ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અબ્દુર્રહેમાનખાન
અબ્દુર્રહેમાનખાન (જ. 1844, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 1 ઑક્ટોબર 1901, કાબુલ, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો અમીર. પિતાનું નામ અફઝલખાન અને પિતામહનું નામ દોસ્ત મહમ્મદ હતું. ગાદીવારસા માટેના સંઘર્ષમાં શેર અલીનો વિજય થતાં તેણે સમરકંદમાં આશ્રય લીધેલો. બીજા અફઘાન વિગ્રહને અંતે 1879માં અંગ્રેજ સરકારે અબ્દુર્રહેમાનને રાજા તરીકે માન્ય કર્યો હતો. દેશની વિદેશનીતિ તેણે…
વધુ વાંચો >અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’
અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’ (જ. 15 જાન્યુઆરી 1875, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 9 નવેમ્બર 1953, સાઉદી અરેબિયા) : સઉદી આરબ વહાબી રાજ્યનો સ્થાપક. પિતાનું નામ અબ્દુર્રહમાન બિન ફૈસલ. 18મી સદીના નામાંકિત આરબ બાદશાહ મુહમ્મદ બિન સઊદનો વંશજ હોવાથી ‘ઇબ્ન સઊદ’ કુટુંબનામ છે. ઘણાં સંકટો વેઠ્યા પછી 1902માં કુવેતના શેખ મુબારકની…
વધુ વાંચો >અબ્દુલ અહદ ‘આઝાદ’
અબ્દુલ અહદ ‘આઝાદ’ (જ. 1903, ચાદુરા; અ. 4 એપ્રિલ 1948, શ્રીનગર) : કાશ્મીરના ક્રાન્તિકારી સાહિત્યના સર્જક તથા સાંસ્કૃતિક નવજાગરણના પ્રણેતા. એમના પિતા સુલતાન દરવેશ સાહિત્ય-જગતમાં જાણીતા હતા. શરૂઆતમાં ‘અહદ’ તખલ્લુસથી લખતા, પણ પછીથી એમણે ‘જાંબાજ’ નામથી લખવા માંડ્યું. પુત્રના મૃત્યુથી ધર્મ પ્રત્યેનું એમનું દૃષ્ટિબિન્દુ બદલાયું, અને ‘આઝાદ’ તખલ્લુસથી લખવાનું શરૂ…
વધુ વાંચો >અબ્દુલ અહદ નદીમ
અબ્દુલ અહદ નદીમ (19મી સદી) : કાશ્મીરી સૂફી કવિ. સૂફી પરંપરા અનુસાર ઈશ્વરને સનમરૂપે સંબોધીને તેમણે કાવ્યો લખ્યાં છે. એમનાં કાવ્યો ભક્તિમૂલક હોઈ, એમાં પરમાત્માના મિલનની ઝંખના અને વિરહવ્યથાનો સૂર સંભળાયા કરે છે. તેમની વિશેષતા એ છે કે, સનમ ઉપરાંત ઈશ્વરના પુરુષસ્વરૂપની પણ એટલા જ ભાવોદ્રેકથી ઉપાસના કરી છે. એમના…
વધુ વાંચો >અબ્દુલ કરીમખાં
અબ્દુલ કરીમખાં (જ. 11 નવેમ્બર 1872, કૈરાના, કુરુક્ષેત્ર પાસે ઉત્તરપ્રદેશ; અ. 27 ઑક્ટોબર 1937, મિરજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. પિતા કાલેખાં પણ જાણીતા ગાયક હતા. પિતા, કાકા અબ્દુલખાં અને એક સગા હૈદરબક્ષ પાસે તે ગાયકી શીખ્યા હતા. છ વર્ષની ઉંમરે એક જાહેર મહેફિલમાં ગાઈને તેમણે…
વધુ વાંચો >અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા
અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા (ઈ. સ. 15મી સદી) : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમકાલીન વિદ્વાન. તેઓ મહમૂદ બેગડાના જ નામેરી, તથા સમકાલીન એવા બહમની સુલતાન મહમૂદ બીજાના એલચી તરીકે મહમૂદ બેગડાના દરબારમાં રહ્યા હતા. તેમણે મહમૂદ બેગડાના કહેવાથી ‘તબકાતે મહમૂદશાહી’ નામનો ગ્રંથ લખ્યો હતો, જે તેમના પોતાના નામથી ‘તબકાતે અબ્દુલ…
વધુ વાંચો >અબ્દુલ ‘બહાવ’
અબ્દુલ ‘બહાવ’ (1845-1914) : કાશ્મીરી લેખક. કાશ્મીરના હાજિત ગામમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ. અનેક ફારસી ગ્રંથોનો તેમણે કાશ્મીરી છંદોબદ્ધ કવિતામાં અનુવાદ કર્યો છે, જેમાં મુખ્ય છે ફિરદૌસીનું ‘શાહનામા’ તથા હમીદુલ્લાહનું ‘અકબરનામા’. એમની મૌલિક રચનાઓમાં ઉલ્લેખપાત્ર છે, ‘હફ્ત કિસ્સા મકરેજન’, ‘કિસ્સા-એ-બહાર દરવેશ’, ‘કિસ્સા-એ-બહરામગર’, ‘સૈલાબનામા’ અને ‘કારિ પટવાર’. એમના બીજા એક…
વધુ વાંચો >અબ્દુલ મલિક (1)
અબ્દુલ મલિક (1) (જ. 646 મદિના, સાઉદી અરેબિયા; અ. 9 ઑક્ટોબર 705 દમાસકસ) : ઉમૈયાહ ખલીફાઓ પૈકી એક. આખું નામ અબ્દુલ મલિક બિન મર્વાન બિન હકમ. તેની ખિલાફત વીસ વર્ષ (685-705) સુધી રહેલી. તેની ખિલાફત દરમિયાન અરબોએ, બિનઅરબો ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ભોગવ્યું. સરકારી હિસાબ ફારસીને બદલે અરબીમાં લખાવા શરૂ થયા;…
વધુ વાંચો >અબ્દુલ મલિક (2)
અબ્દુલ મલિક (2) (જ. 15 જાન્યુઆરી 1919, ગોલાઘાટ, આસામ; અ. 19 ડિસેમ્બર 2000, જોરહટ) : અસમિયા કવિ અને વાર્તાકાર. આસામના નોઆગોંગ નગરમાં જન્મ. એમ. એ. સુધીનું શિક્ષણ પહેલાં નોઆગોંગમાં અને પછી ગુવાહાટી વિશ્વવિદ્યાલયમાં લીધું. પછી આસામ સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધી. વાર્તાઓ તથા કવિતામાં ડાબેરી દૃષ્ટિકોણ હોવાને લીધે તેમણે સામાન્ય…
વધુ વાંચો >અબ્દુલ મુત્તલિબ
અબ્દુલ મુત્તલિબ (ઈ. છઠ્ઠી સદી) : હઝરત મોહંમદના દાદા. રસૂલે ખુદાના મોટા દાદા હાશિમ વેપારાર્થે સિરિયા જતાં રસ્તામાં મદીનામાં રોકાયા. ત્યાં એમણે બની નજ્જારના વંશની સલમા સાથે લગ્ન કર્યાં, ત્યાંથી સિરિયા જતાં હાશિમનું અવસાન થયું. સલમા સગર્ભા હતાં. એમને જે પુત્ર અવતર્યો તેનું નામ શયબા રાખવામાં આવ્યું. તે આઠ વર્ષ…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >