ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

યકૃત (liver)

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

યકૃતવિપાક (hepatic abscess)

Jan 1, 2003

યકૃતવિપાક (hepatic abscess) : યકૃતમાં ગૂમડું થવું તે. તેને યકૃતીય સપૂય ગડ પણ કહે છે. યકૃતમાં થતાં ગૂમડાં અમીબા તથા જીવાણુઓ (bacteria) દ્વારા લાગતા ચેપથી થાય છે. જીવાણુથી લાગતા ચેપમાં પરુવાળાં ગૂમડાં થાય છે માટે તેને પૂયકારી સપૂય ગડ (pyogenic abscess) પણ કહે છે. (1) અમીબાજન્ય યકૃતવિપાક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

યકૃતવૃદ્ધિ (hepatomegaly)

Jan 1, 2003

યકૃતવૃદ્ધિ (hepatomegaly) : યકૃત(liver)નું મોટું થવું તે. નવજાત શિશુના કુલ વજનના 1/18 થી 1/24 મા ભાગ જેટલા વજનનું યકૃત હોય છે જે ઘટીને 1/16મા ભાગ જેટલું થાય છે. આમ નાના બાળકમાં તેના શરીરના કદની સરખામણીમાં યકૃત મોટું હોય છે. સામાન્ય રીતે પેટના સ્નાયુઓને શિથિલ કરીને હળવે હળવે શ્વાસ લેતી અને…

વધુ વાંચો >

યકૃતશોથ, દીર્ઘકાલી (chronic hepatitis)

Jan 1, 2003

યકૃતશોથ, દીર્ઘકાલી (chronic hepatitis) : યકૃતમાં 3થી 6 મહિનાથી વધુ સમય માટે ચાલુ રહેતી શોથની પ્રતિક્રિયા. યકૃતનો દીર્ઘકાલીશોથી થયો હોય ત્યારે લોહીમાં ટ્રાન્સએમિનેઝ ઉત્સેચકો વધુ રહે છે. જો યકૃતનો ટુકડો પેશીપરીક્ષણ (biopsy) માટે બહાર કાઢીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે તો તે દીર્ઘકાલી યકૃતશોથ સૂચવતી પેશીવિકૃતિઓ જોવા મળે છે. યકૃતશોથ બી,…

વધુ વાંચો >

યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) :

Jan 1, 2003

યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) : દારૂને કારણે યકૃત(liver)માં ઉદભવતા ઉગ્ર તથા દીર્ઘકાલી શોથ (inflammation) અને કોષનાશ(necrosis)ની પ્રતિક્રિયા. ચેપ, ભૌતિક અથવા રાસાયણિક ઈજા પછી શરીરમાં પ્રતિભાવરૂપે જે પ્રતિક્રિયા ઉદભવે છે, તેને શોથ (inflammation) કહે છે. તે સમયે તે સ્થળે લોહીનું પરિભ્રમણ અને લોહીના કોષોનો ભરાવો થાય છે. તેથી ત્યાં સોજો આવે…

વધુ વાંચો >

યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral)

Jan 1, 2003

યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral) યકૃત (liver) પર આવતા પીડાકારક સોજાનો રોગ. તે મોટાભાગે ચેપી રોગ હોય છે અને તેમાં કમળો થતો હોય છે. તેને કારણે તેને ‘ચેપી કમળો’ પણ કહે છે. ચેપ, ઝેરી દ્રવ્ય કે ઈજાને કારણે ઉદભવતા પ્રતિભાવરૂપ પીડાકારક સોજાના વિકારને શોથ (inflammation) કહે છે. યકૃતમાં થતા આવા વિકારને…

વધુ વાંચો >

યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) :

Jan 1, 2003

યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) : ભારતની ધાર્મિક પરંપરાઓ અનુસાર દિવ્ય ખજાનાઓના રક્ષક અને ધનસંપત્તિના દાતા, ઉપદેવતા. હિંદુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં યક્ષોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં દેવોના દેવો, ગણદેવો અને ઉપદેવો એ ત્રણ વર્ગો મનાય છે. યક્ષોની ગણના ઉપદેવોમાં કરવામાં આવે છે. મહાભારતમાં તેમને શૂદ્રદેવતા કહ્યા…

વધુ વાંચો >

યક્ષગાન

Jan 1, 2003

યક્ષગાન : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો

વધુ વાંચો >

યક્ષગાન બયલતા (1957)

Jan 1, 2003

યક્ષગાન બયલતા (1957) : દક્ષિણ કન્નડના લોકનાટ્ય યક્ષગાનના સ્વરૂપના ઊગમ અને વિકાસને લગતો શિવરામ કારન્તનો શોધપ્રબંધ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નાટ્યવિષયનાં વિવિધ પાસાંને લગતા પોતાના ખાસ રસને લીધે કારન્ત તેમના પ્રદેશના આ કલાસ્વરૂપ તરફ આકર્ષાયા. એમાં કેટલાક ધંધાદારીઓએ તેનું વ્યાપારીકરણ કરેલું જોઈ તેમાં…

વધુ વાંચો >

યક્ષશૂર

Jan 1, 2003

યક્ષશૂર (ઈ. સ.ની છઠ્ઠી સદી) : ગુજરાતમાં મૈત્રક કાલ (ઈ. સ. 470–788) દરમિયાન મૈત્રકોના આધિપત્ય હેઠળ પોરબંદર પાસેના ઢાંક(ફંકપ્રસ્રવણ)માં થયેલ ગારુલક વંશનો રાજા. મૈત્રક કાલ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મ મોટા પ્રમાણમાં ફેલાયો હતો. ગારુલક વંશના રાજાઓ ઘણુંખરું પરમ ભાગવત હતા, પરંતુ તેઓ ધાર્મિક સહિષ્ણુતામાં માનતા હોવાથી શાક્ય વિહારોને ઉત્તેજન આપતા…

વધુ વાંચો >

યગાના ચંગેઝી

Jan 1, 2003

યગાના ચંગેઝી (જ. 17 ઑક્ટોબર 1884, અઝીમાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 4 ફેબ્રુઆરી 1956, લખનઉ) :  ઉર્દૂ કવિ અને સમીક્ષક. તેમનું પૂરું નામ મિર્ઝા વાજિદહુસેન હતું. તેમણે પ્રારંભમાં ‘યાસ’ તખલ્લુસ સાથે લેખનકાર્ય શરૂ કર્યું. પાછળથી તેઓ ‘યગાના ચંગેઝી’ના નામે જાણીતા થયા. તેમનો વંશીય સંબંધ ચંગેઝખાન સુધી પહોંચતો હોવાનું તેઓ માને છે.…

વધુ વાંચો >