ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મોહમ્મદ કુતુબશાહ
મોહમ્મદ કુતુબશાહ (જ. 1593; અ. 1626) : દક્ષિણ ભારતમાં ગોલકોન્ડા રાજ્યના કુતુબશાહી વંશના રાજવી (1612–1626). આખું નામ સુલતાન મોહંમદ ઉર્ફે સુલતાન મિર્ઝા. એક સદાચારી અને શાંતિપ્રિય સુલતાન તરીકે તે નોંધપાત્ર નીવડ્યા. તેમના પિતા મિર્ઝા મુહમ્મદ અમીન, ગોલકોન્ડાના પ્રખ્યાત સુલતાન ઇબ્રાહીમ કુતુબશાહ(1550–1580)ના દીકરા અને નામાંકિત સુલતાન મોહંમદ કુલી કુતુબશાહ(1580–1612)ના નાના ભાઈ…
વધુ વાંચો >મોહમ્મદ તકી ‘મીર’
મોહમ્મદ તકી ‘મીર’ (જ. 1722; અ. 1810, લખનૌ) : અઢારમા શતકના ઉર્દૂના પ્રમુખ ગઝલકાર. તેમનું નામ મોહમ્મદ તકી અને તખલ્લુસ ‘મીર’ હતું. તેમના વડવા અરબસ્તાનના હિજાઝ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને દક્ષિણ ભારત આવ્યા હતા અને ત્યાંથી ગુજરાતમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમનામાંથી કેટલાક અહીંયાં જ વસી ગયા અને કેટલાક અકબરાબાદ આગ્રા…
વધુ વાંચો >મોહમ્મદ મુજીબ
મોહમ્મદ મુજીબ (જ. 3 ઑક્ટોબર 1902, લખનૌ; અ. 31 જાન્યુઆરી 1985, દિલ્હી) : માનવતાવાદ, બિન-સાંપ્રદાયિકતાવાદ, રાષ્ટ્રવાદના ઉપાસક અને સાહિત્ય તથા સંસ્કારના પ્રચારક. તેમણે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ઉપકુલપતિ-પદે રહીને અર્ધી સદી સુધી દેશસેવા કરી હતી. તેમના પિતા મોહંમદ નસીમ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને લખનૌના જમીનદાર ઉમરાવોમાં તેમની ગણતરી…
વધુ વાંચો >મોહમ્મદ સાલિહ કમ્બૂહ
મોહમ્મદ સાલિહ કમ્બૂહ (જ.–; અ. 1651) : મુઘલ યુગના ફારસી લેખક. મુઘલ યુગમાં શહેનશાહ શાહજહાઁનો સમય ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. સ્થાપત્યની સાથે કલા અને સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું. લાહોર જેવા ઐતિહાસિક શહેરે અનેક સાહિત્યકારો અને વિદ્વાનોની ભેટ ધરી છે. મોહંમદ સાલિહ કમ્બૂહ પણ આ જ ઐતિહાસિક નગરના રહેવાસી હતા.…
વધુ વાંચો >મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ
મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ (જ. 1321, દિલ્હી; અ. 1422) : ભારતના પ્રથમ પંક્તિના સૂફી સંત અને વિદ્વાન લેખક. તેમનો મકબરો દક્ષિણમાં હાલના કર્ણાટક રાજ્યના ગુલબર્ગ શહેરમાં આવેલો છે. તેમની વય 4 વર્ષની હતી ત્યારે સુલતાન મોહમ્મદ તુઘલખના સમયમાં, તેમના પિતા તેમને દક્ષિણમાં દેવગીર લઈ ગયા. પરંતુ તેમના પિતા સૈયદ યુસુફ હુસૈની…
વધુ વાંચો >મોહરાજપરાજય નાટક
મોહરાજપરાજય નાટક : સોલંકી રાજા કુમારપાલ વિશે સંસ્કૃતમાં લખાયેલું રૂપકાત્મક નાટક. આ નાટક રચનાર કવિ યશ:પાલ મોઢવંશીય ધનદેવનો પુત્ર હતો. એ ચૌલુક્ય (સોલંકી) રાજા અજયપાલ(ઈ. સ. 1173–1176)નો મંત્રી હતો. એ સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એણે વિ. સં. 1230(ઈ. સ. 1174)ના અરસામાં ‘મોહરાજપરાજય’નામે પંચાંકી નાટકની રચના કરી હતી. આ નાટક થરાદમાં…
વધુ વાંચો >મોહંતા, પ્રફુલ્લકુમાર
મોહંતા, પ્રફુલ્લકુમાર (જ. 23 ડિસેમ્બર 1952, રૂપનારાયણ સાત્ર, કાલિયાબોર નાગાન જિલ્લો) : આસામના પૂર્વ મુખ્ય પ્રધાન અને અગ્રણી વિદ્યાર્થી નેતા. પિતા દેવકાંત અને માતા લક્ષ્મીપ્રભા. વિજ્ઞાન અને કાયદાના સ્નાતક થઈને ઑલ નાગાન જિલ્લા વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ટૂંકા ગાળામાં જ તેના પ્રમુખ ચૂંટાયા. યુવાજગત સાથે કામ કરતાં તેમનામાં નેતૃત્વના ગુણો…
વધુ વાંચો >મોહાડીકર, મીનલ
મોહાડીકર, મીનલ (જ. ?, મુંબઈ) : વ્યવસ્થાપનક્ષેત્રની અગ્રણી મહિલા તથા મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝની સર્વપ્રથમ મહિલા અધ્યક્ષા (2008–09). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. અને ત્યાર બાદ ડી.એમ.એલ.ટી. લૅબોરેટરી ટૅકનિશિયનનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા પછી મુંબઈ ખાતેની ટાટા કૅન્સર હૉસ્પિટલ, જસલોક…
વધુ વાંચો >મોહી, વાસુદેવ
મોહી, વાસુદેવ (જ. 2 માર્ચ 1944, મીરપુર ખાસ, સિંધ; હાલ પાકિસ્તાન) : સિંધી ભાષાના કવિ. તેમના ગઝલસંગ્રહ ‘બર્ફ જો ઠહેયલું’ માટે તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. એમ.એ. તથા એમ.એડ્.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અધ્યાપનક્ષેત્રમાં જોડાયા અને દુબઈની ધી ઇન્ડિયન હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ હિંદી,…
વધુ વાંચો >મોહુકો
મોહુકો (Crow, Pheasant) : ભારતભરમાં જોવા મળતું નિવાસી પક્ષી. અં. ક્રો-ફેઝન્ટ; હિં. મહોખ; ગુ. મેહુકો અને હોક્કો પણ કહેવાય છે. તેનાં નવાં નામ ધુકિયો અને ધોમરો પણ છે. તેને ‘જામનગરી કાગડો’ પણ કહે છે. નર-માદાનો રંગ એકસરખો. કદ 50.80 સેમી. કદમાં કાગડા કરતાં મોટો; માથું, ડોક ને છાતીનો ઉપલો ભાગ…
વધુ વાંચો >