૧૫.૧૦

મનોવિશ્લેષણથી મરકી

મનોવિશ્લેષણ

મનોવિશ્લેષણ (psychoanalysis) (આયુર્વિજ્ઞાન) : મનની અંદરનાં દ્વંદ્વો અથવા વિરોધિતાઓ(conflicts)નો અભ્યાસ અને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ. મન તથા વ્યક્તિત્વના વિકાસની છેલ્લી વિભાવના (hypothesis) મુજબ મનના અચેતન-સ્તરમાં પારસ્પરિક વિરોધિતા અથવા દ્વંદ્વો રહેલાં છે. મનોવિશ્લેષણની પ્રક્રિયામાં આ વિભાવનાને આધારે માનસિક ક્રિયાઓનો અભ્યાસ કરીને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ કરાય છે. મનોવિશ્લેષણની પ્રક્રિયા…

વધુ વાંચો >

મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર)

મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર) ‘મનોવિશ્લેષણ’ શબ્દ બે અર્થમાં વપરાય છે. (1) અચેતનની વિભાવનાને આધારે માનવમન અને વર્તનનાં વિવિધ પાસાંઓની સમજૂતી આપતા સિદ્ધાંતો અને તદવિષયક કલ્પનાઓનું માળખું. (2) માનસિક રોગોની સારવાર માટેની એક માનસોપચાર પદ્ધતિ, જેનો હેતુ દર્દીઓના અચેતન માનસની પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરી, તેમને મનોભાર અને માનસિક રોગોમાંથી મુક્ત કરવાનો છે. મનોવિશ્લેષણનું મુખ્ય…

વધુ વાંચો >

મનોવિશ્લેષણ (સાહિત્ય)

મનોવિશ્લેષણ (સાહિત્ય) : સાહિત્ય જેવી વાક્કળાનો માનવચિત્ત સાથેનો સંબંધ ઘણો ગાઢ-ગૂઢ ને તેથી સંકુલ છે. સાહિત્યના સર્જન-ભાવનનો કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા સાથે, વ્યષ્ટિ તેમજ સમષ્ટિ-ચેતના સાથે, માનવસંવિતનાં આંતરબાહ્ય સ્ફુરણો-સંચલનો સાથેનો સંબંધ ઘણો ગહન, વ્યાપક અને સૂક્ષ્મ છે. જેમ જીવનનો તેમ સાહિત્યના અંતસ્તત્વનો પૂરો તાગ મેળવવો અશક્ય છે. તેથી સાહિત્યના સર્જન-ભાવનના સંદર્ભમાં રહસ્યતત્વનો,…

વધુ વાંચો >

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ (psychological testing) : શાબ્દિક/અશાબ્દિક પ્રતિક્રિયા વડે કે અન્ય પ્રકારના વર્તનના નમૂના વડે વ્યક્તિત્વના એક કે વધારે પાસાંને વસ્તુલક્ષી રીતે માપવા માટે રચવામાં આવેલું પ્રમાણીકૃત સાધન. આવા સાધનના વૈજ્ઞાનિક ઉપયોગ વડે વ્યક્તિનું કે સમૂહના માનસનું માપ લેવાની ક્રિયાને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કહેવાય. માનસિક કસોટી રચવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા જટિલ હોઈ તેમાં…

વધુ વાંચો >

મનોવૈજ્ઞાનિક વિકાસ

મનોવૈજ્ઞાનિક વિકાસ : માનવીમાં થતું સંકલિત, સર્વાંગીણ અને પ્રગતિ-અભિમુખ ગુણાત્મક પરિવર્તન. ‘વિકાસ’ (development) એટલે જીવતંત્રમાં થતાં શારીરિક અને માનસિક પરિવર્તન. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માનવીના સંદર્ભમાં કહી શકાય કે વિકાસ એટલે સુસંકલિત, સર્વાંગીણ અને પ્રગતિ-અભિમુખ પરિવર્તન. ઇલિઝાબેથ હરલોક વિકાસને ગુણાત્મક પરિવર્તન કહે છે. તેમના મતે, વિકાસનો અર્થ ‘પરિપક્વતાના…

વધુ વાંચો >

મનોહર

મનોહર (જ. 1560; અ. 1620) : મુઘલ ચિત્રશૈલીનાં લઘુચિત્રોના અગ્રણી ચિત્રકાર. વિખ્યાત મુઘલ ચિત્રકાર બસાવનના તે પુત્ર. તે વ્યક્તિચિત્રો, પ્રાણીચિત્રો તથા હસ્તપ્રતોનાં ચિત્રાંકનો માટે મશહૂર હતા. અકબર અને જહાંગીર બંનેના રાજ્યકાળ દરમિયાન તે મુઘલ રાજદરબારના ચિત્રકાર હતા અને બંનેના તે પ્રીતિપાત્ર હતા. મુઘલ રાજદરબાર અને તેની જીવનશૈલી તથા શિષ્ટાચારના ઠાઠભપકા…

વધુ વાંચો >

મનોહરસિંહ

મનોહરસિંહ (જ. 1937) : ભારતીય રંગભૂમિના નોંધપાત્ર હિન્દી-ભાષી અભિનેતા અને દિગ્દર્શક. 1960ના દાયકામાં દેશના ઉચ્ચ કોટિના દિગ્દર્શક ઇબ્રાહીમ અલ્કાઝીના વડપણ હેઠળ ચાલતા રાષ્ટ્રીય નાટ્ય સંસ્થાન NSDમાં એમની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન જ મનોહરસિંહે અભિનેતા તરીકે કાઠું કાઢવા માંડ્યું હતું. તાલીમ દરમિયાન અલ્કાઝીના દિગ્દર્શનમાં ગિરીશ કર્નાડલિખિત નાટક ‘તુઘલક’માં મુખ્ય ભૂમિકા ભજવી…

વધુ વાંચો >

મન્ટો, સઆદત હસન

મન્ટો, સઆદત હસન (જ. 1912, સંબ્રાલા, જિ. લુધિયાણા; અ. 1955, લાહોર, પાકિસ્તાન) : જાણીતા ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમણે શિક્ષણ અમૃતસર અને અલીગઢમાં લીધું. 1939માં લગ્ન કર્યા બાદ અમૃતસર, લાહોર, દિલ્હી તથા મુંબઈ ખાતે વસવાટ કર્યા પછી ભારતના ભાગલા થતાં પાકિસ્તાનમાં જઈ વસ્યા. ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીનો…

વધુ વાંચો >

મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ)

મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ) : તમિલનાડુ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. સ્થાન-સીમા-વિસ્તાર ભૌગોલિક સ્થાન : તે 10° 27´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 6,058 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેરિયાર અને તિરુચિરાપલ્લી જિલ્લા, પૂર્વમાં તિરુચિરાપલ્લી અને મદુરાઈ જિલ્લા, દક્ષિણમાં મદુરાઈ જિલ્લો તથા પશ્ચિમે કોઇમ્બતુર જિલ્લો…

વધુ વાંચો >

મન્વન્તર

મન્વન્તર : કાલમાનની પૌરાણિક વિભાવના. માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો કાલખંડ. કાલમાનની પૌરાણિક વિભાવના અનુસાર સુદીર્ઘ કાલના વ્યાપને 14 મન્વન્તરોમાં માપવામાં આવે છે. મન્વન્તર એટલે માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો સમગ્રકાલ. આ કાલખંડ 12,000 દૈવી વર્ષો અર્થાત્ 43,20,000 માનુષી વર્ષોનો છે. આ કલ્પના મુજબ આવા કુલ 14 મનુ થઈ ગયા છે. એમાં…

વધુ વાંચો >

મયૂરકવિ

Jan 10, 2002

મયૂરકવિ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષામાં લખાયેલા સ્તોત્રકાવ્ય ‘સૂર્યશતક’ અથવા ‘આદિત્યશતક’ના કવિ. તેઓ ‘કાદંબરી’ના પ્રસિદ્ધ લેખક મહાકવિ બાણના સમકાલીન હતા; કાવ્યની બાબતમાં બાણના પ્રતિસ્પર્ધી હતા. જયમંગલ નામના લેખક તેમને ‘સરસ્વતીનો અવતાર’ કહે છે. અદ્વૈતવાદના આચાર્ય શંકરાચાર્યે કોઈ મયૂર નામના કવિને શાસ્ત્રાર્થમાં હરાવેલા એ આ જ મયૂરકવિ છે એમ કેટલાક…

વધુ વાંચો >

મયૂરભંજ

Jan 10, 2002

મયૂરભંજ : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 17´થી 22° 34´ ઉ. અ. અને 85° 40´થી 87° 10´ પૂ. રે. વચ્ચેનો 10,418 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો પૂર્વ સિંગભૂમ જિલ્લો તેમજ પૂર્વ તરફ પશ્ચિમ બંગાળનો મેદિનીપુર જિલ્લો, દક્ષિણ તરફ બાલાસોર (બાલેશ્વર)…

વધુ વાંચો >

મયૂરમ્

Jan 10, 2002

મયૂરમ્ : તમિલનાડુ રાજ્યના તંજાવુર જિલ્લાનું નગર તેમજ મયૂરમ્ તાલુકાનું મથક. ભૌગોલિક સ્થાન : 11° 20´ ઉ. અ. અને 79° 40´ પૂ. રે. આ નગર તમિલનાડુ રાજ્યના કુમ્ભકોણમની પૂર્વમાં કાવેરીના ત્રિકોણપ્રદેશમાં આવેલું છે. બંગાળનો ઉપસાગર અહીંથી પૂર્વમાં 100 કિમી. દૂર આવેલો છે. અહીંની જમીન ફળદ્રૂપ છે. તેથી ડાંગર, કપાસ અને…

વધુ વાંચો >

મયૂરશિખા

Jan 10, 2002

મયૂરશિખા : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગમાં આવેલા એડિયેન્ટેસી કુળનો એક હંસરાજ (fern). તેનું વૈજ્ઞાનિક નામ Actinopteris Australis (Linn. f.) Link. syn. A. radiata link; A. dichotoma kuhn. (હિં. મયૂરશિખા; ગુ. મયૂરશિખા, ભોંયતાડ; અં. પીકૉક્સ ટેલ) છે. હંસરાજની તે એકલપ્રરૂપ (monotypic) પ્રજાતિ છે. તેનું વિતરણ દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં થઈને આરબ દેશો…

વધુ વાંચો >

મરકી (Plague)

Jan 10, 2002

મરકી (Plague) : યેર્સિનિયા પેસ્ટિસ નામના દંડાણુથી થતો, ચાંચડના ડંખથી ફેલાતો અને મહામારી સર્જતો ચેપી રોગ. યેર્સિનિયા પેસ્ટિસ – એ નાના બંને છેડે અભિરંજિત થતા (દ્વિધ્રુવી અભિરંજન, bipolar staining) ગ્રામ-અનભિરંજિત દંડાણુઓ (bacilli) છે. દંડ આકારના જીવાણુઓ(bacteria)ને દંડાણુ કહે છે. તેઓ મુખ્યત્વે ઉંદર અને તેના જૂથનાં પ્રાણીઓ(rodents)માં ચેપ કરે છે. તેનો…

વધુ વાંચો >