ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મુદ્રિત કુમુદચંદ્ર નાટક
મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…
વધુ વાંચો >મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર
મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…
વધુ વાંચો >મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ
મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના…
વધુ વાંચો >મુનશી, કનૈયાલાલ માણેકલાલ
મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…
વધુ વાંચો >મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ
મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…
વધુ વાંચો >મુનશી, પ્રેમચંદ
મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…
વધુ વાંચો >મુનશી, લીલાવતી
મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે…
વધુ વાંચો >મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ
મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ : ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલા બે ભાઈઓ. સૌમિલ મુનશીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960ના રોજ અને શ્યામલ મુનશીનો જન્મ 14 એપ્રિલ 1962ના રોજ થયેલો. પિતાનું નામ પરેશભાઈ અને માતાનું નામ ભક્તિબહેન. આ બંને પતિ-પત્નીએ તેમના આ બંને પુત્રોમાં નાનપણથી જ સંગીતના સંસ્કાર સિંચ્યા હતા. ગુજરાતી…
વધુ વાંચો >મુનસર તળાવ
મુનસર તળાવ : સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીના સ્મરણાર્થે વીરમગામ(જિલ્લો અમદાવાદ)માં બંધાયેલું તળાવ. તે ‘માનસર તળાવ’ તરીકે પણ ઓળખાય છે. સહસ્રલિંગ તળાવ બંધાયું તે જ અરસામાં આ તળાવ બંધાયું હોવાનું મનાય છે. આ તળાવ સહસ્રલિંગની પ્રતિકૃતિ સમાન છે, પરંતુ કદમાં નાનું છે. આ તળાવનો આકાર શંખાકૃતિ જેવો છે. તળાવમાં પાણીની આવજા…
વધુ વાંચો >મુનાદી, સૈયદ અઝીમુદ્દીન
મુનાદી, સૈયદ અઝીમુદ્દીન (જ. 1890; અ. 1972) : ગુજરાતના પ્રખ્યાત પત્રકાર, કેળવણીકાર અને લેખક. તેઓ એક પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા હતા. તેમણે ‘મુસ્લિમ ગુજરાત’ નામના સાપ્તાહિકના સ્થાપક, તંત્રી, લેખક અને સંચાલક તરીકે સમાજની સેવા બજાવી હતી. તેમણે ગુજરાતી ભાષાની પોતાની આગવી શૈલી વિકસાવી હતી અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ પત્રકારત્વનાં ઊંચાં મૂલ્યો…
વધુ વાંચો >