ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વાપી

Jan 26, 2005

વાપી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 20´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે. પર તાલુકામથક પારડીથી આશરે 18 કિમી. અને જિલ્લામથક વલસાડથી આશરે 27 કિમી. દૂર આવેલું છે. તે દમણની સરહદ નજીક છે. વાપી દરિયાથી નજીક આવેલું હોવાથી ઉનાળા ઓછા…

વધુ વાંચો >

વાપુંભા (કુંભી)

Jan 26, 2005

વાપુંભા (કુંભી) : દ્વિદળી વર્ગમાં આવેલા લેસિથિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Careya arborea Roxb. (સં. કુંભા, કટભી; મ. કિન્હઈ, કિણહી; હિં. કટણી, કરહી; ક. કરીય ક્લિગેં; તે. અરાયા ડુડ્ડીપ્પા, ત. આયમા; મલ. આલમ, પેલુ; અં. કુંબી) છે. તે વિશાળ, પર્ણપાતી, 18 મી.થી 36 મી. ઊંચું વૃક્ષ છે અને…

વધુ વાંચો >

વામદેવ

Jan 26, 2005

વામદેવ : એક વૈદિક ઋષિ. ઋગ્વેદના ચોથા મંડળમાં 58 સૂક્તો છે. તેમાંથી ત્રણ સૂક્તો-અનુક્રમે 42થી 44-ને બાદ કરતાં બાકીના 55 સૂક્તોના દ્રષ્ટા ઋષિ વામદેવ ગૌતમ છે. પોતાની ગર્ભાવસ્થામાં જ એમને આત્માનુભૂતિ થઈ હતી. આ અવસ્થામાં તેમણે ઇન્દ્ર સાથે તત્વજ્ઞાન વિશે સંવાદ કર્યો હતો. આત્માનુભૂતિની સ્થિતિમાં એ કહેતા – ‘મેં જ…

વધુ વાંચો >

વામન

Jan 26, 2005

વામન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી. અલંકારશાસ્ત્રમાં રીતિવાદના સ્થાપક આ આચાર્ય વામન હતા. કલ્હણની કાશ્મીરનો ઇતિહાસ વર્ણવતી ‘રાજતરંગિણી’ નામની કાવ્યરચનામાં 4/497માં કાશ્મીરના રાજા જયાપીડના અમાત્ય વામન હોવાનો નિર્દેશ મળે છે. તેથી તેઓ કાશ્મીરી હોવાનું મનાય છે. એ સિવાય તેમના જીવન, કુટુંબ વગેરે વિશે કશી માહિતી મળતી નથી. વામનના જીવનકાળ વિશે પણ…

વધુ વાંચો >

વામન અવતાર

Jan 26, 2005

વામન અવતાર : હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો પાંચમો અવતાર. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્રોત મળે છે. વિષ્ણુએ ત્રણ ડગલાંથી સમગ્ર સૃદૃષ્ટિને વ્યાપી લીધી. (ઋ. 12-2-1718) ગોપ રક્ષણહાર અને કોઈથી ન દબાય તેવા વિષ્ણુએ ત્રણ ડગ ભર્યાં. તેથી ધર્મોને…

વધુ વાંચો >

વામનતા (dwarfism)

Jan 26, 2005

વામનતા (dwarfism) : વ્યક્તિની વિષમ રીતે ઓછી ઊંચાઈ. સામાન્ય રીતે ઠીંગણા માણસને વામન (dwarf) કહે છે. કદના વિકાસનો અટકાવ ઊંચાઈ, સ્નાયુઓ, માનસિક શક્તિ તથા લૈંગિક ક્ષમતાને પણ અસર કરી શકે છે. ધીમા વિકાસને લીધે જ્યારે વ્યક્તિ તેની ઉંમર પ્રમાણેની ક્ષમતા ન મેળવી શકી હોય તો તેને વિશિશુતા (infantalism) કે વિકુમારાવસ્થા…

વધુ વાંચો >

વામનતા કુંઠિતકાસ્થિ

Jan 26, 2005

વામનતા કુંઠિતકાસ્થિ : જુઓ વામનતા.

વધુ વાંચો >

વામન પુરાણ

Jan 26, 2005

વામન પુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યમાંનો એક ગ્રંથ. વિષ્ણુના વામન અવતાર સાથે સંકળાયેલું વૈષ્ણવ પુરાણ. આ વૈષ્ણવ પુરાણમાં કુલ 95 અધ્યાયો છે. આરંભે વર્ષાકાળના વર્ણન પછી નરની ઉત્પત્તિ, શંકરને લાગેલી બ્રહ્મહત્યા, વિષ્ણુ અને વીરભદ્રનું સ્વરૂપ અને શિવ દ્વારા કામદહન વર્ણવાયાં છે (1-6). અધ્યાય 51-53માં શંકરનો મંદરગિરિ પ્રવેશ, કાલીવિવાહ, કાલીનું પાણિગ્રહણ…

વધુ વાંચો >

વામનસ્થલી

Jan 26, 2005

વામનસ્થલી : જુઓ વંથલી.

વધુ વાંચો >

વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન

Jan 26, 2005

વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન : અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની સ્કૂલોમાં તાલીમ પામેલા શારીરિક શિક્ષણના શિક્ષકો ન હતા. ભારતની સ્કૂલોમાં શારીરિક શિક્ષણ આપવાનું કાર્ય પહેલવાનો, જિમ્નેસ્ટો તેમજ લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો કરતા હતા. આ બધા શારીરિક રીતે સશક્ત અને શારીરિક પ્રવૃત્તિઓના જાણકાર હતા; છતાં પણ ‘શારીરિક શિક્ષણના…

વધુ વાંચો >