ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

અંતર્ગ્રથન

Jan 30, 1989

અંતર્ગ્રથન (synapse) : બે ચેતાકોષો (neurons) અને તેમના તંતુઓનું જોડાણ (junction). મગજમાં ઉદભવતી પ્રેરણા કે શરીરના કોઈ પણ અંગમાંથી ઉદભવતી સંવેદના (sensation), વીજ-આવેગ(electric impulse)રૂપે ચેતાતંતુઓમાંથી પસાર થતી હોય છે. આ વીજ-આવેગો અંતર્ગ્રથનમાંથી પસાર થવા માટે ચેતાવાહકો(neuro-transmitters)નું રાસાયણિક રૂપ ધારણ કરે છે. આવેગને લક્ષ્ય સુધી પહોંચતાં ઘણા ચેતાકોષો, તેમના તંતુઓ અને…

વધુ વાંચો >

અંતર્ગૃહ

Jan 30, 1989

અંતર્ગૃહ : જુઓ, સ્થાપત્યકલા.

વધુ વાંચો >

અંતર્દહન એન્જિનો

Jan 30, 1989

અંતર્દહન એન્જિનો (internal combustion engines) પ્રચાલકો(prime movers)નો એક પ્રકાર, જેમાં દહનખંડમાં ઇંધન-હવાના મિશ્રણના વિસ્ફોટન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી યાંત્રિક શક્તિ મેળવવામાં આવે છે. ઉષ્માનો ઉપયોગ કરીને યાંત્રિક શક્તિ મેળવવાનાં યંત્રો ઉષ્મા-એન્જિનો (heat engines) તરીકે ઓળખાય છે. દટ્ટા(piston)વાળા સિલિન્ડર કે ટર્બાઇનમાં અલગ ઉત્પન્ન કરાયેલી વરાળ દાખલ કરીને યાંત્રિક શક્તિ મેળવવા માટેનાં…

વધુ વાંચો >

અંતર્નિરીક્ષણ

Jan 30, 1989

અંતર્નિરીક્ષણ : અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા વ્યાપારોનું અવલોકન કરવું તે. ચિંતામગ્ન રહેવું, વિચારોમાં ખોવાઈ જવું કે કલ્પનાવિહાર કરવો તે અંતર્નિરીક્ષણ નથી. અંતર્નિરીક્ષણ એટલે તટસ્થ અને ચોકસાઈપૂર્વક પોતાના અંગત મનોવ્યાપારોનું અવલોકન કરવું અને તેને આધારે તેનું યથાતથ નિવેદન કરવું કે નોંધ કરવી. તે મનોવિજ્ઞાનની એક જૂનામાં જૂની પદ્ધતિ છે. અંતર્નિરીક્ષણનો…

વધુ વાંચો >

અંતર્ભેદકો

Jan 31, 1989

અંતર્ભેદકો (instrusions) : જૂના ખડકોમાં અંતર્ભેદન પામેલા અગ્નિકૃત ખડકોનાં લાક્ષણિક સ્વરૂપો. મૅગ્માજન્ય અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિ અને સ્થિતિ અન્ય ખડકપ્રકારો કરતાં જુદા પ્રકારની હોવાથી તેમનાં સ્વરૂપો પણ મૂળભૂત રીતે જ નિરાળાં હોય છે. તે ખડકો સ્તરરચનાવાળા ન હોવાથી તેમનાં વલણો જળકૃત ખડકોની જેમ નમનકોણવાળાં કે સ્તરનિર્દેશન દર્શાવતાં હોતાં નથી, તેથી તેમને…

વધુ વાંચો >

અંતર્ભેદિત અગ્નિકૃત ખડકો

Jan 31, 1989

અંતર્ભેદિત અગ્નિકૃત ખડકો (instrusive igneous rocks) : મૅગ્માજન્ય અંતર્ભેદનો દ્વારા પોપડાના જુદા જુદા વિસ્તારોમાં અસ્તિત્વમાં આવતા ખડકો. મુખ્યત્વે કોઈ પણ પ્રકારના અંત:કૃત ખડકો કે ભૂમધ્યકૃત ખડકોનો આ શીર્ષક હેઠળ સમાવેશ થાય છે. ગ્રૅનાઇટ, સાયનાઇટ, ગ્રૅનોડાયોરાઇટ, ડાયોરાઇટ, ગેબ્બ્રો, પેગ્મેટાઇટ, ડોલેરાઇટ, ગ્રૅનોફાયર, લેમ્પ્રોફાયર્સ તથા અલ્ટ્રાબેઝિક ખડકો એનાં ઉદાહરણો છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

અંતર્મુખી વિકાસનીતિ

Jan 31, 1989

અંતર્મુખી વિકાસનીતિ : જુઓ, આયાત અવેજીકરણ

વધુ વાંચો >

અંતર્વેદિ, અંતર્વેદી

Jan 31, 1989

અંતર્વેદિ, અંતર્વેદી : જુઓ, બ્રહ્માવર્ત

વધુ વાંચો >

અંત:કર્પરી અર્બુદો

Jan 31, 1989

અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) : ખોપરીના પોલાણમાં થતી મગજ ઇત્યાદિની ગાંઠો. તેને કારણે ખોપરીમાં દબાણ વધે છે. પરિણામે દર્દીને માથાનો દુખાવો, ઊલટી અને દૃષ્ટિના વિકારો પેદા થાય છે, જે સતત વધ્યા કરે છે. તેને અંત:કર્પરી અતિદાબ (intracranial hypertension) કહે છે. ઝાંખું દેખાવું, બેવડું દેખાવું (દ્વિદૃષ્ટિ, diplopia) કે થોડા સમય માટે…

વધુ વાંચો >

અંત:કૃત ખડકો

Jan 31, 1989

અંત:કૃત ખડકો (Plutonic rocks) : અગ્નિકૃત ખડકોનો એક પ્રકાર. પોપડાની અંદર વધુ ઊંડાઈએ મૅગ્મામાંથી તૈયાર થતા અંતર્ભેદિત ખડકો. અગ્નિકૃત ખડકોનો આ પ્રકાર ભૂગર્ભમાં મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમ્યાન થતા સ્ફટિકીકરણથી તૈયાર થયેલા ખનિજ-સ્ફટિકોનો બનેલો હોય છે. સ્ફટિકીકરણની આ ક્રિયા ખૂબ જ ઊંડાઈએ ઊંચા તાપમાને વાયુઓ તેમજ બાષ્પની હાજરીમાં અત્યંત ઉગ્ર…

વધુ વાંચો >