ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અસત્કાર્યવાદ (આરંભવાદ)

અસત્કાર્યવાદ (આરંભવાદ) : ન્યાયવૈશેષિક દર્શનનો એક સિદ્ધાંત. કારણમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પૂર્વે અસત્ હતું ને પછી નવેસર ઉત્પન્ન થયું તે મત. ન્યાયવૈશેષિક એ બાહ્યાર્થવાદી દર્શન છે. એના મતે સૃષ્ટિ  ઉત્પન્ન થઈ છે, અનાદિ નથી, જગતની સંરચનામાં મુખ્યત્વે સ્થૂળ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યો ભાગ ભજવે છે. આ…

વધુ વાંચો >

અસત્ય-નિર્દેશક યંત્ર

અસત્ય–નિર્દેશક યંત્ર (lie detector) : અસત્યનો નિર્દેશ કરતું યંત્ર – પૉલિગ્રાફ. સામાન્ય માન્યતા એવી છે કે વ્યક્તિ અસત્ય બોલે તો આ યંત્ર ઘંટડીનો અવાજ કે લાલબત્તી જેવા સૂચક નિર્દેશો કરતું હશે, પણ હકીકતમાં તેમ નથી. એમાં હવાના દબાણથી સ્વયંસંચાલિત યંત્રો દ્વારા રુધિરદબાણ, નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસની નોંધણી થાય છે. સાથે…

વધુ વાંચો >

અસદ અલીખાં

અસદ અલીખાં (જ. 1 ડિસેમ્બર 1937, અલવર, રાજસ્થાન; અ. 14 જૂન 2011, નવી દિલ્હી) : ભારતના પ્રાચીનતમ વાદ્ય રુદ્રવીણાના કુશળ વાદક. પિતા સાદિકઅલીખાં પાસેથી વીણા, સિતાર અને ગાયનનું શિક્ષણ મેળવ્યું. તેઓ ધ્રુવપદની ચાર વાણીઓમાંથી એક ખંડહાર વાણીની રીતે રુદ્રવીણા વગાડતા. વારાણસી વિશ્વવિદ્યાલયે તેમને ‘વીણા-વિશારદ’ની ઉપાધિ આપી છે. તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી…

વધુ વાંચો >

અસફઅલી

અસફઅલી (જ. 11 મે 1888, દિલ્હી; અ. 2 એપ્રિલ 1953, સ્વિટ્ઝરલૅન્ડ) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતા રાજકીય નેતા. દિલ્હીની ઍંગ્લો-અરૅબિક હાઈસ્કૂલ તથા સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ તથા ઇંગ્લૅન્ડમાં જઈ બૅરિસ્ટર થયા. સ્વદેશ પાછા આવ્યા બાદ શરૂઆતમાં ઍની બેસન્ટના ‘હોમરૂલ લીગ’ તરફ…

વધુ વાંચો >

અસફખાન

અસફખાન : નૂરજહાંનો ભાઈ અને મુમતાઝ બેગમનો પિતા. નૂરજહાંએ મુમતાઝ અને શાહજહાંનો લગ્નસંબંધ ગોઠવી આપ્યો હતો. અસફખાન સામાન્ય રીતે નૂરજહાંનો પક્ષ લેતો, પરંતુ જહાંગીરના પાછલા વખતમાં તે મહોબતખાન સાથે મળી ગયો હતો. જહાંગીરને બંદીખાને રાખવા બદલ નૂરજહાંએ તેને ઠપકો આપ્યો હતો. જહાંગીરના અવસાન બાદ અસફખાને પોતાના જમાઈ ખુર્રમ(શાહજહાં)ને ગાદીએ બેસાડવા…

વધુ વાંચો >

અસફજાહ, નિઝામુલ્મુલ્ક

અસફજાહ, નિઝામુલ્મુલ્ક (જ. 20 ઑગસ્ટ 1671, આગ્રા, ઉત્તરપ્રદેશ;  અ. 1 જૂન 1748, બુરહાનપુર, મધ્યપ્રદેશ) : હૈદરાબાદમાં નિઝામશાહીનો સ્થાપક. નિઝામુલ્મુલ્ક તરીકે જાણીતા મીર કમરુદ્દીન ચિન કિલિચખાન હેઠળ દખ્ખણનો સૂબો (પ્રાંત) સ્વતંત્ર થયો હતો. 17મી સદીના મધ્યમાં તેના પિતામહ ખ્વાજા આબિદ શેખ ઉલ્ ઇસ્લામ બુખારાથી ભારત આવીને ઔરંગઝેબની નોકરીમાં જોડાયા હતા. નિઝામુલ્મુલ્કની…

વધુ વાંચો >

અસમ

અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…

વધુ વાંચો >

અસમઈ

અસમઈ (જ. 74૦, બસરા, ઇરાક; અ. 828, બસરા, ઇરાક) : અરબી ભાષાવિદ્, સાહિત્યકાર. તેમનું નામ અબ્દુલ મલિક બિન કુરૈબ હતું. પરંતુ ‘અલ્ અસમઈ’ના નામે તેઓ પ્રસિદ્ધ છે. તેઓ બસરાના વતની હતા. અરબીના શબ્દકોશ રચનારાઓમાં તે શ્રેષ્ઠ ગણાતા. તેમને અરબી ભાષા અને તેની બધી બોલીઓ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હતું. ખલીફા હારૂન…

વધુ વાંચો >

અસમતા

અસમતા (inequality) : બે વાસ્તવિક સંખ્યાઓ અથવા બૈજિક અભિવ્યક્તિઓ પૈકીની એક બીજીથી નાની કે મોટી છે તે દર્શાવતા સંબંધ અંગેનું વિધાન. અસમતાઓનું ગણિતમાં આગવું મહત્વ છે. ગણિતનાં મૂળભૂત પરિણામો ઘણી વાર સમતાઓને બદલે અસમતાઓના સ્વરૂપમાં હોય છે. પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇજનેરી શાખાનાં વિવિધ ક્ષેત્રોમાં અસમતાઓના અસરકારક ઉપયોગથી તેના ફાળાનું મહત્વ…

વધુ વાંચો >

અસમ દાણાદાર કણરચના

અસમ દાણાદાર કણરચના (inequigranular texture) : કણરચનાનો એક પ્રકાર. જે ખડકમાં આવશ્યક ખનિજો નાનાં-મોટાં, જુદાં જુદાં કણકદવાળાં હોય એવી કણરચના. દા.ત., પૉર્ફિરી ખડકો. જ્યારે અગ્નિકૃત ખડકોની હસ્તનમૂનાઓ દ્વારા કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પરખ કરવામાં, તેમાં રહેલા સ્ફટિકો કે કણોની કદભિન્નતા જ એકમાત્ર કાબૂ ધરાવતું લક્ષણ બની જતું હોય, ત્યારે આ…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >