ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પેન્ટૅથ્લૉન

Jan 20, 1999

પેન્ટૅથ્લૉન : પાંચ રમતોની સ્પર્ધા. દરેક રમતમાં ભાગ લેવો હરીફ માટે ફરજિયાત હોય છે. ગુજરાતીમાં આને ‘પંચ રમત સમૂહસ્પર્ધા’ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં ઑલિમ્પિક રમતોત્સવમાં આ રમત રમાતી હતી, જેમાં 192 મી. દોડ (સ્ટેડિયમ દોડ), લાંબો કૂદકો, ચક્રફેંક, ભાલાફેંક અને કુસ્તીની રમતોનો સમાવેશ થતો હતો. પ્રથમ ચાર રમતોમાં પ્રથમ…

વધુ વાંચો >

પૅન્ટોગ્રાફ (સર્વમાપલેખી)

Jan 20, 1999

પૅન્ટોગ્રાફ (સર્વમાપલેખી) : નકશાને નાનો કે મોટો બનાવવા માટે વપરાતું સાધન. સમાંતરબાજુ ચતુષ્કોણ અને બે ત્રિકોણની એકરૂપતાના સિદ્ધાંત પર આ ઉપકરણ રચાયું છે. તેનો ઉપયોગ હાથ વડે (manually) કરવાનો હોય છે. તે સ્વયંસંચાલિત (automatic) નથી હોતું. સામાન્ય રચના : આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ઉપકરણ ધાતુના ચોરસ આડછેદવાળા ચાર સળિયાઓનું બનેલું…

વધુ વાંચો >

પેન્ટોઝ ફૉસ્ફેટ પથ

Jan 20, 1999

પેન્ટોઝ ફૉસ્ફેટ પથ : શરીરની કેટલીક પેશીઓમાં ગ્લુકોઝના વિઘટન સાથે સંકળાયેલ અજારક પ્રક્રિયાની હારમાળા. આ પથનું અનુસરણ કરવાથી ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટનું રૂપાંતર પેન્ટોઝ ફૉસ્ફેટ(રિબ્યુલોઝ-5-ફૉસ્ફેટ)માં થાય છે. અહીં સામાન્ય ગ્લાયકોલાયટિક પથમાં પ્રવેશ કરવાને બદલે, હેક્ઝોઝ મૉનોફૉસ્ફેટ (ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટ), એક બીજા પથને અનુસરતો હોવાથી આ પથને HMP Shunt (હેક્ઝોઝ મૉનોફૉસ્ફેટ અનુવર્તી પથ) તરીકે…

વધુ વાંચો >

પેન્ટોઝાયલેસી

Jan 20, 1999

પેન્ટોઝાયલેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના પેન્ટોઝાયલેલ્સ ગોત્રનું કુળ. જાણીતા જીવાશ્મવિદ્ પ્રા. બીરબલ સાહની અને તેમના સહાધ્યાયીઓએ (1948) બિહારના અમરપરા જિલ્લાના સંથાલ પરગણામાં રાજમહાલની ટેકરીઓ પાસે આવેલા નિપાનિયા ગામમાંથી અનેક જીવાશ્મો એકત્રિત કર્યા. આ જીવાશ્મો ભારતના ઉપરી ગોંડવાના ક્ષેત્રના જ્યુરસિક ભૂસ્તરીય યુગના હોવાનું મનાય છે. તેમનાં લક્ષણો ટેરિડોસ્પર્મેલ્સ, સાયકેડીઑઇડેલ્સ, સાયકેડેલ્સ અને…

વધુ વાંચો >

પૅન્ટોડ

Jan 20, 1999

પૅન્ટોડ : પાંચ ઇલેક્ટ્રૉડ (વિદ્યુત-ધ્રુવ) ધરાવતી નિર્વાત કરેલી કાચની નળી (vaccum-tube). તેને વાલ્વ પણ કહે છે. કારણ કે આ પ્રયુક્તિ એક જ દિશામાં કાર્ય કરે છે. 1946માં ગણકયંત્ર ‘એનિયાક’ એટલે કે electronic numerical integrator and calculator – ENIACમાં 19,000 વાલ્વનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કમ્પ્યૂટરમાં વાલ્વના ઉપયોગથી તેનું કદ ખૂબ…

વધુ વાંચો >

પેન્ડ્યુલા

Jan 20, 1999

પેન્ડ્યુલા : ઊભો આસોપાલવ. શાસ્ત્રીય નામ Polyalthia longifolia Thw. var. Pendula. કુળ : એનોનેસી. અં. માસ્ટ (Indian Mast tree) અથવા સિમેટ્રી; હિં. અશોક, દેવશર; બં. દેવદારુ; ગુ. આસોપાલવ, તે. નાશમામીડી; ત. નેટ્ટીલિંગમ્, અસોથી; ક. કમ્બાડામારા, હેસારી; મ. અરનાચોરના; ઊ. દેવદારુ, આસુપાલ; આ. ઉન્બોઈ. પેન્ડ્યુલા એ ખરેખર વૃક્ષ કે વનસ્પતિનું નામ…

વધુ વાંચો >

પૅન્થાલસા

Jan 20, 1999

પૅન્થાલસા : જુઓ, પેન્જિયા.

વધુ વાંચો >

પૅન્થિયન (પૅરિસ)

Jan 20, 1999

પૅન્થિયન (પૅરિસ) (1750-90) : ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં જિનીવેવ તરીકે ઓળખાતી ઇમારત. રોમ, ઍથેન્સ અને પૅરિસ-એમ દુનિયામાં ત્રણ પૅન્થિયન આવેલાં છે. સ્થાપત્યની નિયો-ક્લાસિસિઝમ શૈલીની ઇમારતોનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં પૅરિસના પૅન્થિયનની ગણના થાય છે. ક્લાસિકલ શૈલીના ગૉથિક સ્થાપત્યની સાથે અનોખું તાલબદ્ધ સંયોજન આ દેવળમાં જોવા મળે છે. યોજનામાં કરેલા ફેરફારો અને સુધારા-વધારા છતાં…

વધુ વાંચો >

પૅન્થિયન (રોમ)

Jan 20, 1999

પૅન્થિયન (રોમ) (આશરે 120-123) : કીર્તિમંદિર પ્રકારનું રોમન દેવળ. રોમન પ્રજાએ પોતાનું સામર્થ્ય દાખવવા બનાવેલી ઇમારતોમાં પૂજા-અર્ચના માટે બનાવેલી આ ઇમારત વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પૅન્થિયન નામની ઇમારત પૅરિસ અને ઍથેન્સમાં પણ આવેલી છે. આ ઇમારતનાં પ્રભાવશાળી પ્રમાણમાપ, પ્રકાશબારીવાળો ગુંબજ અને અંદરની અદભુત પ્રમાણમાપવાળી વિશાળ જગ્યાને કારણે પૅન્થિયન રોમન સ્થાપત્યકલામાં…

વધુ વાંચો >

પેન્નાર

Jan 20, 1999

પેન્નાર : દક્ષિણ ભારતની નદી. કર્ણાટકના ચિક બેલાપુરથી 11 કિમી.ને અંતરે આવેલા નૈર્ઋત્યના દખ્ખણના ઉચ્ચપ્રદેશમાંથી તે નીકળે છે. અહીંથી તે ઉત્તર તરફ વહી આંધ્રપ્રદેશમાં પ્રવેશે છે. ત્યાંથી તે પૂર્વ તરફનો વળાંક લે છે, વચ્ચે તેને દક્ષિણ તરફથી ચિત્રવતી અને ઉત્તર તરફથી કુંડેરુ નદી મળે છે. ત્યાંથી નેલોર પાસે થઈને કોરોમાંડલ…

વધુ વાંચો >