૧.૨૦

અર્ધચંદ્રાકાર ઢૂવાથી અલંકાર સંપ્રદાય

અલંકરણ અને સુશોભન

અલંકરણ અને સુશોભન (લોકકળા)  જીવનમાં રસાનંદ માટે લોકસમાજે પ્રયોજેલા સૌંદર્ય-શોભાવર્ધક કલાકીમિયા. માનવ સુશોભન અને અલંકરણપ્રિય હોવાથી જીવન તેમજ સંસ્કૃતિઉત્થાનના દરેક તબક્કે એણે પોતાનો દેહ, વસ્ત્ર, ઘરબાર, સાજસરંજામ વગેરેનાં સુશોભન-આલેખનમાં અલંકૃત એવી વિવિધ આકૃતિઓ તેમજ પ્રતીકોનાં અલંકરણ પ્રયોજીને સુશોભનને અધિક સુંદર બનાવ્યું છે. જીવનના રસાનંદમાંથી અભિવ્યક્ત થતી અનુભૂતિને એણે ચિત્ર, સંગીત,…

વધુ વાંચો >

અલંકાર

અલંકાર : જુઓ, ઘરેણાં.

વધુ વાંચો >

અલંકાર (કાવ્યશાસ્ત્ર)

અલંકાર (કાવ્યશાસ્ત્ર) : કાવ્યગત કથનમાં ચારુતા લાવવા માટે સધાતું ઉક્તિવૈચિત્ર્ય. અલંકાર શબ્દના બે અર્થ થઈ શકે છે : જે વિભૂષિત કે અલંકૃત કરે છે એવો સીમિત અર્થ લેતાં, અલંકાર પદથી ઉપમા, રૂપક આદિ અલંકારો લેવાય છે; પણ જે વિભૂષિત અર્થ કરાય છે તે પણ અલંકાર એવો (વ્યાપક) અર્થ લેતાં રસ,…

વધુ વાંચો >

અલંકાર (પાશ્ચાત્ય)

અલંકાર (પાશ્ચાત્ય) (figures of speech) : વિશાળ અર્થમાં ભાષાકીય અભિવ્યક્તિને વેધક અને વધુ અસરકારક બનાવવાની એક ચમત્કૃતિજનક સાહિત્યિક પ્રયુક્તિ. તેનો મુખ્ય હેતુ લાગણીની તીવ્રતા સાધવાનો  વિચારની સ્પષ્ટતા કરવાનો હોય છે. ગ્રીક શબ્દ ‘litos’ના એકલું, સાદું, સામાન્ય તેવા અર્થ પરથી ‘દિશા બદલવી’ તેમ ‘litotes’ અલ્પોક્તિ નામનો અલંકાર પ્રસિદ્ધ થયો. અલંકાર માટે…

વધુ વાંચો >

અલંકારકૌસ્તુભ

અલંકારકૌસ્તુભ : જુઓ, કવિ કર્ણપુર.

વધુ વાંચો >

અલંકારચિંતામણિ

અલંકારચિંતામણિ (1293 આશરે) : દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય પાર્શ્વસેનના પ્રશિષ્ય અજિતસેનકૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અત્યંત સરળ સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ પરિચ્છેદમાં વિભક્ત આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રના સઘળા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે; પરંતુ શબ્દ અને અર્થના અલંકારો માટે તો ત્રણ (2, 3, 4) પરિચ્છેદો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પ્રથમ પરિચ્છેદમાં મંગલાચરણ, કાવ્યનું સ્વરૂપ,…

વધુ વાંચો >

અલંકારચૂડામણિ-1

અલંકારચૂડામણિ-1 (અલંકારશિરોમણિ) (સત્તરમી શતાબ્દી – પૂર્વાર્ધ) : તાંજોરના રાજા રઘુનાથ દીક્ષિતના સભાપંડિત, રત્નખેટનો શ્રીનિવાસ દીક્ષિતના પુત્ર રાજચૂડામણિ દીક્ષિતે લખેલો અલંકારગ્રંથ. તેમણે ‘કાવ્યદર્પણ’ ઉપરાંત ‘રુક્મિણી-કલ્યાણ’ કે ‘પરિણય’ (10 સર્ગો ધરાવતું કાવ્ય), ‘આનંદરાય’ (નાટક), ‘શૃંગારતિલક’ (ભાણ) અને ‘ભારતચમ્પૂ’ જેવા ગ્રંથો લખ્યા હોવાનું કહેવાય છે. ભગવતીપ્રસાદ પંડ્યા

વધુ વાંચો >

અલંકારચૂડામણિ-2

અલંકારચૂડામણિ-2 : સંસ્કૃત અલંકારના હેમચંદ્રવિરચિત ‘કાવ્યાનુશાસન’ ઉપર લખાયેલ ટીકા. સૂત્ર, ઉદાહરણ તથા વૃત્તિ એમ ત્રણ ભાગોમાં વિભક્ત થયેલ આ ગ્રંથમાં સૂત્રોને ‘કાવ્યાનુશાસન’, સૂત્રોની વૃત્તિને ‘અલંકારચૂડામણિ’ તથા ટીકાને ‘વિવેક’ એવું નામ આપવામાં આવેલ છે. ભગવતીપ્રસાદ પંડ્યા

વધુ વાંચો >

અલંકારમહોદધિ

અલંકારમહોદધિ (1225-26) : વસ્તુપાલના સમકાલીન, હર્ષપુરીય ગચ્છના નરચન્દ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિકૃત અલંકારશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ. રચના-સ્થળ પાટણ અથવા ધોળકા. વસ્તુપાળની વિનંતીને માન આપીને પુરોગામી અલંકારગ્રંથોને આધારે તેની રચના થઈ છે. આઠ ‘તરંગો’માં અલંકારશાસ્ત્રના વિષયો  અનુક્રમે કાવ્યનું પ્રયોજન, કારણ અને સ્વરૂપનિર્ણય, કવિશિક્ષા અને (1) શબ્દવૈચિત્ર્ય, (2) ધ્વનિનિર્ણય, (3) ગુણીભૂત વ્યંગ્ય, (4) દોષનિરૂપણ, (5)…

વધુ વાંચો >

અલંકારમંજૂષા

અલંકારમંજૂષા (અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : દેવશંકર પુરોહિતકૃત, પુણેના પેશ્વાઓની પ્રશસ્તિનાં ઉદાહરણોને વણી લેતી અલંકારો પરની નાનકડી કૃતિ. શ્રીગણેશ, શ્રીરામ અને સીતાની પ્રશસ્તિ-વંદનાથી કૃતિનો આરંભ કરવામાં આવ્યો છે. 115 અલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પૈકી 103માં પરમાલંકાર, 107થી 113માં ધ્વન્યાલંકારો અને 114 અને 115માં મિશ્રાલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કારિકામાં…

વધુ વાંચો >

અર્ધચંદ્રાકાર ઢૂવા

Jan 20, 1989

અર્ધચંદ્રાકાર ઢૂવા (barchans) (રેતીના) : તુર્કસ્તાનમાં ‘બાર્કાન્સ’ તરીકે ઓળખાતા રેતીના અર્ધચંદ્રાકાર ઢૂવા. દુનિયામાં જ્યાં જ્યાં રણપ્રદેશો આવેલા છે ત્યાં ક્યારેક એકાકી, છૂટાછવાયા જોવા મળતા એકમો તરીકે અથવા લાંબી હારમાળામાં ગોઠવાયેલા જૂથ સ્વરૂપે અથવા આજુબાજુએ એકમેકથી સંકળાયેલી શ્રેણી સ્વરૂપે રેતીના ઢૂવા મળી આવે છે. દૂરથી નિહાળતાં ઢૂવાનું સ્થળદૃશ્ય અસમાન રચનાવાળું અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

અર્ધનારીશ્વર

Jan 20, 1989

અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…

વધુ વાંચો >

અર્ધનેમિનાથ પુરાણ

Jan 20, 1989

અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે,…

વધુ વાંચો >

અર્ધપ્રતિજન

Jan 20, 1989

અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule)…

વધુ વાંચો >

અર્ધમાગધી કોશ

Jan 20, 1989

અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…

વધુ વાંચો >

અર્ધરૂપતા

Jan 20, 1989

અર્ધરૂપતા (hemihedrism or hemimorphism) : પૂર્ણરૂપતાવાળા સ્ફટિકોમાં હોઈ શકે તેનાથી ફલકોની અડધી સંખ્યા ધરાવતા સ્ફટિકોની વિશિષ્ટતા. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિકસ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક-સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમતા-અક્ષને બંને છેડે એકસરખાં પૂર્ણ સ્વરૂપો…

વધુ વાંચો >

અર્ધલશ્કરી દળો

Jan 20, 1989

અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની…

વધુ વાંચો >

અર્ધવાહક પ્રયુક્તિઓ

Jan 20, 1989

અર્ધવાહક પ્રયુક્તિઓ (Semiconductor devices) અર્ધવાહક દ્રવ્યોમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક પરિપથ(circuit)ના ઘટકો. વિવિધ પ્રકારનાં અર્ધવાહક દ્રવ્યો તથા વિવિધ પ્રક્રિયાઓ (processes) દ્વારા અનેક પ્રકારની અર્ધવાહક પ્રયુક્તિઓ શક્ય છે. સામાન્ય વપરાશમાં પ્રચલિત પ્રયુક્તિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : ડાયોડ, 2. ટ્રાન્ઝિસ્ટર, 3. થાઇરિસ્ટર, 4. પ્રકાશવિદ્યુત (photoelectric) અથવા ઑપ્ટોઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓ. ડાયોડ : અર્ધવાહક ડાયોડ બનાવવામાં…

વધુ વાંચો >

અર્ધવાહકો

Jan 20, 1989

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105…

વધુ વાંચો >

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન

Jan 20, 1989

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન (1958) : પ્રસિદ્ધ ઊડિયા લેખક ગોદાવરીશ મિશ્રની આત્મકથા. તેમાં એમણે ઓરિસાના રાજકીય અને સામાજિક, સાંસ્કૃતિક પરિવેશને મધ્યમાં રાખીને પોતાના જીવનઘડતરનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘શું લખું ? મારા જીવનમાં રોમાંચકારી ઘટનાઓ જ નથી. મારું લખાણ વિશાળ પ્રમાણમાં ન હોવા છતાં, એ અતિઅલ્પ પણ…

વધુ વાંચો >