ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
મિશ્રધાતુઓનું પૃથક્કરણ
મિશ્રધાતુઓનું પૃથક્કરણ (Analysis of alloys) મિશ્રધાતુમાં કયું તત્વ કેટલા પ્રમાણમાં હાજર છે તેનું નિર્ધારણ. સામાન્ય રીતે શુદ્ધ સ્વરૂપે ધાતુ ઓછી વપરાય છે, કારણ કે ધાતુનો જે હેતુ માટે ઉપયોગ કરવાનો હોય તેને અનુરૂપ તેના ગુણધર્મો મેળવવા માટે શુદ્ધ ધાતુમાં ઓછાવત્તા પ્રમાણમાં એક અથવા વધુ અન્ય ધાતુ ઉમેરી મિશ્રધાતુ બનાવવામાં આવે…
વધુ વાંચો >મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ
મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ (જ. 29 માર્ચ 1913, નરસિંહપુરા, હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 20 ફેબ્રુઆરી 1985) : હિંદી ભાષાના કવિ. નરસિંહપુરા ગામમાં પ્રારંભિક કેળવણી મેળવી. એ પછી સોહાગપુર અને જબલપુરમાં પણ તેમણે શિક્ષણ મેળવ્યું. 1934–35માં ત્યાં જ બી. એ. થયા. પછી એક શાળા ખોલી, જેમાં તેમના પિતાશ્રીનો મહત્વનો ફાળો હતો. તેમાં ગાંધી-વિચારને…
વધુ વાંચો >મિશ્ર, મયાનંદ
મિશ્ર, મયાનંદ (જ. 17 ઑગસ્ટ 1934, બૈનનિયા, બિહાર; અ. 31 ઑગસ્ટ 201, પટણા) : મૈથિલી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મંત્રપુત્ર’(1986)ને સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મુઝફ્ફર ખાતેની બિહાર યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી તેમજ મૈથિલી – એ બંનેમાં એમ.એ.ની ડિગ્રીઓ મેળવી હતી. બિહાર યુનિવર્સિટીમાં તેમણે મૈથિલીના પ્રોફેસર તરીકે તેમજ સહરસા…
વધુ વાંચો >મિશ્રમંજરી
મિશ્રમંજરી (1963) : તેલુગુ છંદ-કાવ્યોનો અદ્યતન સંગ્રહ. આ કૃતિને 1965ના વર્ષનો ભારતીય કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિના રચયિતા રાયપ્રોલુ સુબ્બારાવ આચાર્યે (જ. 1892) તેમાં પ્રેમનો વિષય છેડ્યો છે. પ્રેમ તમામ નૈતિકતાનું રહસ્ય છે અને પ્રેમનું હાસ્ય વિશ્વને પ્રકાશિત કરે છે, એવી ભાવનાની તેમાં પ્રતીતિ થાય છે.…
વધુ વાંચો >મિશ્ર, રાજન
મિશ્ર, રાજન (જ. 1 ઑગસ્ટ 1951, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. પિતાનું નામ હનુમાનપ્રસાદ, જેઓ પોતે વિખ્યાત સારંગીવાદક અને સંગીતકાર હતા. માતાનું નામ ગગનદેવી, જેઓ સંગીતકારોના પરિવારમાં જન્મેલાં. રાજન મિશ્રે બાળપણથી જ સંગીતની સાધનાની શરૂઆત કરેલી. તેમના પરિવારમાં છેલ્લાં ત્રણ સો વર્ષોથી શાસ્ત્રીય સંગીતનો વારસો ચાલતો…
વધુ વાંચો >મિશ્ર, રાજેન્દ્ર
મિશ્ર, રાજેન્દ્ર (જ. 1943, દ્રોણીપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના લેખક. રાજેન્દ્ર મિશ્રની સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 1964માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી તેજસ્વી હતી. 1966માં તેમણે ડી. ફિલ.ની ઉપાધિ મેળવી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામગીરી બજાવવા…
વધુ વાંચો >મિશ્ર, સતીશચન્દ્ર
મિશ્ર, સતીશચન્દ્ર (જ. 22 જુલાઈ 1925; હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 23 સપ્ટેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના સલ્તનત કાળના નામાંકિત ઇતિહાસકાર. તેમણે એમ. એ. તથા પીએચ.ડી.નો અભ્યાસ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો હતો. પીએચ.ડી. માટે તેમણે ‘શેરશાહ સૂર’ વિશે મહાનિબંધ લખ્યો હતો. ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શેખ અલાદુન રશીદના સંશોધનમદદનીશ…
વધુ વાંચો >મિશ્ર, સાજન
મિશ્ર, સાજન (જ. 7 જાન્યુઆરી 1956, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી શાસ્ત્રીય સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતા પંડિત હનુમાનપ્રસાદ મિશ્ર પોતે અગ્રણી સારંગીવાદક હતા, જેમની પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. માતાનું નામ ગગનદેવી. પિતા ઉપરાંત જાણીતા…
વધુ વાંચો >મિશ્ર, સૌભાગ્યકુમાર
મિશ્ર, સૌભાગ્યકુમાર (જ. 1941, બરહામપુર, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દ્વા સુપર્ણા’ બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને હાલ બરહામપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેમનાં 6 કાવ્યસંગ્રહો, 2 વિવેચનગ્રંથો…
વધુ વાંચો >માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >