ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મતાધિકાર

Jan 3, 2002

મતાધિકાર : લોકશાહી શાસનવ્યવસ્થામાં પુખ્તવયના સર્વ નાગરિકોને બંધારણ દ્વારા પ્રાપ્ત થતો મુખ્ય રાજકીય અધિકાર. વ્યક્તિનું વ્યક્તિત્વ વિકસે, ગૌરવ વધે અને નાગરિક રાજકીય જીવનમાં સક્રિય બને તથા નાગરિકતાનો વિકાસ થાય તે માટે અધિકારો આપવામાં આવે છે. આવા અધિકારો મૂળભૂત અધિકાર હોવાથી તેનો સમાવેશ જે તે દેશના બંધારણમાં કરવામાં આવે છે. બંધારણ…

વધુ વાંચો >

મતિપ્રક્ષાલન

Jan 3, 2002

મતિપ્રક્ષાલન (brainwashing) : વ્યક્તિને સહેતુક વિચારશૂન્ય કરી અન્ય મતનું આરોપણ કરવાની પદ્ધતિ. આ હેતુ માનસિક યાતના યા અન્ય માર્ગે સિદ્ધ કરવામાં આવે છે. આ પદ્ધતિના મુખ્ય ત્રણ તબક્કાઓ છે : પ્રથમ તબક્કામાં સજા પામનાર વ્યક્તિને તેના અન્ય તમામ સાથીઓ કે સહકર્મચારીઓથી અલગ કે તદ્દન વિખૂટી પાડી દેવામાં આવે છે. વળી…

વધુ વાંચો >

મત્તવિલાસપ્રહસનમ્

Jan 3, 2002

મત્તવિલાસપ્રહસનમ્ : સંસ્કૃતમાં મહેન્દ્રવિક્રમે રચેલું પ્રહસન પ્રકારનું રૂપક. એમાં થયેલા ઉલ્લેખ મુજબ પલ્લવ વંશના રાજા સિંહવિષ્ણુવર્માના પુત્ર મહેન્દ્રવિક્રમવર્મા (પ્રથમ) આ પ્રહસનના લેખક છે. સિંહવિષ્ણુવર્મા સમય 575થી 6૦૦ સુધીનો મનાય છે. વિવિધ શિલાલેખોના પરીક્ષણથી મહેન્દ્રવિક્રમ રાજાનાં ‘ગુણભર’, ‘શત્રુમલ્લ’, ‘મત્તવિલાસ’, ‘અવનિભંજન’ વગેરે ઉપનામો મળી આવે છે; જેનો ઉલ્લેખ આ પ્રહસનમાં થયેલો છે.…

વધુ વાંચો >

મત્તાનચેરી

Jan 3, 2002

મત્તાનચેરી : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રકાંઠે, કોચીન પાસે આવેલું એક જૂનું નગર. 197૦માં આ નગરને કોચીનમાં ભેળવી દેવામાં આવેલું છે. આ નગર વિશેષે કરીને તો યહૂદી કોમના ‘પરદેશી દેવળ’ તેમજ કોચીનના રાજાઓના મહેલ માટે જાણીતું છે. આ પરદેશી દેવળ 1568માં બાંધવામાં આવેલું. 1664માં પૉર્ટુગીઝો દ્વારા તેના કેટલાક ભાગનો નાશ થયેલો,…

વધુ વાંચો >

મત્સરી

Jan 3, 2002

મત્સરી : જુઓ ભાવક

વધુ વાંચો >

મત્સ્ય (અવતાર)

Jan 3, 2002

મત્સ્ય (અવતાર) : ભારતીય પુરાણો મુજબ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંનો પ્રથમ અવતાર. તેને લીલાવતાર પણ કહે છે. પુરાણો મુજબ, વિષ્ટણુના 24 અવતારો છે. શ્રીમદભાગવત આમાંથી દશને મુખ્ય ગણે છે. વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો, ત્યારે જે પુરાણનું કથન કર્યું હતું, તે ‘મત્સ્યપુરાણ’ કહેવાય છે. અઢાર મહાપુરાણોમાં ક્રમમાં તે સોળમું…

વધુ વાંચો >

મત્સ્ય (પ્રદેશ)

Jan 3, 2002

મત્સ્ય (પ્રદેશ) : સપ્તસિંધુ-પ્રદેશમાં આવેલો એક ભૂ-ખંડ. હાલનો પૂર્વ રાજસ્થાનનાં ભરતપુર, અલવર, ધૌલપુર અને કરૌલીનો પ્રદેશ પ્રાચીન કાળમાં મત્સ્યદેશ કહેવાતો. 1948માં તે મત્સ્ય યુનિયન કહેવાયો અને પછી સાર્વભૌમ ભારતમાં મળી ગયો. ઋગ્વેદ(VII/18/6)માં વર્ણવાયેલા દાશરાજ્ઞ યુદ્ધમાં મત્સ્ય જાતિનો ઉલ્લેખ છે. તેઓ સુદાસના પ્રતિપક્ષમાં હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શૂરસેન અને મત્સ્ય પ્રદેશોને બ્રહ્મર્ષિના…

વધુ વાંચો >

મત્સ્ય ગરુડ

Jan 3, 2002

મત્સ્ય ગરુડ (Pallas’s Fishing Eagle) : ભારતનું વતની, પરંતુ ફક્ત શિયાળાનું મહેમાન પંખી. તેનું લૅટિન નામ Haliaeetus leucoryphus છે. તે Falconoformes વર્ગનું, Accipityidae કુળનું છે. ગોત્ર Aquila. તેનું કદ ગીધથી નાનું, 76થી 84 સેમી. જેટલું હોય છે. તે અત્યંત વેધક નજરવાળું પંખી છે. છેડે કાળા પટ્ટાવાળી સફેદ પૂંછડીથી તે ઓળખાય…

વધુ વાંચો >

મત્સ્યર્દષ્ટિ લેન્સ

Jan 3, 2002

મત્સ્યર્દષ્ટિ લેન્સ : પોતાની સમક્ષ આવેલા ર્દષ્ટિક્ષેત્ર(field of vision)ની સંપૂર્ણપણે છબી લઈ શકે તેવો, 18૦° સુધીનું વિશાળ ર્દષ્ટિ-ક્ષેત્ર ધરાવતો, વિશિષ્ટ પ્રકારનો વિસ્તૃતર્દષ્ટિ (wide-angle) લેન્સ. કોઈ પણ કૅમેરાલેન્સ માટે બે અગત્યના ગુણાંક છે  એક તેનો ફોકલ અંક (focal ratio) અને બીજો તેનું કોણીય ર્દષ્ટિક્ષેત્ર. ફોકલ અંક એ લેન્સની ફોકલ લંબાઈ અને…

વધુ વાંચો >

મત્સ્યન્યાય

Jan 3, 2002

મત્સ્યન્યાય : રાજ્ય અથવા શાસક (રાજા) ન હોય ત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તતી હોય તે દર્શાવવા માટે ભારતીય પ્રાચીન ચિંતનમાં થતો શબ્દપ્રયોગ. તેનો અર્થ છે, મોટી માછલી નાની માછલીને ગળી જાય એવી પરિસ્થિતિ. તેને મત્સ્યગલાગલ કહે છે. ‘બળિયાના બે ભાગ’ અથવા ‘મારે તેની તલવાર’ અથવા ‘શેરને માથે સવા શેર’ જેવી ગુજરાતી…

વધુ વાંચો >