ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મરાઠા શાસનતંત્ર
મરાઠા શાસનતંત્ર : મરાઠા છત્રપતિઓ અને પેશ્વાઓનું વહીવટી તંત્ર. મરાઠી સામ્રાજ્યના સર્જક છત્રપતિ શિવાજી એક મહાન સેનાપતિ અને વિજેતા હોવા ઉપરાંત કુશળ વ્યવસ્થાપક અને વહીવટકર્તા હતા. અનેક યુદ્ધોમાં વિજય મેળવી એમણે સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એ ઉપરાંત સામ્રાજ્યને અનુરૂપ કાર્યક્ષમ શાસનવ્યવસ્થા કરી હતી. એમણે કરેલી શાસનવ્યવસ્થા થોડા ફેરફારો સાથે પેશ્વાઓના…
વધુ વાંચો >મરાઠી ભાષા અને સાહિત્ય
મરાઠી ભાષા અને સાહિત્ય મહારાષ્ટ્ર પ્રદેશના લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય. મરાઠી ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ભારતીય આર્ય શાખાની એક ભાષા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી ઉદભવી છે. ઈ. સ. 778માં ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુના ‘કુવલયમાલા’ ગ્રંથમાં મરાઠીનો ઉલ્લેખ છે. તેવી જ રીતે ઈ. સ. 1129માં સોમેશ્વર નામના વિદ્વાને…
વધુ વાંચો >મરાઠ્યાંચ્યા ઇતિહાસાચી સાધને
મરાઠ્યાંચ્યા ઇતિહાસાચી સાધને : મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રાજવાડે લિખિત ગ્રંથશ્રેણી. તેના બાવીસ ખંડોમાં લેખકે મરાઠાઓના ઇતિહાસને લગતાં સાધનોનું વિવરણ કર્યું છે. આ ગ્રંથશ્રેણી માટે તેમણે મરાઠાઓના ઇતિહાસને લગતું સમગ્ર દફતર વાંચ્યું હતું, જેમાંથી પહેલા ગ્રંથમાં 1750થી 1761ના સમયગાળાની ભારતના ઇતિહાસની વિગતો આપવામાં આવી છે. તે માટે તેમણે 304…
વધુ વાંચો >મરિયમ્મા
મરિયમ્મા : જુઓ શીતળા માતા
વધુ વાંચો >મરી
મરી : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper nigrum Linn. (સં. મરિચ, બં. મિરવેલ, હિં. કાલી મિર્ચ, ક. કપ્પમેણસુ, તે. મરિપાલુ, ત. સેવ્વિયં, મિલાગુ; મલ. કુરુમુલાગુ, ગુ. મરી, અં. બ્લૅક પીપર) છે. તે શાખિત, આરોહી અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને ભારત, શ્રીલંકા અને અન્ય ઉષ્ણકટિબંધીય…
વધુ વાંચો >મરી જવાની મઝા
મરી જવાની મઝા (1973) : લાભશંકર ઠાકર રચિત અરૂઢ, ઍબ્સર્ડ શૈલીનાં એકાંકીઓનો સંગ્રહ. અન્ય ઍબ્સર્ડ એકાંકીઓની જેમ, અહીં પણ સ્પષ્ટ, સુસંબદ્ધ નાટ્યાત્મક, હૃદયંગમ કથાવસ્તુ, આગવું વ્યક્તિત્વ ધરાવતાં જીવંત પાત્રો, તર્કબદ્ધ તેમજ સ્વાભાવિક કાર્ય અને સંવાદ, પ્રતીતિકર અથવા ચોક્કસ સ્થળ-કાળનો બોધ કરાવે તેવું વાતાવરણ વગેરે પરંપરિત અને રૂઢ તત્વોનો અભાવ છે…
વધુ વાંચો >મરીઝ
મરીઝ (જ. 22 ફેબ્રુઆરી 1917, સૂરત; અ. 19 ઑક્ટોબર 1983, મુંબઈ) : ગુજરાતી ગઝલકાર, મૂળ નામ વાસી અબ્બાસ અબ્દુલઅલી. આજીવન પત્રકારત્વ અને મુશાયરાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા મરીઝનું ભણતર કેવળ ગુજરાતી બીજા ધોરણ સુધીનું હતું. ‘આગમન’ (1969) અને તેમના પરિવાર દ્વારા મરણોત્તર પ્રકાશિત ‘નકશા’ (1985) – એ 2 ગઝલસંગ્રહો મરીઝના મળ્યા છે.…
વધુ વાંચો >મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ
મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ : ગુજરાતનું મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર. ગુજરાતમાં મસાલાના પાકોની અગત્યને ધ્યાનમાં લઈ સરકારે તે પાકોના સંશોધનની કામગીરી 1961–62માં મણુંદ, તા. પાટણ ખાતે શરૂ કરેલ હતી. આ સંશોધનની કામગીરી 1965–66થી 1980–81 સુધી વિજાપુર અને પિલવાઈ કેન્દ્રોમાં ચાલતી હતી. 1981–82માં મસાલાના પાકોની આ સંશોધન-કામગીરી જગુદણ કેન્દ્ર ખાતે …
વધુ વાંચો >મરુ-અનુક્રમણ
મરુ-અનુક્રમણ : શુષ્ક પર્યાવરણમાં સજીવોનો થતો આનુક્રમિક વિકાસ. તે ખુલ્લા ખડકો, રેતાળ કે ખારી જમીન, ખડકાળ ઢોળાવો અથવા અન્ય સ્થાનો કે જ્યાં પાણીની તીવ્ર અછત વર્તાતી હોય ત્યાં થાય છે. મરુ-અનુક્રમણના વિવિધ તબક્કાઓ આ પ્રમાણે છે : (1) પર્પટીમય શિલાવલ્ક (crustose lichen) અવસ્થા : પાણીની તીવ્ર અછત, પોષક પદાર્થોની અતિ…
વધુ વાંચો >મરુતો
મરુતો : પ્રાચીન ભારતના, ઋગ્વેદમાં વર્ણવાયેલા, ઝંઝાવાતના દેવો. તેમના માટે 33 સૂક્તો રચાયાં છે. 7 સૂક્તોમાં ઇન્દ્રની સાથે અને એક એક સૂક્તમાં અગ્નિ તથા પૂષન્ની સાથે તેમનું વર્ણન જોવા મળે છે. મરુતનો એક સમૂહ છે. તેમની સંખ્યા 180 (60 × 3) કે 21 (7 × 3)ની ગણાય છે. તેઓ રુદ્રના…
વધુ વાંચો >મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >