ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ
માધારિયાગા ઇરોહો, સાલ્વાદોર દ (જ. 23 જુલાઈ 1886, લા કોરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પૅનિશ લેખક, વિદેશનીતિના પ્રવીણ રાજદ્વારી પુરુષ અને ઇતિહાસકાર. રાષ્ટ્રસંઘ માટેની તેમની સેવા તેમજ અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં તેમનાં ફળદાયી લખાણો માટે જાણીતા. સ્પૅનિશ લશ્કરી અધિકારીના પુત્ર. પિતાના આગ્રહના કારણે તેમણે પૅરિસમાં…
વધુ વાંચો >માધેપુરા
માધેપુરા : બિહાર રાજ્યના ઈશાન વિસ્તારમાં કોસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન, સીમા, વિસ્તાર : તે 25° 55´ ઉ. અ. અને 86° 47´ પૂ. રે. આજુબાજુનો 1,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સુપૌલ, ઈશાનમાં અરેડિયા, પૂર્વમાં પૂર્ણિયા, દક્ષિણમાં ભાગલપુર, નૈર્ઋત્યમાં ખગારિયા તથા…
વધુ વાંચો >માધ્યમિક શિક્ષણ બૉર્ડ
માધ્યમિક શિક્ષણ બૉર્ડ : માધ્યમિક શિક્ષણની ગતિવિધિનું નિયમન કરતું ગુજરાત રાજ્યનું તંત્ર. ગુજરાતમાં (2000માં) ધોરણ 8, 9 અને 10નું શિક્ષણ માધ્યમિક શિક્ષણ (secondary education) ગણાય છે. એ પછીનાં ધોરણ 11 અને 12 મળી ઉચ્ચતર માધ્યમિક (higher secondary) શિક્ષણ ગણાય છે. ગુજરાત સરકારે 1972માં માધ્યમિક શિક્ષણ ધારો પસાર કર્યો. બે વર્ષમાં…
વધુ વાંચો >માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ)
માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ) : મેવાડના મહારાણા. રાજસિંહ (ઈ. સ. 1629–1680)ના રાજકવિ. માન કવિએ પોતાના આશ્રયદાતાનું જીવનચરિત્ર ‘રાજવિલાસ’માં નિરૂપ્યું છે. આ કૃતિની રચના 26 જૂન, 1677ના રોજ આરંભાઈ હતી અને 1680માં રાજસિંહના અવસાન સાથે પૂર્ણ થઈ હતી. ‘રાજવિલાસ’માં 18 વિલાસ છે. પ્રથમ વિલાસમાં બાપા રાવળની ઉત્પત્તિ, બીજામાં એમની વંશાવળી…
વધુ વાંચો >માનચંદા, સુભાષ ચન્દ્ર
માનચંદા, સુભાષ ચન્દ્ર (ડૉ.) (જ. 13 સપ્ટેમ્બર 1940) : વિખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ તથા ઉચ્ચ કોટિના સંશોધન વૈજ્ઞાનિક. ડૉ. સુભાષ ચન્દ્ર માનચંદા વર્તમાનમાં હૃદયવિજ્ઞાન વિભાગ, મેટ્રો હૃદય સંસ્થાન, દિલ્હીના અધ્યક્ષ છે. ડૉ. માનચંદાએ ઊંચાઈ પર આવેલાં સ્થળો પર થતી હૃદય સંબંધિત સમસ્યાઓ પર મહત્ત્વપૂર્ણ પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. તેઓને વ્યાવસાયિક શિક્ષણ…
વધુ વાંચો >માન, ટૉમસ
માન, ટૉમસ (જ. 6 જૂન 1875, લુબેક; અ. 12 ઑગસ્ટ 1955, ઝુરિક) : જર્મન નવલકથાકાર. 1929માં એમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમનાં લખાણોમાં વિનોદ, પ્રજ્ઞા, તત્વદર્શી વિચારો આદિનો સુમેળ દેખાય છે. બૌદ્ધિક સમન્વય, મનોવૈજ્ઞાનિક તીવ્ર ર્દષ્ટિ અને સાંસ્કૃતિક તથા રાજકીય પરિસ્થિતિઓની વિવેચનાત્મક જાગૃતિએ એમને સમકાલીન અગ્રગણ્ય માનવહિતવાદી…
વધુ વાંચો >માનમંદિર, ગ્વાલિયર
માનમંદિર, ગ્વાલિયર : સ્થાપત્ય તથા કલાકારીગરીના સુંદર નમૂનારૂપ રાજમહેલ. મુઘલ સલ્તનતના શરૂઆતના દિવસોમાં ભારતમાં આમેર સહિત રજપૂતાના અને મધ્ય ભારતમાં ઘણા રાજપ્રાસાદો અને કિલ્લાઓનું નિર્માણ થયેલું. તેમાં ગ્વાલિયરનો કિલ્લો એક એવું ઉદાહરણ છે, જે મુઘલ સ્થાપત્યના પ્રભાવથી મુક્ત રહી પોતાની આગવી સ્થાપત્ય-રચના ધરાવે છે. બાબરનામામાં બાબરે ભારતમાં તેણે જોયેલાં સ્થાપત્યોમાં…
વધુ વાંચો >માનવ-અધિકારો
માનવ-અધિકારો : માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવન અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયેલાં છે. માનવજીવનની આ આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વસ્તરે વ્યાપ્ત બની અને માનવ-અધિકારો રૂપે સ્વીકૃતિ પામી. વૈચારિક સ્તરે માનવ-અધિકારનાં બીજ ગ્રીસના…
વધુ વાંચો >માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ
માનવ : ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનો કાળ. માનવોની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના આ કાળને સામાન્ય સમજ માટે વ. પૂ. 50 લાખ ± વર્ષથી 1 કરોડ ± વર્ષના ગાળા દરમિયાન કોઈક કક્ષાએ શરૂ થયેલો ગણાવી શકાય. પ્રાગ્-ઐતિહાસિક કાળ અગાઉના બધા જ માનવ-જીવાવશેષો (હાડપિંજર સ્વરૂપે આખા હોય કે તેના ભાગરૂપ હોય, અસ્થિઓનું…
વધુ વાંચો >માનવ ધર્મસભા
માનવ ધર્મસભા : જુઓ મહેતાજી દુર્ગારામ
વધુ વાંચો >