્રીક રાજા. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એશિયાઈ મુલકો ઉપર યવનવિજેતા સેલુકસની સત્તા જામી. આ સેલુકવંશમાં અંતિયોક 3જો થયો, જેણે પહલવ અને બાહલિક રાજ્યો ઉપર સત્તા જમાવવા નિષ્ફળ કોશિશ કરેલી. આથી દિમિત્રને પોતાની કુંવરી પરણાવીને તેણે તે રાજ્ય સાથે મૈત્રીસંબંધો બાંધ્યા. આરંભમાં એણે…

વધુ વાંચો >