ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
આઇલ્સ
આઇલ્સ : પાશ્ચાત્ય સંસ્કૃતિનાં દેવળોમાં દેવળના વચ્ચેના ભાગની બાજુમાં દેવળની અંદર ફરવાની સમાંતર જગ્યાઓ. ઘણુંખરું આ જગ્યાઓ સ્તંભોની કતારથી વચ્ચેના ભાગથી અલગ પડતી અને મુખ્ય ખંડના પ્રમાણમાં તે નીચી રહેતી. તેનો બીજો મજલો પણ રાખવામાં આવતો, જેથી ભાવિકો ઉપરના ભાગમાં પણ જઈ શકે અને ધાર્મિક પ્રસંગોમાં વધુ ભાવિકો દેવળની અંદર…
વધુ વાંચો >આઇવન્હો
આઇવન્હો (1819) : બ્રિટિશ લેખક સર વૉલ્ટર સ્કૉટ(1771-1832)ની નવલકથા. એમાં ઇંગ્લૅંડના રાજા સિંહહૃદયી પ્રથમ રિચાર્ડના સમયની વાત છે. સૅક્સન અને નૉર્મન લોકો વચ્ચે દુશ્મનાવટ હતી. કથાનાયક આઇવન્હો અને રાજા રિચાર્ડ બંને છૂપા વેશમાં હોય છે. આઇવન્હો (વિલ્ફ્રેડ) સૅક્સન ઠાકોર સેડ્રિકનો પુત્ર છે. તે તેના પિતાની આશ્રિત કન્યા રોવેનાને ચાહે છે.…
વધુ વાંચો >આઇસક્રીમ
આઇસક્રીમ : થિજાવેલા દૂધની એક વાનગી. આઇસક્રીમને મળતી વાનગી ચીનમાંથી યુરોપમાં 1295માં માર્કોપોલો લાવ્યો હોવાનો ઉલ્લેખ છે. જોકે આધુનિક આઇસક્રીમની શરૂઆત ફ્રેન્ચોએ કરી હતી. આઇસક્રીમ ઠંડીથી થિજાવેલ આહલાદક, સુપાચ્ય, પૌષ્ટિક દુગ્ધાહાર છે. તેની બનાવટમાં દૂધ, મલાઈ, ઘટ્ટ દૂધ, દૂધનો પાઉડર, ખાંડ, સુગંધી દ્રવ્યો, ખાદ્ય રંગો અને તેને સ્થાયિત્વ બક્ષનાર (stabiliser)…
વધુ વાંચો >આઇસલૅન્ડ
આઇસલૅન્ડ : સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં 800 કિમી. દૂર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ. વિસ્તાર : 1,03,000 ચોકિમી. ત્યાં ધરતીકંપો વારંવાર થાય છે, પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. કુલ 200માંથી 30 જેટલા જ્વાળામુખી સક્રિય છે. અહીં નવા નવા બર્ફાચ્છાદિત જ્વાળામુખી શોધાતા રહે છે જે સક્રિય જ્વાળામુખી છે. મિશિગન સરોવરના કિનારે `બીઝારે’ બર્ફાચ્છાદિત…
વધુ વાંચો >આઇસલૅન્ડનું સાહિત્ય
આઇસલૅન્ડનું સાહિત્ય : આઇસલૅન્ડની ભાષા જૂની સ્કૅન્ડિનેવિયન ભાષામાંની છે. શિક્ષણ સારી રીતે વ્યાપેલું હોવાથી આ નાનકડા દેશની સાહિત્યિક પ્રવૃત્તિ ખૂબ ફેલાયેલી છે. તેનું મધ્યકાલીન સાહિત્ય સમૃદ્ધ છે. મધ્યકાલીન આઇસલૅન્ડનું સાહિત્ય ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય : (1) એડ્ડિક કવિતા અથવા એડ્ડાકાવ્યો. આ કવિતામાં પૌરાણિક અને વીરરસનાં કાવ્યો છે. (2) સ્કાલ્ડિક…
વધુ વાંચો >આઇ. સી. એન. વી.
આઇ. સી. એન. વી. (International Committee of Nomen clature of Viruses) : વિષાણુઓનાં વર્ગીકરણ અને નામાભિધાન માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સમિતિની નવમી બેઠક 1960માં વિષાણુઓ(viruses)ના વર્ગીકરણ માટે મળી હતી. તેમાં પી. સી. એન. વી.(પ્રૉવિઝનલ કમિટી ફૉર નોમેનક્લેચર ઑવ્ વાયરસિઝ)ની ભલામણો ઉપર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલી, અને અંતે નવી આઇ. સી.…
વધુ વાંચો >આઇસોઇટેલ્સ
આઇસોઇટેલ્સ : ત્રિઅંગી (pteridophyte) વનસ્પતિઓના વિભાગ લાયકોફાઇટામાં આવેલા વર્ગ જિહવિકાધારી(Ligulopsida)નું એક ગોત્ર. આ ગોત્રમાં આઇસોઇટેસી નામના એક જ કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે આઇસોઇટિસ (Isoetes) અને સ્ટાયલાઇટિસ (Stylities) નામની બે જીવંત પ્રજાતિઓ ધરાવે છે. આઇસોઇટિસની લગભગ 75 જેટલી જાતિઓ થાય છે; તે પૈકી ભારતમાં 6 જાતિઓ નોંધાઈ છે. Isoetes…
વધુ વાંચો >આઇસોગાયર્સ
આઇસોગાયર્સ : વ્યતિકરણ આકૃતિઓમાં વિલોપ દર્શાવતા કાળા ભાગ. એકાક્ષી અને દ્વિઅક્ષી ખનિજછેદોની સમાંતર ધ્રુવીભૂત પ્રકાશ તેમજ કેન્દ્રાભિસારી પ્રકાશ(convergent light)માં પરખ-પરીક્ષણ કરવામાં આવે છે. અભિબિંદુ-પરીક્ષણ દરમિયાન એકાક્ષી અને દ્વિઅક્ષી દ્વિવક્રીભૂત ખનિજછેદો અમુક ચોક્કસ પ્રકારની વ્યતિકરણ-આકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ આકૃતિઓ સામાન્ય રીતે ગોળાકાર કે લંબગોળાકાર રંગપટ્ટાઓની બનેલી હોય છે, જે કાળી…
વધુ વાંચો >આઇસોથાયોસાયનેટ્સ
આઇસોથાયોસાયનેટ્સ (isothiocynates) : -N = C = S સમૂહ ધરાવતાં સંયોજનો. રાઈ(mustard)ના ભૂકાને ભીનો કરીને રાખતાં તેમાંના સિનિગ્રીન ગ્લાયકોસાઇડનું માયરોસીન ઉત્સેચક વડે જલવિઘટન થતાં એલાઇલ આઇસોથાયોસાયનેટ મળે છે. તેથી આ વર્ગને રાઈના તેલ(mustard oil)નો વર્ગ પણ કહે છે. આ સંયોજનો તીવ્ર વાસવાળાં, પાણીમાં અદ્રાવ્ય અને ત્વચા ઉપર ફોલ્લો પાડી દે…
વધુ વાંચો >આઇસોપ્રીન
આઇસોપ્રીન (isoprene) : 2-મિથાઇલ – 1,3 – બ્યૂટાડાઈન. તેનું સૂત્ર CH2 = C(CH3)-CH = CH2 છે. તે રંગવિહીન પ્રવાહી છે. ઉ. બિ. 34.1, વિ. ઘ. 0.862. કુદરતમાં તે મળતું નથી પરંતુ ડામર, નેપ્થા, રબર વગેરેનું વિચ્છેદક નિસ્યંદન (destructive distillation) કરવાથી તે મળે છે. ઑટો વેલાકે ટર્પીનના બંધારણીય એકમ તરીકે આઇસોપ્રીનને…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >