ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂગર્ભજળ

Jan 23, 2001

ભૂગર્ભજળ (Underground Water) અધોભૌમિક જળ. ભૂમિસપાટી નીચે ખડકસ્તરોમાં રહેલું જળ. વર્ષાજળ, ખડકછિદ્રજળ કે મૅગ્માજન્ય જળના એકઠા થવાથી ભૂપૃષ્ઠના ખડકસ્તરોમાં ભૂગર્ભજળરાશિ તૈયાર થાય છે. ભૂગર્ભજળ-સપાટી એ જળસંતૃપ્ત વિભાગની ઉપલી સપાટી છે. તે ભૂપૃષ્ઠની નીચે તરફ હવા-ઉપલબ્ધિ-વિભાગ(aerated zone)ની નિમ્નતમ સીમામર્યાદાનું તલ બાંધી આપે છે, અર્થાત્ એટલો વિભાગ તેની છિદ્રજગાઓમાં હવા અને જળથી…

વધુ વાંચો >

ભૂગર્ભજળશાસ્ત્ર

Jan 23, 2001

ભૂગર્ભજળશાસ્ત્ર (geohydrology):પૃથ્વીની સપાટી નીચે રહેલા જળનું વિજ્ઞાન. ભૂગર્ભજળશાસ્ત્ર અને જળભૂસ્તરશાસ્ત્ર(hydrogeology) બંને લગભગ સમાન વિષયો છે. આ શાખા કોઈ પણ વિસ્તારમાંના ભૂગર્ભજળના ગુણાત્મક અને જથ્થાત્મક પ્રકારો, જળસંચરણ અને પ્રાપ્તિ સાથે સંકળાયેલી છે. આ વિષયનું મહત્વ એટલા માટે છે કે ભૂગર્ભજળમાંથી મળતા લાભોનો સપાટીજળ સાથે સમન્વય કરી શકાય છે. આ શાખા ભૂસ્તરશાસ્ત્ર…

વધુ વાંચો >

ભૂગર્ભીય સરોવર

Jan 23, 2001

ભૂગર્ભીય સરોવર : હિમાવરણ હેઠળ ઢંકાયેલું સરોવર. દક્ષિણ ધ્રુવખંડ-ઍન્ટાર્ક્ટિકાના હિમાવરણ હેઠળ ઢંકાયેલું આ સરોવર અભિયાનકારી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રશિયન અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ અહીંથી જે નમૂના મેળવ્યા છે તે 4,20,000 વર્ષ જૂના છે એવો વૈજ્ઞાનિકોનો દાવો છે. તેમના મત મુજબ, આ સરોવરનું જળ 5 લાખથી 10 લાખ વર્ષ પુરાણું હોવાની…

વધુ વાંચો >

ભૂગોળ

Jan 23, 2001

ભૂગોળ : પૃથ્વીની સપાટી પરનાં અનેકવિધ લક્ષણોની માહિતી આપતું શાસ્ત્ર. ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયેલો ‘ભૂગોળ’ શબ્દ પૃથ્વી ગોળ છે એવા શાબ્દિક અર્થ સિવાય કોઈ વૈજ્ઞાનિક અર્થ કે હેતુનો નિર્દેશ કરતો નથી, પરંતુ તેના અંગ્રેજી પર્યાય ‘geography’ દ્વારા વિષયની યથાર્થ સમજ મેળવી શકાય છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇરેટોસ્થિનિસે સર્વપ્રથમ…

વધુ વાંચો >

ભૂચુંબકત્વ

Jan 23, 2001

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૂસ્તરીય) : પૃથ્વીનો ચુંબકીય ગુણધર્મ. પૃથ્વી સ્વયં એક ચુંબકીય ગોળો છે. તે ચુંબકીય દિકપાત અને ચુંબકીય નમન જેવા ઘટકો ધરાવતા દ્વિધ્રુવીય ચુંબક (dipolar magnet) તરીકે વર્તે છે. સૂર્યકલંકો અને સૂર્ય-ઊર્જાને કારણે ભૂચુંબકીય ઘટકો પર અસર થવાથી ફેરફારો થતા રહે છે. ભૂચુંબકત્વના કારણરૂપ કાયમી ચુંબક-સિદ્ધાંત (permanent magnetic theory), વીજભાર-સિદ્ધાંત…

વધુ વાંચો >

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન)

Jan 23, 2001

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વી અને  તેના વાતાવરણનું કુદરતી ચુંબકત્વ. પૃથ્વી અને તેના પર રહેલા પદાર્થોમાં ચુંબકત્વના ગુણધર્મોનું મહત્વ પૌરાણિક સમયથી જ રહ્યું છે; જેમ કે, ચુંબકત્વ ધરાવતા ખડકોએ કુતૂહલતા અને જાદુઈ ચિરાગના ખ્યાલ પેદા કર્યા છે. ચુંબક એ લુહારે ટીપીને ઘડેલા (smithy’s forge) લોખંડની ઔદ્યોગિક પેદાશ છે. અર્થાત્, ચુંબક…

વધુ વાંચો >

ભૂ જૈવ ચક્રો

Jan 23, 2001

ભૂ જૈવ ચક્રો : જુઓ નિવસનતંત્ર

વધુ વાંચો >

ભૂતકેશી (કલ્હાર)

Jan 23, 2001

ભૂતકેશી (કલ્હાર) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલાટિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Verbascum coromandalinum (Vahl.) Kuntzc. syn. Celsia coromandaliana Vahl. (સં. भूतकेशी, ગુ. કલ્હાર) છે. તે ભારત અને શ્રીલંકામાં ભેજવાળી જગાઓએ કે નદીકિનારે થાય છે. એકવર્ષાયુ, શાકીય, રોમિલ અને નાની વનસ્પતિ છે. તેનાં પર્ણો સંયુક્ત કે પક્ષવત્ નિદર (pinnatisect)…

વધુ વાંચો >

ભૂતકતી-સંચલન

Jan 23, 2001

ભૂતકતી-સંચલન (plate tectonics) : પોપડાના ખંડિત વિભાગોનું સંચલન અથવા પ્રવહન. મધ્ય સામુદ્રિક ડુંગરધારો, મહાસાગરીય ખાઈઓ, ખંડીય અને દરિયાઈ વિભાગો, રેખીય પર્વતમાળાઓ, ક્ષૈતિજ ખસેડવાળા પાર્શ્વ સ્તરભંગો, જ્વાળામુખીને પાત્ર પ્રદેશો વગેરે જેવાં ભૂપૃષ્ઠ પર જોવા મળતાં ભૌગોલિક અને ભૂસ્તરીય લક્ષણોના તલસ્પર્શી અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પૃથ્વીનો પોપડો અનેક વિશાળ ર્દઢ…

વધુ વાંચો >

ભૂતબલિ

Jan 24, 2001

ભૂતબલિ : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર હિંસાના પાપમાંથી છૂટવા નિત્ય કરવાના પાંચ મહાયજ્ઞોમાંનો એક વિધિ. દ્વિજમાત્ર માટે દરરોજ ષટ્કર્મ કરવાં આવશ્યક હોવાનું વિધાન ધર્મશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. स्नानं सन्ध्या जपो होमः स्वाध्यायः पितृतर्पणम् । वैश्वदेवातिथेयश्च  षट्कर्माणि  दिने  दिने   ।। આ છ કર્મોમાં વૈશ્વદેવ અને અતિથિસત્કાર દ્વારા વ્યક્તિનો વૈશ્વિક સંબંધ બાંધવામાં આવ્યો…

વધુ વાંચો >