ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અહલુવાલિયા, જસબીરસિંઘ

Jan 25, 1989

અહલુવાલિયા, જસબીરસિંઘ (જ. 5 ફેબ્રુઆરી 1935, લુધિયાણા, પંજાબ, અ. 19 એપ્રિલ 2019, ચંદીગઢ, પંજાબ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ., પીએચ.ડી. પંજાબ મુલકી સેવામાં અધિકારી. મહદંશે પંજાબીમાં પ્રયોગવાદના પ્રવર્તક તરીકે જાણીતા. માર્ક્સવાદ અને પ્રગતિવાદની અસરના પ્રતિકાર રૂપે આ વહેણ 195૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પ્રગટ થયું હતું. અહલુવાલિયાએ પંજાબીમાં…

વધુ વાંચો >

અહલુવાલિયા, રોશનલાલ

Jan 25, 1989

અહલુવાલિયા, રોશનલાલ (જ. 191૦) : પંજાબી નાટ્યકાર તથા વાર્તાકાર. વતન લુધિયાણા (પંજાબ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ત્યાં લઈને પછી સ્નાતક સુધીનું શિક્ષણ અમૃતસરમાં લીધું. બી.એ.માં અંગ્રેજી વિષય લઈને, સુવર્ણચંદ્રક મેળવ્યો. એમ.એ. પણ અમૃતસરમાં જ અંગ્રેજી વિષય લઈને કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. પછી તિબ્બી કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા. કૉલેજના…

વધુ વાંચો >

અહલે હદીથ

Jan 25, 1989

અહલે હદીથ (હદીસ) : ભારત-પાક-બાંગલાદેશ ઉપખંડના મુસ્લિમોના બે મુખ્ય સંપ્રદાયોમાંથી એક, અહલે સુન્નત વલજમાઅત, જે ‘સુન્ની’ નામથી વધુ જાણીતો છે. તેના એક પંથના અનુયાયીઓ અહલે હદીથ કહેવાય છે. તેઓ બીજા સુન્ની મુસ્લિમોથી અમુક ગૌણ બાબતોમાં મતભેદ ધરાવે છે, પણ મૂળભૂત મુખ્ય ધાર્મિક સિદ્ધાંતોમાં સુન્ની સંપ્રદાયને અનુસરે છે. અહલે હદીથ-પંથીઓ કુરાન…

વધુ વાંચો >

અહલ્યા

Jan 25, 1989

અહલ્યા : વાલ્મીકિરામાયણમાં જેનો ઉલ્લેખ છે તે, રામચંદ્રજીના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલી ગૌતમઋષિની પત્ની. હલનો અર્થ થાય છે કુરૂપતા. તેનામાં કુરૂપતા લેશમાત્ર નહિ હોવાથી બ્રહ્માએ તેનું નામ ‘અહલ્યા’ પાડ્યું હતું. તેના પિતાનું નામ મુદગલ હતું. બીજા મતે મેનકા તેની માતા અને વૃદ્ધાશ્વ તેના પિતા હતાં. વાલ્મીકિરામાયણ પ્રમાણે બ્રહ્માએ સત્યયુગમાં તેનું સર્જન…

વધુ વાંચો >

અહલ્યાબાઈ

Jan 25, 1989

અહલ્યાબાઈ (જ. 31 મે 1725, જામખેડ, ચૌંડ, તા. બીડ, જિ. અહમદનગર; અ. 13 ઑગસ્ટ 1795, મહેશ્વર, ઈન્દોર, મધ્યપ્રદેશ) : કર્તવ્યપરાયણ, દાનશીલ, પ્રજાભિમુખ અને બાહોશ શાસક તરીકે ખ્યાતિ પામેલ સાધુચરિત રાણી. પિતા માણકોજી ચૌંડના મુખિયા હતા, માતા સુશીલાબાઈ ધર્મપરાયણ ગૃહિણી. ધાર્મિક સંસ્કારો અને હિંદુ રીતરિવાજોના ચુસ્ત વાતાવરણમાં અહલ્યાબાઈનો ઉછેર થયો હતો.…

વધુ વાંચો >

અહવાલે સરકારે ગાયકવાડ

Jan 25, 1989

અહવાલે સરકારે ગાયકવાડ : વડોદરાના ગાયકવાડ રાજાઓનો તેમના રાજ્યના આરંભથી ઈ. સ. 1818 સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ. તેના કર્તા મુનશી સારાભાઈ બાપાભાઈ મહેતા છે, જે ભોળાનાથના પિતા અને મહાન ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાના પિતામહ થાય છે. આ ઇતિહાસમાં મરાઠાકાલીન ગુજરાત વિશે માહિતી મળે છે. ઝિયાઉદ્દીન અ. દેસાઈ

વધુ વાંચો >

અહસાની ઉસ્માન

Jan 25, 1989

અહસાની ઉસ્માન (સત્તરમી સદી) : મધ્યકાલીન સિંધી કવિ. તેમણે ઈ. સ. 164૦માં બલૂચિસ્તાનના ભગનાડી ગામેથી હિજરત કરીને સિંધના લખી ગામે વસવાટ કર્યો હતો. સિંધીમાં તેમણે ‘વતનનામા’ કાવ્યરચના કરી છે. અહસાની ઉસ્માન પૂર્વ મધ્યકાલના (સત્તરમી સદીના) કવિ હતા. એમણે ભક્તિમૂલક અનેક ‘બૈતો’ (દોહા અથવા સોરઠા, યા તો દોહા અને સોરઠા બંનેનું…

વધુ વાંચો >

અહિચ્છત્રા

Jan 25, 1989

અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના…

વધુ વાંચો >

અહિર્બુધ્ન્ય સંહિતા

Jan 25, 1989

અહિર્બુધ્ન્ય સંહિતા : અહિર્બુધ્ન્ય અને નારદના સંવાદરૂપે પૌરાણિક પદ્ધતિએ રજૂ થયેલી સંહિતા વૈદિક યજ્ઞયાગાદિની પરંપરામાં જ્યારે પશુહિંસાએ માઝા મૂકી દીધી ત્યારે એ સામે વૈદિક પ્રણાલીમાંથી વિકસેલા ‘પાંચરાત્ર-સંપ્રદાય’ – ‘સાત્વત સંપ્રદાય’ – ‘ભાગવતમાર્ગ’ – એવાં વૈકલ્પિક નામોએ અસ્તિત્વમાં આવી ને નારાયણની વૈદિક પરિપાટીની ઉપાસનાપદ્ધતિનો સ્વતંત્ર રીતે વિકાસ દર્શાવ્યો. આ માટે સમયના…

વધુ વાંચો >

અહિવાસી, જગન્નાથ મુરલીધર

Jan 25, 1989

અહિવાસી, જગન્નાથ મુરલીધર (જ. 6 જુલાઈ 1901, વ્રજમંડળ, ગોકુળ, ઉત્તરપ્રદેશ; અ. 29 ડિસેમ્બર 1974, વારાણસી, ઉત્તરપ્રદેશ) : ભિત્તિચિત્રવિશેષજ્ઞ કળાકાર. પ્રાથમિક શિક્ષણ વારાસણીમાં. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ચિત્રકળાનો ડિપ્લોમા, મેયો સુવર્ણચંદ્રક અને ડૉલી ખુરશેદજી પુરસ્કાર સહિત મેળવ્યો. ભીંતચિત્રોના ગહન અધ્યયન માટે સરકારી શિષ્યવૃત્તિ મળેલી. 1931થી 1935 સુધી ફેલો અને…

વધુ વાંચો >