ખંડ ૧૨

પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા

પ્રાકૃતસર્વસ્વ

પ્રાકૃતસર્વસ્વ : સોળમી શતાબ્દીમાં રચાયેલ માર્કણ્ડેયકૃત વ્યાકરણગ્રંથ. પ્રારંભમાં હર, હરિ અને વાગ્દેવતાને પ્રણામ કરીને મંગલ કરવામાં આવ્યું છે. શાકલ્ય, ભરત, કોહલ, વરરુચિ, ભામહ, વસંતરાજ વગેરે પૂર્વસૂરિઓના ગ્રંથોનું અવલોકન કરીને ‘પ્રાકૃતસર્વસ્વ’ની રચના કરવામાં આવી છે તેમ કર્તા જણાવે છે. પ્રારંભના આઠ પાદમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો આપવામાં આવ્યાં છે; જેમાં અજવિધિ, અયુક્તવર્ણવિધિ,…

વધુ વાંચો >

પ્રાકૃતાનન્દ

પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે…

વધુ વાંચો >

પ્રાકૃતાનુશાસન

પ્રાકૃતાનુશાસન : એ નામનું પ્રાકૃત વ્યાકરણ. તેના લેખક બારમા શતકના બંગાળી પુરુષોત્તમ દેવ. બે વાર પ્રકાશિત : (1) શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા સંપાદિત, પૅરિસ, 1938. ફ્રેંચ ભૂમિકામાં તેની તુલનાત્મક છણાવટ સારી રીતે થઈ છે. (2) મનમોહન ઘોષ દ્વારા સંપાદિત રામશર્માકૃત ‘પ્રાકૃતકલ્પતરુ’ના પરિશિષ્ટ 1 રૂપે, એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954. પ્રારંભ…

વધુ વાંચો >

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો વનસ્પતિ કે સમુદ્ર જેવા કુદરતી સ્રોતોમાંથી મળી આવતા (પ્રાકૃતિક) તથા પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંશ્લેષણ કરીને મેળવાતાં (સાંશ્લેષિક) ઔષધો. પ્રાકૃતિક ઔષધો મુખ્યત્વે વનસ્પતિમાંથી – નાના છોડ (herb), થોડાક મોટા છોડ (shrub), વૃક્ષ કે વેલમાંથી મળે છે. સાંશ્લેષિક ઔષધો એ રાસાયણિક સંયોજનો છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા…

વધુ વાંચો >

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન ઔષધિનાં અભિજ્ઞાન, શુદ્ધતા અને ગુણવત્તાનું નિર્ધારણ. શુદ્ધતા એ પદાર્થની અનુપસ્થિતિ અને ગુણવત્તા એ ઔષધિની સક્રિયતા તથા એના અંત:સ્થ ગુણો નક્કી કરે છે. ઔષધિનું મૂલ્યાંકન ત્રણ હેતુસર જરૂરી છે : (1) ઔષધિમાં જીવરાસાયણિક પરિવર્તન; (2) સંચયન દરમિયાન ઔષધિમાં અવનતિ (deterioration); (3) પ્રતિસ્થાપન અને અપમિશ્રણ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World…

વધુ વાંચો >

પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ

પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ કુદરતમાં મળી આવતી વનસ્પતિનાં વિવિધ અંગોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોનું વર્ગીકરણ. ભારત તેની પલટાતી આબોહવા તથા વાનસ્પતિક વિવિધતા માટે જાણીતો છે. ઔષધીય તત્વો તથા ઉડ્ડયનશીલ તેલો ધરાવતા આવા આશરે 2,000 જેટલા છોડ અથવા વનસ્પતિ છે. ઔષધ બે રીતે મળે છે : (i) પ્રયોગશાળામાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળતાં…

વધુ વાંચો >

પ્રાકૃતિક પસંદગી (natural selection)

પ્રાકૃતિક પસંદગી (natural selection) : ચાર્લ્સ ડાર્વિન દ્વારા સૌપ્રથમ વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી પ્રતિપાદિત સજીવોની ઉત્ક્રાંતિના પ્રક્રમને સમજાવતો સિદ્ધાંત. ડાર્વિન (1809–1882) શરૂઆતથી પૃથ્વી પર વસતાં સજીવો, વીતી ગયેલાં કરોડો વર્ષો દરમિયાન સજૈવ ઉત્ક્રાંતિને અધીન વિકાસ પામ્યાં છે તેવી માન્યતા ધરાવતા હતા. 1831થી 1836 દરમ્યાન એચ. એમ. એસ. બીગલ દ્વારા આયોજિત બ્રિટિશ વૈજ્ઞાનિકોના…

વધુ વાંચો >

પ્રાકૃતિક પેદાશો (natural products)

પ્રાકૃતિક પેદાશો (natural products) : કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનો. પુરાણા કાળમાં પણ રંગકામ માટેના રંગકો, અત્તરો તથા ઔષધો (folk medicines) તરીકે પ્રાકૃતિક પદાર્થો વપરાતા હતા. ઔષધો તરીકે વપરાતા બધા જ પદાર્થો કાર્બનિક સંયોજનો હોય છે, જે તેમનાં કુદરતી પ્રાપ્તિસ્થાનો–વનસ્પતિમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવાતાં. પુનરુત્થાન (renaissance) ગાળા દરમિયાન 60થી વધુ અત્તરો…

વધુ વાંચો >

પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology)

પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology) : ભૂસ્તરશાસ્ત્રની એક વિષયશાખા. તેમાં ભૂપૃષ્ઠરચનાશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. પૃથ્વીનું બંધારણ, તેના વિભાગો, તેના ગુણધર્મો, જુદાં જુદાં પરિબળો દ્વારા પૃથ્વીને અસર કરતી પ્રક્રિયાઓ, ખડકો, ખનિજો અને નિક્ષેપોમાં થતા ફેરફારો, જુદી જુદી સંરચનાઓ, ખડકરચનાઓ, તેમની ઉત્પત્તિ જેવી બાબતોની વિગતવાર માહિતી આ વિજ્ઞાનશાખા દ્વારા મળી શકે…

વધુ વાંચો >

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ…

વધુ વાંચો >

પ્યાર જી પ્યાસ (1972)

Feb 1, 1999

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

Feb 1, 1999

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >

પ્યાસા (1957)

Feb 1, 1999

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

Feb 1, 1999

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્યુનીકા

Feb 1, 1999

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

Feb 1, 1999

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

Feb 1, 1999

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

Feb 1, 1999

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

Feb 1, 1999

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

Feb 1, 1999

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >