ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

યકૃત (liver)

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

રાજન (રેઝીન)

Jan 17, 2003

રાજન (રેઝીન) : ટર્પેન્ટાઇનનું તેલ મેળવવા ઓલિયોરેઝિનનું નિસ્યંદન કરતાં પ્રાપ્ત થતો ઘન અવશેષ. તે ચીડ અથવા ચીલ કે ચીડ પાઇન તરીકે ઓળખાવાતી અનાવૃત બીજધારી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Pinus roxburghii sarg. syn. P. longafolia છે. તે વિસ્તારિત પર્ણમુકુટ ધરાવતું ઊંચું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી ભૂતાન સુધી…

વધુ વાંચો >

રાજન, બાલચન્દ્ર

Jan 17, 2003

રાજન, બાલચન્દ્ર (જ. 1920) : અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકાર, કવિ, તંત્રી તથા વિદ્વાન. તેમણે ચેન્નઈ ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં શિક્ષણ લીધું હતું; ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્ર તથા ઇંગ્લિશ – એ બંને વિષયોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ (ટ્રાઇપૉસ) મેળવી, કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજ તરફથી અંગ્રેજીમાં અપાતી પ્રથમ ફેલોશિપ મેળવી હતી. 1946માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી…

વધુ વાંચો >

રાજનંદગાંવ

Jan 18, 2003

રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ…

વધુ વાંચો >

રાજનારાયણ

Jan 18, 2003

રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં…

વધુ વાંચો >

રાજનારાયણન્, કિ.

Jan 18, 2003

રાજનારાયણન્, કિ. (જ. 16 સપ્ટેમ્બર 1923, એડઇયેવલ, જિ. ચિદંબરનગર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને નિબંધકાર. સાહિત્યિક સામયિક ‘કથાઈ સોલ્લિ’ના તમિલનાડુના સંપાદક. તેમણે 1989-90 દરમિયાન પાડિચેરી યુનિવર્સિટીના દસ્તાવેજીકરણ અને મોજણી-કેન્દ્ર ખાતે લોકવાર્તાના મુલાકાતી પ્રાધ્યાપક અને નિયામક તથા 1998-2002 દરમિયાન નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.…

વધુ વાંચો >

રાજપીપળા

Jan 18, 2003

રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ…

વધુ વાંચો >

રાજપીપળા (દેશી રાજ્ય) :

Jan 18, 2003

રાજપીપળા (દેશી રાજ્ય) : ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા…

વધુ વાંચો >

રાજપુર

Jan 18, 2003

રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન…

વધુ વાંચો >

રાજપૂતાના

Jan 18, 2003

રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii)…

વધુ વાંચો >

રાજપ્રાસાદ

Jan 18, 2003

રાજપ્રાસાદ : રાજાનું અધિકૃત નિવાસ-ભવન. નીતિસારમાં શુક્રાચાર્યે રાજપ્રાસાદના નિર્માણ અંગે જે વિગતો આપી છે તેમાં એ એક મજલાથી માંડીને 125 મજલા ધરાવતું હોય. તેનું તલ (તેનો પ્લાન) અષ્ટકોણ કે પદ્માકાર હોય, મધ્યમાં રાજસભા, આસપાસ આવાસખંડો, પ્રાંગણમાં સરોવર, કૂવા અને જલયંત્ર(ફુવારા)ની રચના કરેલી હોય તેવું વર્ણન મળે છે. વસ્તુત: રાજપ્રાસાદ એક…

વધુ વાંચો >