ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
આગ્રે, પીટર
આગ્રે, પીટર (Agre, Peter) (જ. 30 જાન્યુઆરી 1949, નૉર્થફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જીવરસાયણવિદ (biochemist) અને 2003ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. આગ્રેએ 1970માં ઑગ્સબર્ગ કૉલેજ, મિનિયાપૉલિસમાંથી રસાયણશાસ્ત્ર મુખ્ય વિષય સાથે બી.એ.ની જ્યારે 1974માં બાલ્ટિમોરની જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી એમ.ડી.ની પદવી મેળવી હતી. 1981માં અનુસ્નાતક તાલીમ માટે ફેલોશિપ…
વધુ વાંચો >આઘાત
આઘાત (shock) : તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર માગી લેતું લોહીના ભ્રમણનું બંધ થવું કે ખૂબ ઘટી જવું તે. શરીરમાંના લોહીના ભ્રમણને રુધિરાભિસરણ (blood circulation) કહે છે. તેનો ભંગ થવાથી શરીરના કોષોને જીવનજરૂરી દ્રવ્યો મળતાં બંધ થાય છે. તે કોષોમાંનાં હાનિકારક દ્રવ્યો ત્યાં જ પડી રહે છે. પરિણામે કોષપટલો(cell membranes)ની કાર્યક્ષમતા ઘટે…
વધુ વાંચો >આઘાત આકૃતિ
આઘાત આકૃતિ (percussion figure) : ખનિજ પર આઘાત આપીને મેળવાતી તારક આકૃતિઓ. પોલાદનું બુઠ્ઠી અણીવાળું ઓજાર (punch) સંભેદિત પડરચનાવાળાં કેટલાંક ખનિજોની છૂટી પાડેલી માફકસરની પાતળી તકતીઓ (cleaved plates) પર મૂકીને આછો ફટકો મારવાથી ત્રણ, ચાર કે છ રેખીય વિકેન્દ્રિત કિરણ જેવી તારક આકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે. આ પદ્ધતિ અખત્યાર…
વધુ વાંચો >આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય
આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય (anaphylactic shock) : થોડીક જ મિનિટમાં સખત ઍલર્જીને કારણે થતું લોહીના ભ્રમણનું ભંગાણ. તેને તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય આઘાત પણ કહે છે. ઈસુ ખ્રિસ્તથી 2,6૦૦ વર્ષ પહેલાં, ઇજિપ્તનો રાજા મેનેસ ભમરાના ડંખથી તત્કાલ મૃત્યુ પામ્યો હતો તે કદાચ આ વિકારનો સૌપ્રથમ નોંધાયેલો દાખલો છે. નોબેલ પારિતોષિકવિજેતાઓ રિચેટ અને પૉર્ટિયરે…
વધુ વાંચો >આઘાતની ઔષધચિકિત્સા
આઘાતની ઔષધચિકિત્સા (drug therapy of shock) : આઘાતની ઔષધો વડે સારવાર. આઘાતની ઔષધચિકિત્સા માટે વિવિધ ઔષધો ઉપયોગી છે. ઔષધો વડે લોહીનું દબાણ જાળવી રાખી શકાય છે, હૃદયની કામગીરીમાં તકલીફ ઊભી થયેલી હોય તો તેને સુધારી શકાય છે, ચેપને કારણે આઘાત થયો હોય તો ચેપકારી જીવાણુઓનો નાશ કરી શકાય છે, તીવ્ર…
વધુ વાંચો >આઘાત, સપૂયરુધિરતાજન્ય
આઘાત, સપૂયરુધિરતાજન્ય (septicaemic shock) : જીવાણુઓ(bacteria)ના વિષથી લોહીના ભ્રમણમાં ઊભી થતી તકલીફ. જીવાણુઓના અભિરંજન(staining)ની વૈજ્ઞાનિક ગ્રામની પદ્ધતિમાં અભિરંજિત ન થતા, ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુઓનું અંત:વિષ (endotoxin) જ્યારે લોહીમાં પ્રવેશે ત્યારે રુધિરાભિસરણમાં ખલેલ પડે છે અને પેશીઓને મળતા લોહીનો પુરવઠો ઘટે છે. ક્યારેક ગ્રામ-અભિરંજિત (gram-positive) જીવાણુઓ પણ આવી પરિસ્થિતિ સર્જે છે. મહદ્…
વધુ વાંચો >આઘાત, હૃદયજન્ય
આઘાત, હૃદયજન્ય (cardiogenic shock) : હૃદયના વિકારને કારણે ઘટી ગયેલા લોહીના દબાણનો વિકાર. હૃદયના વિવિધ રોગોમાં આ પરિસ્થિતિ સર્જાય છે; દા. ત., હૃદયરોગનો હુમલો (acute myocardial infarction), હૃદ્સ્નાયુશોથ (myocarditis), પ્રાણવાયુ-અલ્પતા (hypoxia), અમ્લતા (acidosis), હૃદયના વાલ્વ(કપાટ)ની ખામી, હૃદયના પડદામાં છિદ્ર પડવું, પેપિલરી સ્નાયુનું ફાટવું, હૃદયની અતિ ઝડપી, અતિ ધીમી કે અનિયમિત…
વધુ વાંચો >આચારાંગ સૂત્ર
આચારાંગ સૂત્ર : અંગશાસ્ત્રોમાંનું પ્રથમ અંગશાસ્ત્ર. પ્રાચીન ભારતીય સાહિત્યમાં જૈન આગમોનું અનોખું ગૌરવપૂર્ણ સ્થાન છે. જૈન આગમ સાહિત્ય એ ભારતીય સાહિત્યની અમૂલ્ય ઉપલબ્ધિ છે. જૈનાગમોમાં પ્રમુખ શાસ્ત્રોને અંગશાસ્ત્ર કહેવામાં આવે છે. તેની સંખ્યા 12ની છે. જેમાં હાલ 11 શાસ્ત્ર છે. 12મા અંગશાસ્ત્રનો વિચ્છેદ થઈ ગયો છે એમ કહેવાય છે. આ…
વધુ વાંચો >આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ
આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ (જ. 17 નવેમ્બર 1926, ઊંઝા અ. 2020) : ગુજરાતના કાર્ટૂન-ચિત્રકાર અને અર્થશાસ્ત્રના નિષ્ણાત. નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. રવિશંકર રાવળના કલાસંઘમાં પણ તાલીમ લીધી. અર્થશાસ્ત્રના વિષય સાથે બી. એ. (1947), એમ. એ. (1949) અને લઘુતમ વેતન અંગે સંશોધન-નિબંધ લખી પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. એ પછી પેટ્રોલિયમ કંપનીમાં…
વધુ વાંચો >આચાર્ય, કેશવદાસ
આચાર્ય, કેશવદાસ (જ. 1555 ઓરછા બુંદેલખંડ; અ. 1617) : હિન્દીના પ્રસિદ્ધ કવિ અને કાવ્યજ્ઞ. ઓરછાનરેશ રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહની સભાના તેઓ કવિ હતા. તેમના ઘરાનામાં સંસ્કૃતની પરંપરા હતી, પરંતુ કેશવદાસે વ્રજ ભાષામાં કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કેશવદાસ રીતિકાલના પ્રવર્તક હતા. તેમની રચનાઓ શાસ્ત્રીય અને રીતિબદ્ધ છે. કાવ્યમાં અલંકારનું સ્થાન પ્રધાન હોવું…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >