ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અપરાજિતા (1)

અપરાજિતા (1) : બંગાળી નવલકથા (1932) અને ફિલ્મ (1956). બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પથેર પાંચાલી’ નવલકથાના અનુસંધાનમાં આ નવલકથા લખાઈ છે. બંને નવલકથાઓ લેખકના જીવન પર આધારિત છે. બાળપણથી જ પ્રકૃતિની ગોદમાં ઊછરેલી વ્યક્તિનું માનસ કેવું ઘડાય છે તે કથાનાયક અપુના પાત્ર દ્વારા લેખકે દર્શાવ્યું છે. અપુને પ્રાકૃતિક તત્ત્વો…

વધુ વાંચો >

અપરાજિતા (2)

અપરાજિતા (2) (1972) : સિંધી વાર્તાસંગ્રહ. રચયિતા ગુનો સમતાણી. 1950થી 1968 સુધીમાં લખાયેલી છ વાર્તાઓ એમાં સંકલિત છે. આ પુસ્તકને માટે લેખકને 1972નો વર્ષના શ્રેષ્ઠ સિંધી પુસ્તકનો પુરસ્કાર મળેલો. આ વાર્તાઓનો જુદો જુદો પરિવેશ હોવા છતાં કથાનકોનું લક્ષ્ય તો એક જ રહ્યું છે. એ છે મર્ત્ય શરીરમાં અમર્ત્ય એવા પ્રેમની…

વધુ વાંચો >

અપરાધ

અપરાધ : જુઓ, ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

વધુ વાંચો >

અપરાધભાવ

અપરાધભાવ (guilt-feeling) : પોતે જ અપરાધ કર્યો હોય તેવી લાગણી. સર્વ પ્રાણીઓમાં માનવી જ એક એવું પ્રાણી છે, જે અપરાધભાવ અનુભવવા અને તેનું પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પોતાની માન્યતા મુજબ કે સામાજિક ધારાધોરણો મુજબ વ્યવહાર ન કરી શકે તો વ્યક્તિ અપરાધભાવનો અનુભવ કરે છે. ફ્રૉઇડના મંતવ્ય મુજબ માનવ-વ્યક્તિત્વ ત્રણ…

વધુ વાંચો >

અપરાધવિજ્ઞાન

અપરાધવિજ્ઞાન ગુનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, ગુનાઓ પર અંકુશ, ગુનેગારોને ફરમાવવામાં આવતી સજાઓનું સ્વરૂપ વગેરે બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અપરાધ એટલે કોઈ પણ સમુદાયે જે તે સ્થળે અને સમયે વિધિવત્ અપનાવેલ અને અમલમાં મૂકેલ કાયદાનું ઉલ્લંઘન. માત્ર સામાજિક અને સાંસ્કારિક મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિના અપેક્ષિત વર્તનને કાયદાનું નામ આપી શકાય નહિ. એ અપરાધની…

વધુ વાંચો >

અપરાંત

અપરાંત : પશ્ચિમ ભારતનો નર્મદાથી થાણે સુધીનો પ્રદેશ મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણોમાં ‘અપરાંત’ના એક ભાગ તરીકે ઉલ્લેખાયેલ ‘આંતર નર્મદ’ પ્રદેશ. તેને માર્કંડેય પુરાણમાં ‘ઉત્તર નર્મદ’ કહ્યો છે. આથી આંતર નર્મદ ‘અનૂપ’ને સમાવી લેતો આજના ગુજરાતનો દક્ષિણનો પ્રદેશ હોઈ શકે. ‘અનૂપ’, ‘નાસિક્ય’, ‘આંતર નર્મદ’ અને ‘ભારુકચ્છ’ પ્રદેશોને પોતામાં સમાવી લેતો…

વધુ વાંચો >

અપરિગ્રહ

અપરિગ્રહ : વસ્તુ, શરીર કે વિચારના પરિગ્રહનો અભાવ. જીવનની અત્યંત આવશ્યક વસ્તુ તે હવા. એના વિના જીવન ક્ષણભર પણ ટકી ન શકે એટલે કુદરતે જીવમાત્રને માટે હવા વિપુલ પ્રમાણમાં બક્ષી છે. એને માટે જીવને કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજી આવશ્યક વસ્તુ તે પાણી. એનો પણ ઘણો મોટો સંગ્રહ પૃથ્વી…

વધુ વાંચો >

અપરૂપણ ગુણાંક

અપરૂપણ ગુણાંક (shearing modulus) : ઘન પદાર્થ ઉપર અનુપ્રસ્થ (transverse) આંતરિક બળ લાગતાં તેના સ્થિતિસ્થાપક ગુણ ઉપર થતી અસર દર્શાવતો અચલાંક. ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ A હોય અને સપાટીની સમાંતર દિશામાં લગાડેલ બળ F હોય તો અપરૂપણ પ્રતિબળ (stress) F/A થાય છે. આને પરિણામે થતી અપરૂપણ વિકૃતિ (strain) θ હોય…

વધુ વાંચો >

અપવાદનો નિયમ (સિદ્ધાંત)

અપવાદનો નિયમ (સિદ્ધાંત) : અપવાદને આધારે બંધાયેલો સંચાલનનો મૂળભૂત સિદ્ધાંત. તેના પાયામાં એક નિશ્ચિત તર્ક રહેલો છે : (1) કોઈ પણ મૂલ્ય ગુણ કે ઘટના વિશે સૌપ્રથમ અપેક્ષિત સામાન્ય સરેરાશ ધોરણે શું છે તે નક્કી કરવું; (2) વ્યવહારમાં તેનાથી અલગ પડતા અપવાદ કે વિચલનની નોંધ કરી તેની માત્રા કેટલી છે…

વધુ વાંચો >

અપવારિત

અપવારિત : સંસ્કૃત નાટકોમાં આવતું પાત્રોના સંવાદને લગતું નાટ્યસૂચન. રંગમંચ ઉપર કોઈ પાત્ર મોઢું બીજી બાજુ ફેરવીને ત્યાં હાજર રહેલ અન્ય પાત્રને ગુપ્ત વાત સંભળાવે તે અભિનય કે અભિવ્યક્તિને ‘અપવારિત’ કહેવામાં આવે છે. રંગમંચ ઉપર થતા પાત્રોના સંવાદો (1) સર્વશ્રાવ્ય, (2) નિયતશ્રાવ્ય અને (3) સ્વગત – એમ ત્રણ પ્રકારના હોય…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >