ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભેજસ્રવન

Jan 27, 2001

ભેજસ્રવન (efflorescence) : હવામાં ખુલ્લા રખાતા જલયોજિત (hydrated) ઘન પદાર્થો દ્વારા તેમાં સંયોજિત પાણીના અણુઓને બાષ્પ રૂપે ગુમાવવાનો ગુણધર્મ. જ્યારે ઘન-પદાર્થની સપાટી ઉપરની જળબાષ્પનું આંશિક દબાણ (પદાર્થનું વિયોજન દબાણ) હવામાં રહેલી જળ-બાષ્પના આંશિક દબાણ કરતાં વધુ હોય ત્યારે આ ઘટના જોવા મળે છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) અને ગ્લોબર-ક્ષાર (Na2SO4·10H2O)…

વધુ વાંચો >

ભેડાઘાટ

Jan 27, 2001

ભેડાઘાટ : નર્મદા નદીના કાંઠા પર આવેલું નયનરમ્ય સ્થળ. તે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર શહેરથી આશરે 21 કિમી. અંતરે આવેલું છે. જે સ્થળે નર્મદા નદી આશરે દસ મીટર ઊંચાઈથી નીચે ખીણમાં પડે છે તે સ્થળ ધુંવાધાર નામથી ઓળખાય છે. ધોધની તળેટી પછીનો નર્મદાનો પ્રવાહ ક્રમશ: સંકોચાય છે. તેની બંને બાજુએ આરસપહાણના…

વધુ વાંચો >

ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination)

Jan 27, 2001

ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination) : જે લોકો ખરેખર સમાન છે અને જેમને સમાન ગણવા જોઈએ એમના પ્રત્યેનો અસમાન વર્તાવ. અપ્રસ્તુત કારણો આપીને કે ગેરવાજબી અવરોધો સર્જીને લોકોને સરખી તક કે સરખા હક આપવાનો ઇનકાર કરવો એ ભેદભાવયુક્ત વ્યવહાર છે. બધી વ્યક્તિઓ કે બધાં જૂથો તરફ સમષ્ટિ અને સમભાવ રાખીને સમાન…

વધુ વાંચો >

ભેદાભેદ(વાદ)

Jan 27, 2001

ભેદાભેદ(વાદ) : બ્રહ્મ અને જીવ વચ્ચે દ્વૈત અને અદ્વૈત બંને હોવાનું માનતા નિમ્બાર્કનો વેદાન્તનો મત. વેદાન્ત તત્વજ્ઞાનની પરંપરાના આચાર્યો, બ્રહ્મ અને જીવના સંબંધ વિશે એકમત નથી. કેવલાદ્વૈતવાદી શંકરાચાર્ય(ઈ. સ. 788–820) જીવ અને બ્રહ્મ વચ્ચે સંપૂર્ણ અભેદ માને છે. અવિદ્યાને કારણે જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ ભાસે છે. બીજી બાજુ, દ્વૈતવાદી…

વધુ વાંચો >

ભેદ્ય ખડકો

Jan 27, 2001

ભેદ્ય ખડકો (permeable rocks) : પ્રવાહી પસાર થવા દેવાની ક્ષમતા ધરાવતા ખડકો. કોઈ પણ ખડકની ભેદ્યતા (અથવા પારગમ્યતા) એ તે ખડકમાંથી પ્રવાહીને પસાર થવા દેવાની ક્ષમતા ગણાય. સછિદ્રતા–આધારિત ખડકના ગુણધર્મને ભેદ્યતા કહે છે. ખડક સછિદ્ર હોઈ શકે અને ભેદ્ય ન પણ હોય. ભેદ્યતાની માત્રા ખડકછિદ્રોના આંતરસંપર્ક(આંતરગૂંથણી)નાં આકાર અને કદ તેમજ…

વધુ વાંચો >

ભેલસંહિતા

Jan 27, 2001

ભેલસંહિતા (ઈ. સ. 300 આશરે) : એક આયુર્વેદિક પ્રાચીન ગ્રંથ. પુનર્વસુ આત્રેય આયુર્વેદની ઔષધિ શાખાના આદિ આચાર્ય ગણાય છે. અગ્નિવેશ, ભેલ, જતૂકર્ણ, પરાશર, હારિત અને ક્ષારપાણિ એ છ તેમના પ્રખર શિષ્યો હતા. તે દરેકે પોતાના નામે આયુર્વેદની સ્વતંત્ર સંહિતાઓ રચી છે. અપ્રિય શિષ્ય ભેલે રચેલ આ આયુર્વેદિક ચિકિત્સાગ્રંથ ત્રુટિત છે.…

વધુ વાંચો >

ભેળસેળ

Jan 27, 2001

ભેળસેળ : જાહેર સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તેવા વિવિધ વસ્તુઓના અનિષ્ટ મિશ્રણ સાથે સંકળાયેલ ગુનો. સામાન્ય અર્થમાં (ભેળસેળ કરવી એટલે) એક વસ્તુમાં કે પદાર્થમાં બીજી વસ્તુ કે પદાર્થ મિશ્ર કરવો. નફો કરવાના આશયથી નુકસાનકારક ન હોય તેવા પદાર્થો કોઈ વસ્તુમાં ભેળવવાથી કોઈ શિક્ષાપાત્ર ગુનો થતો નથી; દા.ત., દૂધમાં પાણી…

વધુ વાંચો >

ભેંસ

Jan 27, 2001

ભેંસ (Indian buffalo) ચરબીનું વધારે પ્રમાણ (6 %થી 10 %) ધરાવતા દૂધ જેવા પોષક આહારનું ઉત્પાદન કરતું એક પાલતુ જાનવર. પ્રાણી-વર્ગીકરણના ધોરણ અનુસાર તેનો વર્ગ સસ્તન ઉપવર્ગ યૂથેરિયા શ્રેણી ખરીવાન (angulata), ઉપશ્રેણી સમખરી (artiodactyla) અને કુળ બ્યુબૅલિડી લેખાય છે. શાસ્ત્રીય નામ છે Bubalus bubalis (Indian buffalo). દુનિયાની ભેંસની કુલ વસ્તી…

વધુ વાંચો >

ભૈયા, ગોપાલ

Jan 27, 2001

ભૈયા, ગોપાલ  (જ. 31 જુલાઈ 1919, રાજસ્થાન; અ. 16 એપ્રિલ 1996, અમદાવાદ) : કુસ્તીની કલાના ઉસ્તાદ પહેલવાન અને તેના પ્રવર્તક. મૂળ વતન હેડીહાડી, જિલ્લો કોટા, રાજસ્થાન. તેમના પિતા રામનારાયણ રાઠોડ પણ કુસ્તીની રમતના ઉસ્તાદ પહેલવાન હતા અને પોતાના પુત્ર ગોપાલના ગુરુ હતા. ગોપાલ રાજસ્થાનમાં પોતાના વતનમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ…

વધુ વાંચો >

ભૈરવ

Jan 27, 2001

ભૈરવ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાત:કાલનો સંધિપ્રકાશ રાગ. રાત્રિ અને દિવસની સંધિના સમયે તે ગવાય છે, અને તેથી તેને સંધિપ્રકાશ રાગ કહેવાય છે : प्रातसमय मध्यम प्रबल, रि-द कोमल रिधि जान । शिवगण पुनि रागधिपत, गुनि कर भैरव गान ।। આ રાગમાં રિષભ અને ધૈવત કોમળ તથા બાકીના…

વધુ વાંચો >