ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂતિયું ફૂદું

Jan 24, 2001

ભૂતિયું ફૂદું : તલના પાકને ઉપદ્રવકારક ફૂદાની જાતનો એક કીટક. તે ઍચેરૉન્ટિયા સ્ટિક્સ (Acherontia styx West)ના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના સ્ફિન્જિડી (Sphingidae) કુળમાં થાય છે. આ ફૂદું મોટું, બિહામણું અને કાળાશપડતા રંગનું હોવાથી તે ભૂતિયા ફૂદા તરીકે ઓળખાય છે. પુખ્ત કીટક કાળાશપડતા રાખોડી રંગનો અને…

વધુ વાંચો >

ભૂદાન

Jan 24, 2001

ભૂદાન : ગાંધીવાદી માર્ગે, ખેતી હેઠળની જમીનની ન્યાયસંગત પુનર્વહેંચણી કરવા માટેનું વિનોબાજી-પ્રેરિત આંદોલન. આઝાદી પછીના ગાળામાં તેલંગણ(આંધ્રપ્રદેશ)ના સામ્યવાદીઓએ મોટા જમીનદારોની જમીન બળજબરીથી આંચકી ગરીબ ખેડૂતોમાં વહેંચવાની પ્રવૃત્તિ આદરી હતી. તે વેળા શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાંથી પદયાત્રા કરતાં પાછા ફરતાં વિનોબા ભાવે 15મી એપ્રિલ 1951(રામનવમી)ના દિવસે સામ્યવાદી નેતાઓને જેલમાં જઈને મળ્યા અને…

વધુ વાંચો >

ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર

Jan 24, 2001

ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર (dynamical geology) : ભૂસ્તરશાસ્ત્રની શાખા. ભૂસ્તરીય પરિવર્તનોનાં કારણો અને પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું વિજ્ઞાન. ભૂગતિવિજ્ઞાન અને ભૂસંચલનવિદ્યાનો સમાનાર્થી શબ્દ. આ શાખા હેઠળ ભૂપૃષ્ઠ-તકતી-સંચલન (plate tectonics), ખંડીય પ્રવહન (continental drift), મહાસાગરીય થાળાંની ઉત્ક્રાંતિ તેમજ વિકાસ, પર્વતનિર્માણક્રિયા, ભૂકંપ, જ્વાળામુખી સમતુલા (isostasy), ભૂસંનતિ (geosyncline), સમુદ્ર-સપાટીના ફેરફારો, દ્વીપચાપ (island arcs), ભૂચુંબકત્વ, સમુદ્રતળવિસ્તરણ (sea…

વધુ વાંચો >

ભૂપાત

Jan 24, 2001

ભૂપાત (landslides, rockslides) : પહાડી ઢોળાવો પરથી ખડક- જથ્થાની એકાએક સરકી પડવાની ક્રિયા. ભૂપાત પૃથ્વીના પટ પર કોઈ પણ પ્રકારની આબોહવાવાળા કોઈ પણ પ્રદેશમાં થઈ શકે. ભૂપાત એ ભૂપૃષ્ઠરચનાત્મક અને ગતિવિષયાત્મક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનો ઘનિષ્ઠ કે છૂટો ખડકજથ્થો, ભૂમિજથ્થો, અવશિષ્ટ જમીનજથ્થો કે નિક્ષેપજથ્થો પહાડી ઢોળાવો (કોઈ પણ ભૂમિભાગ)…

વધુ વાંચો >

ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર

Jan 24, 2001

ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર (ગોપેન્દ્ર તિપ્પ ભૂપાલ) (16મી સદી આશરે) : આચાર્ય વામન પરની ‘કામધેનુ’ નામની ટીકાના લેખક. તેમનાં બંને નામો તેઓ દક્ષિણ ભારતના રહેવાસી હશે એમ સૂચવે છે. દક્ષિણ ભારતના વિજયનગરના રાજ્યમાં શાલ્વ વંશનો  અમલ  થયેલો. તે શાલ્વ વંશના તેઓ રાજકુમાર અને પછી રાજા હતા. આચાર્ય વામને રચેલા અલંકારશાસ્ત્રના જાણીતા…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-આલેખન

Jan 24, 2001

ભૂપૃષ્ઠ-આલેખન : નકશાશાસ્ત્રની એક શાખા. નકશા-આલેખન-શાસ્ત્ર(cartography)ના વિકાસ અંતર્ગત નકશાઓમાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે પણ વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પૃથ્વીની સપાટી પરની ભૂમિની ઊર્ધ્વાકાર વિષમતાઓને ભૂપૃષ્ઠ-આલેખન કહે છે. સપાટી પર પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો જેવાં ત્રિમિતીય (લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ) અસર ધરાવતાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. એ જ રીતે સાગરજળની નીચે પણ…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ

Jan 24, 2001

ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ (geomorphic processes) : ભૂપૃષ્ઠ પર વિવિધ ભૂમિઆકારો રચાવા માટેની પ્રભાવક ક્રિયાઓ. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં મોટાભાગનાં સ્થળર્દશ્યો (topographic features) મુખ્યત્વે ઘસારાનાં પરિબળોથી કે શિલાચૂર્ણની જમાવટથી તૈયાર થતાં હોય છે. તે વિવિધ આકારો અને સ્વરૂપોમાં રજૂ થતાં હોય છે. આવાં સ્થળર્દશ્યલક્ષણો સ્પષ્ટપણે બે પ્રકારોમાં જુદાં પાડી શકાય છે…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન)

Jan 24, 2001

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન) : પૃથ્વીના પોપડામાં થતી મોટા પાયા પરની વિરૂપતાઓ કે વિક્ષેપક્રિયાઓ. વિરૂપતામાંથી ખંડનિર્માણ, ગિરિનિર્માણ, મહાસાગરથાળાં, ઉચ્ચપ્રદેશો, ગેડીકરણ, સ્તરભંગક્રિયા, ઊર્ધ્વગમન, અવતલન વગેરે ક્રિયાઓ થતી હોય છે. ભૂપૃષ્ઠસંચલન એ પૃથ્વીના પોપડામાં થતો એવો ભૌતિક ફેરફાર છે, જેનાથી ઉપર્યુક્ત લક્ષણો જન્મે છે. ખંડનિર્માણક્રિયામાં તથા ગિરિનિર્માણક્રિયામાં અનુક્રમે ખંડો અને પર્વતોની રચના થતી હોય…

વધુ વાંચો >

ભૂભૌતિક નિરીક્ષણ

Jan 24, 2001

ભૂભૌતિક નિરીક્ષણ : જુઓ ‘ખનિજ’

વધુ વાંચો >

ભૂભૌતિકશાસ્ત્ર

Jan 24, 2001

ભૂભૌતિકશાસ્ત્ર :  ભૂવિદ્યાઓ (earth-sciences) પૈકીની એક વિજ્ઞાનશાખા. ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી તે એવી શાખા છે, જેમાં પૃથ્વીના અભ્યાસ માટે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક તેને ભૂસ્તરશાસ્ત્રની શાખા તરીકે તો કેટલાક તેને અલગ વિજ્ઞાન તરીકે ઘટાવે છે. પૃથ્વીના બંધારણમાં રહેલાં દ્રવ્યોના ઘનતા, ચુંબકત્વ વગેરે જેવા ગુણધર્મોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં વિશિષ્ટ…

વધુ વાંચો >