ખંડ ૧૨

પ્યાર જી પ્યાસથી ફલ્યુરોમયતા

પ્રબન્ધચિન્તામણિ (1305)

પ્રબન્ધચિન્તામણિ (1305) : સત્પુરુષોના ચરિત-પ્રબન્ધોનો સંગ્રહ. કર્તા મેરુતુંગાચાર્ય. જૈન પ્રબન્ધગ્રંથોમાં મેરુતુંગાચાર્ય-રચિત ‘પ્રબન્ધ-ચિન્તામણિ’ સુપ્રસિદ્ધ છે. મેરુતુંગસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા ને એમના ગુરુનું નામ ચન્દ્રપ્રભસૂરિ હતું. મેરુતુંગાચાર્યે ‘મહાપુરુષચરિત’ નામે ગ્રંથમાં પાંચ તીર્થંકરોનું સંક્ષિપ્ત ચરિત નિરૂપ્યું છે. સત્પુરુષોના પ્રબન્ધોનો આ સંગ્રહ વિદ્વાનોને ચિન્તામણિ સમાન લાગશે એવો અર્થ કર્તાને ‘પ્રબન્ધચિન્તામણિ’ના શીર્ષક દ્વારા અભિપ્રેત છે.…

વધુ વાંચો >

પ્રબલન (stimulation)

પ્રબલન (stimulation) : અભિસંધાન (conditioning) દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણનો એક ઘટક. અભિસંધાનની બે રીતો હોય છે : પ્રશિષ્ટ અને કારક. એ બેમાં પ્રબલનનો અર્થ સહેજ જુદો જુદો થાય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન એટલે અભિસંધિત ઉદ્દીપક (દા.ત., ઘંટડી) અને અનભિસંધિત ઉદ્દીપક(દા.ત., ખોરાક)ને જોડમાં રજૂ કરવાની ક્રિયા, જેને લીધે અભિસંધિત પ્રતિક્રિયા (દા.ત.,…

વધુ વાંચો >

પ્રબળતા (loudness)

પ્રબળતા (loudness) : કોઈ પણ અવાજની માત્રા કે તેના પ્રમાણનો માનવીના કાન દ્વારા મળતો અંદાજ. પ્રબળતા એ અવાજનું શારીરિક સંવેદન છે, જે આત્મલક્ષી (subjective) હોય છે. આની સરખામણીમાં ધ્વનિની તીવ્રતા (intensity) એ એક ભૌતિકરાશિ છે, જેને વૉટ/(મીટર)2 કે અન્ય એકમમાં માપી શકાય. કાન પર પડતા અવાજની તીવ્રતા વધુ હોય તેમ…

વધુ વાંચો >

પ્રબુદ્ધ જીવન

પ્રબુદ્ધ જીવન : જીવનઘડતરને લગતું જૂનું ગુજરાતી સામયિક. અસત્ય સામે પ્રતિકાર કરવા તથા સમાજઘડતરની વિવિધ પ્રવૃત્તિઓને વાચા તથા પ્રોત્સાહન આપવાના હેતુથી વિવેકશીલ વિચારક અને સુધારાના પ્રખર હિમાયતી, પરમાનંદ કુંવરજી કાપડિયાએ 1931ની પહેલી નવેમ્બરે ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના મુખપત્ર તરીકે મુંબઈથી ‘પ્રબુદ્ધ જૈન’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. પરંતુ તેમણે…

વધુ વાંચો >

પ્રબોધચંદ્રોદય

પ્રબોધચંદ્રોદય : સંસ્કૃત ભાષામાં લખાયેલું શ્રીકૃષ્ણમિશ્ર યતિનું રૂપકાત્મક નાટક. રચનાકાળ : અગિયારમી સદી. કે. એસ. શાસ્ત્રી દ્વારા તેનું સંપાદન કરાતાં ત્રિવેન્દ્રમથી 1936માં પ્રકાશિત થયું. વળી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા પણ તેનું પ્રકાશન થયું છે. એવી માન્યતા છે કે ચંદેલનરેશ મહારાજ કીર્તિવર્મા (1048–1116), ચેદીરાજ કર્ણ પર વિજય પ્રાપ્ત કરવામાં થયેલા રક્તપાતથી…

વધુ વાંચો >

પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી)

પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ માંડણ બંધારા(ઈ. સ. 1518 આસપાસ)ની જ્ઞાનાત્મક પદ્યકૃતિ. કૃતિની કડીની કે વિષયની સંખ્યાને આધારે જે સાહિત્યસ્વરૂપો ઓળખાયાં તેમાં અષ્ટક, પચીશી, બત્રીશી અને બાવની મુખ્ય છે. અહીં 6 ચરણવાળી ચોપાઈના બંધમાં 20 કડીની એક એવી 32 વિષયની કહેવત-ઉખાણાનો ઉપયોગ કરતી રચનાઓ દ્વારા પ્રબોધ…

વધુ વાંચો >

પ્રભજોત કૌર

પ્રભજોત કૌર (જ. 1924, પંજાબ) : પંજાબી લેખિકા. લાહોર ખાતેની મહિલાઓ માટેની ખાલસા કૉલેજમાંથી 1945માં તે સ્નાતક થયાં. 1948માં, પંજાબના જાણીતા નવલકથાકાર નરેન્દ્રપાલ સિંગ સાથે લગ્ન કર્યાં. પંજાબી સાહિત્યજગતમાં આ લગ્ન એક લાક્ષણિક ઘટના લેખાય છે – એટલા માટે કે સાહિત્યકાર પતિને તેમની નવલકથા ‘બા મુલાહિઝા હોશિયાર’ (1975) માટે 1976ના…

વધુ વાંચો >

પ્રભાકરન્, વેલુપિલ્લાઈ

પ્રભાકરન્, વેલુપિલ્લાઈ (જ. 26 નવેમ્બર 1954, વેલુવેત્તીતુરાઈ, જાફના, શ્રીલંકા; અ. મે 2009) : શ્રીલંકાના ઈશાન દિશાના પ્રદેશમાં તમિળ નાગરિકોનું સ્વતંત્ર રાજ્ય પ્રસ્થાપિત કરવા માટે ઝઝૂમી રહેલા ‘આતંકવાદી’ અને લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ (LTTE) નામના સશસ્ત્ર સંગઠનના સર્વેસર્વા. લાડકું નામ ‘તમ્બી’. વૈશ્વિક ફલક પર આતંકવાદી તરીકે કુખ્યાત બનેલા મુસ્લિમ કટ્ટરવાદી…

વધુ વાંચો >

પ્રભાકરવર્ધન

પ્રભાકરવર્ધન (શાસનકાળ : 580–606) : થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના મહારાજા આદિત્યવર્ધનના પુત્ર અને ઉત્તરાધિકારી. પ્રભાકરવર્ધને હૂણ, સિંધુરાજ, ગુર્જર, ગાંધારાધિપ, લાટ અને માલવની રાજસત્તાઓનો પરાભવ કરી, ઉત્તર ભારતના પ્રદેશો પર પોતાની અધિસત્તા સ્થાપી. એના આ વિજયોથી એ ‘પ્રતાપશીલ’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે ‘પરમભટ્ટારક’ અને ‘મહારાજાધિરાજ’ જેવાં મહાબિરુદ ધારણ કર્યાં. પ્રભાકરવર્ધનની મહારાણી યશોમતી…

વધુ વાંચો >

પ્રભાકર, વિષ્ણુ દુર્ગાપ્રસાદ

પ્રભાકર, વિષ્ણુ દુર્ગાપ્રસાદ (29 જાન્યુઆરી 1912, મીરાપુર, જિ. મુઝફ્ફરનગર, ઉ.પ્ર.; અ. 11 એપ્રિલ 2009, ન્યૂ દિલ્હી) : હિંદી ભાષાના ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર. એમના પિતા દુર્ગાપ્રસાદ રૂઢિચુસ્ત હતા જ્યારે માતા મહાદેવી રૂઢિભંજક હતાં, જેમણે પરંપરાથી ચાલી આવતી પડદાપ્રથાનો પરિત્યાગ કર્યો હતો. એમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું હતું. અગિયાર વર્ષના…

વધુ વાંચો >

પ્યાર જી પ્યાસ (1972)

Feb 1, 1999

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

Feb 1, 1999

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >

પ્યાસા (1957)

Feb 1, 1999

પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…

વધુ વાંચો >

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146)

Feb 1, 1999

પ્યુનિક વિગ્રહો (ઈ. પૂ. 264–146) : પ્રાચીન સમયમાં રોમ અને કાર્થેજ વચ્ચે લડાયેલા વિગ્રહો. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં રોમન સત્તાનો ફેલાવો કરવા રોમ અને કાર્થેજ વચ્ચે ત્રણ યુદ્ધો થયાં, તે ‘પ્યુનિક વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તે ત્રણેય વિગ્રહોમાં રોમનો વિજય થયો હતો. ફિનિશિયનોએ કાર્થેજ વસાવ્યું હતું. લૅટિન ભાષામાં ફિનિશિયનો માટે ‘પ્યુનિક’…

વધુ વાંચો >

પ્યુનીકા

Feb 1, 1999

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

Feb 1, 1999

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

Feb 1, 1999

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્યોંગયાંગ (Pyongyang)

Feb 1, 1999

પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે…

વધુ વાંચો >

પ્રકટીકરણ (development)

Feb 1, 1999

પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

Feb 1, 1999

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >