ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂસ્તરીય નિરીક્ષણ

Jan 26, 2001

ભૂસ્તરીય નિરીક્ષણ (geological prospecting) : આર્થિક ર્દષ્ટિએ ખનનયોગ્ય તેમજ ઉપયોગી ખનિજનિક્ષેપો કે ખડકજથ્થાઓની ખોજ માટે કરવામાં આવતું ભૂસ્તરીય પૂર્વેક્ષણ. વીસમી સદીના પ્રારંભ સુધી તો ભૂસ્તરીય નિરીક્ષકો તે માટેનાં યોગ્ય સ્થાનોની ભાળ મેળવીને તેમનું ખોજકાર્ય પગે ચાલીને કરતા. વિષયની જાણકારી તેમજ અનુભવી ર્દષ્ટિથી આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી પૂરતી માત્રાવાળા અયસ્કોના જથ્થા કે…

વધુ વાંચો >

ભૂસ્વરૂપ

Jan 26, 2001

ભૂસ્વરૂપ : જુઓ પૃથ્વી

વધુ વાંચો >

ભૃગુ

Jan 27, 2001

ભૃગુ : પ્રાચીન ભારતના પ્રભાવશાળી ઋષિ. ભાગવત વગેરે પુરાણો મુજબ તેઓ મહર્ષિ હતા અને મંત્રદ્રષ્ટા લેખક હતા. તેઓ શિવના પુત્ર હોવાની એક માન્યતા છે. તેમની પત્ની ખ્યાતિ કર્દમ ઋષિની દીકરી હતી. ભૃગુ ઋષિની પ્રથમ પત્ની ખ્યાતિ બે પુત્રો અને એક પુત્રીની માતા હતી. આ પુત્રીનું નામ ભાર્ગવી લક્ષ્મી હતું. તેને…

વધુ વાંચો >

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર

Jan 27, 2001

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર : એક અતિપ્રાચીન ઋષિકુળ. અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમના વિશે માહિતી પ્રાપ્ય છે. તેમના આદ્યપુરુષ ભૃગુ હતા અને તેમના નામે ભાર્ગવવંશ ઓળખાયો. બ્રહ્માના આઠ પુત્રોમાં ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુનો ઉલ્લેખ છે. જ્યારે વિષ્ણુપુરાણના જણાવ્યા પ્રમાણે ભૃગુ બ્રહ્માના માનસપુત્ર હતા અને દસ…

વધુ વાંચો >

ભૃગુસંહિતા

Jan 27, 2001

ભૃગુસંહિતા : ભૃગુ ઋષિએ રચેલો મનુષ્યોનાં ભૂત-ભવિષ્ય ભાખતો જ્યોતિષ વિશેનો ગ્રંથ. રચના વર્ષ કે સમય અપ્રાપ્ય છે. મૂળ હસ્તપ્રતો બહુધા અપ્રાપ્ય છે. પ્રથમ તો તેના શીર્ષક પ્રમાણે જોતાં આ ગ્રંથ સંહિતાગ્રંથના વિષયોને નિરૂપતો નથી. તેથી તેને સંહિતાગ્રંથ કહી શકાય નહિ. દક્ષિણ ભારતમાં એકાદ હસ્તપ્રત હોવાની સંભાવના પંડિતો દર્શાવે છે. પં.…

વધુ વાંચો >

ભૃંગસંદેશ

Jan 27, 2001

ભૃંગસંદેશ : કાલિદાસના ‘મેઘદૂત’ જેવું પ્રાકૃતમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક દૂતકાવ્ય. ‘સાહિત્યદર્પણ’માં ઉલ્લેખ પામેલાં પ્રાકૃત દૂતકાવ્યો ‘હંસસંદેશ’ અને ‘કુવલયાશ્વચરિત’ મળતાં નથી. આની પણ એક જ સાવ અધૂરી મલયાળમ લિપિમાં 17.78 સેમી. x 45.75 સેમી. (7´´ x 1½´)નાં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ત્રિવેન્દ્રમ અર્થાત્ તિરુવનન્તપુરમની ‘ક્યૂરેટર્સ ઑફિસ લાઇબ્રેરી’માં ક્રમાંક 1471 अ ધરાવતી સચવાઈ…

વધુ વાંચો >

ભેખડ

Jan 27, 2001

ભેખડ (cliff) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. પર્વત કે ટેકરીની ઊભી કે સીધી કરાડ જેવી બાજુને ભેખડ કહે છે. આ ભૂમિસ્વરૂપની ઓળખ તેના આકારના લક્ષણ પરથી થતી હોય છે. જો તે સમુદ્રકિનારે હોય તો તે સમુદ્રભેખડ (sea cliff) તરીકે ઓળખાય છે. ‘ભેખડ’, ‘કરાડ’, ‘સમુત્પ્રપાત’ સમાનાર્થી શબ્દો છે; પરંતુ ‘ભેખડ’ શબ્દ વધુ…

વધુ વાંચો >

ભેજ

Jan 27, 2001

ભેજ (humidity) : વાતાવરણમાં પાણીના બાષ્પની સાંદ્રતા. વાતાવરણનો ભેજ વાતાવરણમાં રહેલ જલબાષ્પ સાથે સંબંધ ધરાવે છે. વાતાવરણમાં જલબાષ્પનું પ્રમાણ અત્યંત પરિવર્તનીય હોય છે. અને હવામાનની જુદી જુદી પરિસ્થિતિ માટે તે કારણભૂત હોય છે. સૂર્ય અને પૃથ્વી દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્માકીય પાર-રક્ત વિકિરણ- (thermal infra-red radiation)નું શોષણ કરીને જલબાષ્પ હવાનું તાપમાન…

વધુ વાંચો >

ભેજદ્રવન

Jan 27, 2001

ભેજદ્રવન (deliquescence) : કેટલાક સ્ફટિકીય ઘન પદાર્થો દ્વારા હવામાંના ભેજને શોષી લઈ અંતે (સંતૃપ્ત) દ્રાવણ બનાવવાનો ગુણધર્મ. કેટલાક ઘન પદાર્થો આ અસર તુરત જ દર્શાવે છે. જ્યારે કેટલાક આ પ્રકારની અસર બિલકુલ દર્શાવતા નથી. કૅલ્શિયમ ક્લોરાઇડ (CaCl2), ફેરિક ક્લોરાઇડ (FeCl3), કૅલ્શિયમ નાઇટ્રેટ [Ca(NO3)2], મૅગ્નેશિયમ ક્લોરાઇડ (MgCl2), સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH) અને…

વધુ વાંચો >

ભેજમાપકો

Jan 27, 2001

ભેજમાપકો (hygrometers) : હવામાં રહેલા ભેજનું પ્રમાણ માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. હવામાં રહેલી વરાળ કે પાણીની બાષ્પને ભેજ (humidity) કહે છે. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર-મહાસાગરોમાંથી કે ભૂમિ પરના જળ-જથ્થાઓમાંથી બાષ્પીભવન થવાને કારણે અથવા વનસ્પતિમાંથી પાણીનું બાષ્પ-નિષ્કાસન થવાને કારણે હવામાં ભેજ ઉમેરાતો રહે છે. અમુક તાપમાને હવામાં રહેલી પાણીની…

વધુ વાંચો >