ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભાટે, રોહિણી

Jan 12, 2001

ભાટે, રોહિણી (જ. 14 જાન્યુઆરી 1924, પટણા) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાને સમર્પિત અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ ગણેશ તથા માતાનું નામ લીલા. પિતા વ્યવસાયે પ્રાધ્યાપક હતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમણે ત્યાંની ફર્ગ્યૂસન કૉલેજમાંથી 1946માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. ઉપરાંત, 1966માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીત વિશારદ’ની ઉપાધિ પણ…

વધુ વાંચો >

ભાડભુંજા

Jan 12, 2001

ભાડભુંજા : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

વધુ વાંચો >

ભાડભૂત

Jan 12, 2001

ભાડભૂત : ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું હિંદુઓનું પ્રાચીન પૌરાણિક તીર્થસ્થાન. ભરૂચથી તે 20 કિમી. દૂર છે. ભાડભૂત ભરૂચ-દહેજ રાજ્યમાર્ગ ઉપર આવેલું છે. નજીકનું રેલવે-સ્ટેશન ભરૂચ છે. અહીં ગ્રામપંચાયત-સંચાલિત દવાખાનું, બૅંક, પ્રાથમિક શાળા, સાર્વજનિક પુસ્તકાલય તથા સેવા સહકારી મંડળી આવેલાં છે. નર્મદાની પરિક્રમા કરનારની સગવડ ખાતર…

વધુ વાંચો >

ભાડાખરીદ પ્રથા

Jan 12, 2001

ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન…

વધુ વાંચો >

ભાડા-ખરીદી

Jan 12, 2001

ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.…

વધુ વાંચો >

ભાડું

Jan 12, 2001

ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…

વધુ વાંચો >

ભાણ

Jan 12, 2001

ભાણ :  સંસ્કૃત રૂપકના દસ પ્રકારોમાંનો એક. રૂપકનો તે વિલક્ષણ પ્રકાર છે. ભરતથી શરૂ કરીને (‘નાટ્યશાસ્ત્ર’) વિશ્વનાથ (‘સાહિત્યદર્પણ’) સુધીના નાટ્યશાસ્ત્રીઓએ તેની વ્યાખ્યા કરી છે. તેમાં એક જ પાત્ર હોય છે, જે નાયક અથવા વિટ હોય છે. આ એકોક્તિરૂપક પ્રકારમાં એક જ અંક હોય છે. નાયક આકાશભાષિત દ્વારા પોતાનો અને બીજાં…

વધુ વાંચો >

ભાણદાસ

Jan 12, 2001

ભાણદાસ (સત્તરમી સદી) : અખાની પરંપરાના નોંધપાત્ર વેદાન્તી કવિ. મહામાયાની અનન્ય શક્તિના પ્રબળ આલેખક. ભીમના પુત્ર અને કૃષ્ણપુરીના આ શિષ્ય વિશેષ જાણીતા છે એમની ગરબીઓથી. ‘ગરબી’ સંજ્ઞા પ્રથમ વાર પ્રયોજાયેલી એમની કૃતિમાં મળે છે. ભાણદાસની સુખ્યાત ગરબી છે ‘ગગનમંડળની ગાગરડી’. એ રચના આરંભાય છે – ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે…

વધુ વાંચો >

ભાણવડ

Jan 12, 2001

ભાણવડ : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. સ્થાન-સીમા-વિસ્તાર : તે આશરે 21° 50´ થી 22° 70´ ઉ. અ. અને 69° 30´ થી 69° 50´ પૂ. રે. વચ્ચેનો 731.9 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લાલપુર, પૂર્વ તરફ જામજોધપુર તાલુકા, દક્ષિણે પોરબંદર જિલ્લો,…

વધુ વાંચો >

ભાણસરાનાં મંદિરો

Jan 12, 2001

ભાણસરાનાં મંદિરો : પોરબંદર તાલુકાના ભાણસરા ગામમાં આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. આમાં મંદિર નં. 1, 4 અને 5 સ્થાપત્યની ર્દષ્ટિએ અગત્યનાં છે. પૂર્વાભિમુખ નં. 1 નીચી ઊભણી પર બાંધેલું છે.  મંદિરનું અધિષ્ઠાન વિવિધ થરો વડે અલંકૃત કરેલું છે. સાદી દીવાલો ધરાવતા આ મંદિરનું શિખર વિશિષ્ટ પ્રકારનું છે. ઉપરના ભાગે તે…

વધુ વાંચો >