ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પોકરણ (પોખરણ) પરમાણુ-વિસ્ફોટ
પોકરણ (પોખરણ) પરમાણુ–વિસ્ફોટ : રાજસ્થાનની પશ્ચિમે જેસલમેર જિલ્લામાં આવેલા તાલુકાનું મથક. ભૌગોલિક રીતે પોકરણ 26.55 ઉત્તર અક્ષાંશે અને 71.55 પૂર્વ રેખાંશે આવેલું છે. ઘણા સમય પહેલાં તે જોધપુર જિલ્લામાં હતું, પણ પાછળથી તેનો જેસલમેર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે તે જોધપુર રાજ્યમાં હતું ત્યારે પોકરણના ઠાકુરે મ્યુનિસિપલ બોર્ડ…
વધુ વાંચો >પૉક્સ વિષાણુ (Pox Virus)
પૉક્સ વિષાણુ (Pox Virus) : પૉક્સ વિષાણુ સૌથી મોટું કદ ધરાવતા વિષાણુઓ છે. આ વિષાણુનું કદ અમુક નાના જીવાણુ કરતાં મોટું છે (દા. ત., ક્લેમીડિયા Chlemydia). તેઓ 400 x 240 x 200 નૅનોમીટર કદના હોય છે. તેમના મોટા કદને કારણે તેમને ફેઝ કૉન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં અથવા અભિરંજિત કર્યા બાદ પણ જોઈ…
વધુ વાંચો >પોખરાજ
પોખરાજ : જુઓ, ટોપાઝ.
વધુ વાંચો >પો-ચૂ-ઈ
પો–ચૂ–ઈ (જ. 28 ફેબ્રુઆરી 772, હોનાન; અ. 8 સપ્ટેમ્બર 846 Lyoyang, ચીન) : ચીની કવિ. મુખ્યત્વે બૅલેડ કાવ્યો અને વ્યંગ્ય કવિતા માટે વિખ્યાત. સામાન્ય જનતા સમજી શકે તેવી કવિતા સર્જવાના આગ્રહી. તેમના કુટુંબમાં મોટા ભાગના સભ્યો કવિઓ અને અધિકારીઓ હતા. 794માં પિતાના નિધનથી સિવિલ સર્વિસની પરીક્ષાના અભ્યાસમાં વિક્ષેપ ઊભો થયો.…
વધુ વાંચો >પોચો સડો
પોચો સડો : ફૂગ અને જીવાણુઓના આક્રમણને લીધે ફળ અને શાકભાજીમાં થતો રોગ. તે મુખ્યત્વે ફળ અને શાકભાજીને અપૂરતાં હવા-ઉજાસવાળી પેટીમાં ભરી, અપૂરતી કાળજી રાખી તેમની હેરફેર કરવાથી થાય છે. આ સૂક્ષ્મ પરોપજીવીઓ કૃત્રિમ જખમ દ્વારા ફળમાં પ્રવેશ કરે છે અને તેની વૃદ્ધિ થતાં ફળ પોચું થઈ સડી જાય છે.…
વધુ વાંચો >પૉઝિટ્રૉન (positron)
પૉઝિટ્રૉન (positron) : ઇલેક્ટ્રૉનના જેટલું દળ ધરાવતો તથા મૂલ્યમાં તેના ઋણ વિદ્યુતભાર જેટલો પણ ધન વિદ્યુતભાર ધરાવતો મૂળભૂત કણ. આમ પૉઝિટ્રૉન એ ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ (antipartical) અથવા વિદ્યુતભાર સંયુગ્મી (charge-conjugate) છે. ભૌતિકશાસ્ત્રી પી. એ. એમ. ડિરાકે તેના સૈદ્ધાંતિક અસ્તિત્વનું સૂચન કર્યું હતું અને ભૌતિકશાસ્ત્રી સી. ડી. ઍન્ડર્સને 1932માં પૉઝિટ્રૉનની પ્રાયોગિક રીતે…
વધુ વાંચો >પૉઝિટ્રૉનિયમ
પૉઝિટ્રૉનિયમ : ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની બદ્ધ સ્થિતિ. ઇલેક્ટ્રૉન-પૉઝિટ્રૉનનું આવું સંયોજન અલ્પજીવી હોય છે. પૉઝિટ્રૉનિયમના બે પ્રકાર છે : (1) ઑર્થોપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણો – ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનનું પ્રચક્રણ (spin) સમાંતર હોય છે અને (2) પૅરા-પૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણોનાં પ્રચક્રણ પ્રતિસમાંતર હોય છે. ઑર્થોપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ 10-7 સેકન્ડ છે. અને પછી તે…
વધુ વાંચો >પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર કૉલકાતા
પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર, કૉલકાતા : રાષ્ટ્રને વૈજ્ઞાનિક અને નાગરિક હેતુઓ માટે તથા પંચાંગ તૈયાર કરવા જરૂરી આધારભૂત ખગોલીય સામગ્રી પૂરી પાડતી સરકારી કચેરી. ‘ઇન્ડિયા મીટિયરલૉજિકલ ડિપાર્ટમેન્ટ’ અર્થાત ભારતના ઋતુવિજ્ઞાન વિભાગ હેઠળ કામગીરી બજાવતું આ સેન્ટર કૉલકાતામાં આવેલું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં ભારતમાં ખગોળ અને ખગોળ-ભૌતિકીમાં થયેલી પ્રગતિ અને હવે…
વધુ વાંચો >પૉઝોલેનિક સિમેન્ટ
પૉઝોલેનિક સિમેન્ટ : જ્વાળામુખીની રાખના થરમાંથી મળતો કુદરતી પદાર્થ. કુદરતી પૉઝોલેનિક સિમેન્ટ એ 80 % ચૂનાવાળી માટી ધરાવતી જ્વાળામુખીની રાખ છે. સુરખી, દાણાદાર સ્લૅગ (ધાતુમળ) અથવા ફ્લાય-ઍશનો ઉપયોગ કરી પૉઝોલેનિક સિમેન્ટ બનાવાય છે. યોગ્ય જાતની માટી (shale) અથવા કેટલાક રેતીના ખડકોનું જ્વલન કરીને કૃત્રિમ પૉઝોલેના તૈયાર કરવામાં આવે છે. પૉઝોલેનામાં…
વધુ વાંચો >પોટાશ નિક્ષેપો
પોટાશ નિક્ષેપો : જુઓ, બાષ્પજન્ય નિક્ષેપો.
વધુ વાંચો >