ખંડ ૧૪
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ
ભૌતિક રસાયણશાસ્ત્ર
ભૌતિક રસાયણશાસ્ત્ર (physical chemistry) : રાસાયણિક સંયોજનોની સંરચના, તેમના ભૌતિક ગુણધર્મો, તેમની પ્રક્રિયા કરવાની ક્રિયાવિધિ (mechanism) તથા રાસાયણિક સંયોજનોની વિવિધ જાતો (species) વચ્ચે પ્રક્રિયા થવાથી જોવા મળતા ઊર્જાના ફેરફારો સાથે સંકળાયેલ રસાયણશાસ્ત્રની શાખા. તેમાં ભૌતિકશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતોનો રાસાયણિક ઘટનાઓ અંગે મોટી સંખ્યામાં પ્રાપ્ય અવલોકનાત્મક અથવા ગુણાત્મક (qualitative) માહિતીને માત્રાત્મક…
વધુ વાંચો >ભૌતિકવાદ
ભૌતિકવાદ : અધ્યાત્મવાદનો વિરોધી એવો તત્વમીમાંસાનો એક સિદ્ધાન્ત. જીવ, જગત અને ઈશ્વર એ તત્વત્રયના અંતિમ સ્વરૂપની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. તત્વમીમાંસકો તરીકે ભૌતિકવાદીઓનું મૂળભૂત પ્રતિપાદન એ છે કે જીવ, જગત અને ઈશ્વર એ કહેવાતાં ત્રણ તત્વોમાં જીવ કે આત્મા અને ઈશ્વર કે પરમાત્માને વાસ્તવિક અસ્તિત્વ છે જ…
વધુ વાંચો >ભૌતિકવિજ્ઞાન
ભૌતિકવિજ્ઞાન (Physics) નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનું એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન (natural science). આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાન એ ભૌતિકીય વિજ્ઞાનો(physical sciences)નું એક પાયાનું અંગ ગણાય છે. સામાન્યપણે આ વિષયનો થોડોઘણો…
વધુ વાંચો >ભૌતિક સંકેન્દ્રણ
ભૌતિક સંકેન્દ્રણ (placers) : ભૌતિક ક્રિયાઓ દ્વારા એકઠા થયેલા ખનિજકણજથ્થા. ભૌતિક સંકેન્દ્રણ એ કીમતી રેતીકણો કે ગ્રૅવલથી બનેલો એવા પ્રકારનો સંકેન્દ્રિત નિક્ષેપ છે, જેને માટે માત્ર ભૌતિક પરિબળો જવાબદાર હોય છે. આ પ્રકારનો પર્યાપ્ત જથ્થો મળી રહે તો તેનું ખનનકાર્ય ફાયદાકારક નીવડે છે. ભૌતિક સંકેન્દ્રણો એ સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, કલાઈ…
વધુ વાંચો >ભૌમકર સંવત
ભૌમકર સંવત : જુઓ સંવત
વધુ વાંચો >ભૌમિતિક રચનાઓ
ભૌમિતિક રચનાઓ અમુક નિશ્ચિત સાધનોના ઉપયોગ વડે ચોક્કસપણે ભૂમિતિની આકૃતિ દોરવાની વિધિ. નગરરચના, નહેરોનું બાંધકામ, ખેતીલાયક જમીનના જુદા જુદા આકારના ટુકડાઓનું માપન, શિલ્પકળા તથા ચિત્રકળા જેવાં માનવજીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ કાર્યોમાં મુખ્યત્વે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે ભૂમિતિનો વિકાસ થયો છે. ગ્રીક સંસ્કૃતિના ઉદય…
વધુ વાંચો >ભ્રમરકાવ્ય
ભ્રમરકાવ્ય : શ્રીમદભાગવતનો દશમ સ્કંધ કેટલાંક સુંદર સંસ્કૃત ગીતો આપે છે; જેવાં કે, ‘વેણુગીત’, ‘ગોપીગીત’, ‘યુગલગીત’, ‘ભ્રમરગીત’ અને ‘મહિષીગીત’. આ ગીતો છેલ્લા ગીત સિવાય વાસ્તવમાં વિરહગીતો છે. આમાંનું ‘ભ્રમરગીત’ એ વિરહગીત તો છે જ, ઉપરાંત એ ‘દૂતકાવ્ય’ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે મથુરા ગયા અને ત્યાં કંસવધ…
વધુ વાંચો >ભ્રમરોગ
ભ્રમરોગ : દરેક પદાર્થ ફરતો હોય એવું સંવેદન થવું તે. ભ્રમને આયુર્વેદમાં સ્વતંત્ર વ્યાધિ માનવામાં આવતો નથી, પણ ‘મૂર્ચ્છા’ વ્યાધિની અન્તર્ગત માનવામાં આવે છે. પહેલાં ભ્રમ થાય પછી મૂર્ચ્છા કે ‘સંન્યાસ’ થઈ શકે. ભ્રમ કેટલાક વ્યાધિમાં લક્ષણ કે ઉપદ્રવ-સ્વરૂપે થાય છે એટલે રોગીના પરીક્ષણમાં અન્ય વ્યાધિનું પરીક્ષણ કરવું આવશ્યક બને…
વધુ વાંચો >ભ્રમિલ
ભ્રમિલ (vortex) : પ્રવાહીમાં ઉદભવતી ગતિનો એક પ્રકાર. ધારારેખીય ગતિ કરતાં પ્રવાહી કે વાયુમાં જ્યારે અણી વિનાનો પદાર્થ અવરોધક તરીકે રાખવામાં આવે ત્યારે આવો અવરોધક પદાર્થ પસાર કર્યા બાદ પ્રવાહીમાં ભ્રમિલ આકારો જોવા મળે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે : જ્યારે પ્રવાહ-ધારા કોઈ અવરોધક દ્વારા અવરોધાય ત્યારે તેની બહારની…
વધુ વાંચો >ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર : નિયમ બહાર કે નિયમ વિરુદ્ધ હોદ્દા, સ્થાન કે પદનો વૈયક્તિક કે સામૂહિક ધોરણે ગેરલાભ લેવો તે. ઈ. પૂ. ચોથી સદીમાં પ્લેટોએ ‘રિપબ્લિક’માં જણાવ્યું કે જાહેર નીતિનો વ્યક્તિગત લાભ ન ઉઠાવે તેઓ જ શાસન કરવા લાયક છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજાઓ કે અન્ય શાસકોએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યાનાં…
વધુ વાંચો >બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…
વધુ વાંચો >બૉચિયોની, અમ્બર્તો
બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…
વધુ વાંચો >બોજ-બીબાં
બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…
વધુ વાંચો >બૉ, જૉયી
બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…
વધુ વાંચો >બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર
બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…
વધુ વાંચો >બોઝ, આનંદમોહન
બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…
વધુ વાંચો >બોઝ, ખુદીરામ
બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…
વધુ વાંચો >બોઝ, જગદીશચંદ્ર (સર)
બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) : બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…
વધુ વાંચો >બોઝ, દેવકી
બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…
વધુ વાંચો >બોઝ, નંદલાલ
બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…
વધુ વાંચો >