ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભુવનેશ્વર (શહેર)

Jan 22, 2001

ભુવનેશ્વર (શહેર) : ઓરિસા રાજ્યનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 21° 15´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. તે ઓરિસાના પુરી જિલ્લામાં ઈશાન ભાગમાં, કોલકાતાથી નૈર્ઋત્યમાં 386 કિમી.ને અંતરે આવેલું છે અને કોલકાતા-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરનું તેમજ દક્ષિણ-પૂર્વીય રેલવિભાગ પરનું મુખ્ય મથક છે. મહાનદીના ત્રિકોણ-પ્રદેશના મથાળે…

વધુ વાંચો >

ભુસાવળ

Jan 22, 2001

ભુસાવળ : મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 03´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે સાતપુડા હારમાળા અને દખ્ખણના ઉચ્ચપ્રદેશની  અજંતા હારમાળાની વચ્ચે તાપી નદી પર આવેલું છે. મુંબઈથી કોલકાતા અને અલાહાબાદ તરફ જતા મુખ્ય રેલ અને સડકમાર્ગો અહીં થઈને પસાર થાય છે. નજીકના…

વધુ વાંચો >

ભુસ્નુરમઠ, એસ. એસ.

Jan 22, 2001

ભુસ્નુરમઠ, એસ. એસ. (જ. 1911, નિડાગુંડી, ધારવાર) : કન્નડ લેખક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બેલગામ અને કૉલેજ-શિક્ષણ ધારવાડમાં. ધારવાડમાં એમ. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મળવાથી પોતાની જ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ. પાછળથી કર્ણાટક યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક થયા. ‘વીરશૈવ સંપ્રદાય’ એમનો શોધપ્રબંધ હોવાથી, એ સંપ્રદાયના સાહિત્યના તે નિષ્ણાત છે. એમણે…

વધુ વાંચો >

ભૂઆકૃતિવિજ્ઞાન

Jan 22, 2001

ભૂઆકૃતિવિજ્ઞાન (geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો કે ભૂમિઆકારો(landforms)નું વર્ણન કરતું વિજ્ઞાન. તે જુદાં જુદાં ભૂમિસ્વરૂપોની ઉત્પત્તિ (રચના) અને ઇતિહાસની સમજ આપે છે. તેનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાથી ક્રમબદ્ધ રચાયેલા ખડકસ્તરોનો ખ્યાલ આવી શકે છે, તદુપરાંત તેમના ઉપર થતો ઘસારો, ખવાણ, ધોવાણ તેમજ અન્ય પ્રક્રિયાઓનો તાગ મેળવી શકાય છે. આ બધી…

વધુ વાંચો >

ભૂઊર્ધ્વવળાંક

Jan 22, 2001

ભૂઊર્ધ્વવળાંક (geanticline) : ભૂસંનતિમય થાળાને જરૂરી નિક્ષેપદ્રવ્ય પૂરું પાડતો નજીકમાં રહેલો વિશાળ ભૂમિભાગ. અગાઉના સમયમાં તે ભૂઊર્ધ્વવાંકમાળાના સમાનાર્થી અને ભૂઅધોવાંકમાળાના વિરોધાર્થી શબ્દ તરીકે વપરાતો હતો. ભૂસંનતિની બાજુઓ પરની બંને કે એક કિનારી પરના પહોળા, ઉત્થાન પામેલા વિસ્તારને ભૂઊર્ધ્વવળાંક તરીકે ઓળખાવી શકાય. ઊંચાઈએ રહેલા આવા વિભાગો ભૂસંનતિમય થાળાને કણજમાવટ માટે ઘસારાજન્ય…

વધુ વાંચો >

ભૂકંપ

Jan 22, 2001

ભૂકંપ (earthquake) ભૂકંપ, કારણો, ભૂકંપને પાત્ર વિસ્તારો, ભૂકંપની અસરો, ભૂકંપનાં તત્વો, ભૂકંપલેખયંત્ર, ભૂકંપ છાયાપ્રદેશ, ભૂકંપની તીવ્રતા,  વર્ગીકરણ, દુનિયાના ભીષણ ભૂકંપો, વીસમી સદીના મુખ્ય ભૂકંપો, ભારતના ભીષણ ભૂકંપો, ભારતના ઓગણીસમી સદીથી  વીસમી સદીના ભીષણ ભૂકંપો, ભારતીય ભૂકંપોની સમીક્ષા, ગુજરાતના ભૂકંપો, છેલ્લી ચાર સદી દરમિયાન ગુજરાતમાં થયેલા ભૂકંપો,  આગાહી નિયંત્રણ અને સાવચેતી,…

વધુ વાંચો >

ભૂકંપ અને પર્યાવરણ

Jan 23, 2001

ભૂકંપ અને પર્યાવરણ : ભૂકંપની અસરથી ઉદભવતી પર્યાવરણીય પરિસ્થિતિ. પર્યાવરણનાં અજૈવિક પરિબળોમાં ભૂમિ, જમીન, હવા, પાણી, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠ, ભૂગર્ભજળ અને ભૂસ્તર પણ જૈવિક પર્યાવરણ પર અસર કરતાં હોઈ પર્યાવરણના અભ્યાસનાં અંગ બની રહે છે. 26 જાન્યુઆરી 2001ના લગભગ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર મહાભૂકંપ પછી પર્યાવરણીય…

વધુ વાંચો >

ભૂકંપ-રક્ષિત બાંધકામ

Jan 23, 2001

ભૂકંપ-રક્ષિત બાંધકામ : ભૂકંપની વિનાશક અસર સામે સક્ષમ રક્ષણ મળે તેવું અણનમ બાંધકામ. ભૂકંપથી જમીન કંપન અનુભવે છે અને મકાન, મહાલયો તેમજ અન્ય બાંધકામ ઉપર ઝાટકાઓ લાગે છે. નબળાં બાંધકામ જમીનદોસ્ત થાય છે અને જાનમાલને હાનિ પહોંચે છે. ભૂકંપની હાનિકારક અસરનો સામનો કરવા ભૂકંપ-રક્ષિત બાંધકામ જરૂરી બને છે. આ પ્રકારનું…

વધુ વાંચો >

ભૂકંપશાસ્ત્ર

Jan 23, 2001

ભૂકંપશાસ્ત્ર (seismology) : પૃથ્વી કે કોઈ પણ અન્ય ગ્રહ તેમજ તેમના કુદરતી ઉપગ્રહોમાં થતાં ભૂકંપ અને ભૂકંપીય તરંગપ્રસારણને લગતું વિજ્ઞાન. (પૃથ્વી માટે ભૂકંપ, ગ્રહો/ઉપગ્રહો માટે ગ્રહીય કંપ) પૃથ્વીના વિશેષ સંદર્ભમાં જોતાં, જે તે સ્થાનમાં જ્યારે પણ ભૂકંપ થાય ત્યારે તેના ઉદભવકેન્દ્રમાંથી પોપડામાં તેમજ પેટાળમાં ભૂકંપતરંગો પ્રસરણ પામે છે અને પૃથ્વીની…

વધુ વાંચો >

ભૂ-કિરીટ

Jan 23, 2001

ભૂ-કિરીટ (Geo-corona) : પૃથ્વીના વાયુમંડળનો સહુથી બહારનો ભાગ કે ઘટક. આ ભાગ મુખ્યત્વે હાઇડ્રોજન અને જૂજ માત્રામાં હિલિયમ વાયુ-વાદળના પ્રભામંડળ (halo) વડે બનેલો માનવામાં આવે છે. તેનો વિસ્તાર 50,000 કિમી.થી પણ વધુ અંદાજવામાં આવ્યો છે. આ ભૂ-કિરીટ, સૂર્યના લાઇમૅન-આલ્ફા વિકિરણ(Lyman-alpha radiation)નું પ્રકીર્ણન કરે છે, જેને કારણે દીપ્તિ ઉદભવે છે. આ…

વધુ વાંચો >