ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ
પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ : જુઓ પૃથ્વી.
વધુ વાંચો >પૃથ્વીષેણ (ઈ. સ. 250)
પૃથ્વીષેણ (ઈ. સ. 250) : વાકાટક વંશનો એક પ્રતાપી રાજા. વાકાટક વંશની સત્તા ઈ. સ. 250ના અરસામાં વિન્ધ્ય-પ્રદેશમાં સ્થપાઈ હતી. સમ્રાટ પ્રવરસેન પહેલાના સમય(લગભગ ઈ. સ. 275-335)માં એ છેક બુંદેલખંડથી હૈદરાબાદ સુધી વિસ્તરી હતી. એના પૌત્ર રુદ્રસેન પહેલાના અભ્યુદયમાં એના માતામહ ભારશિવ રાજા(ભવનાગ)નો સક્રિય સહકાર રહેલો હતો. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે…
વધુ વાંચો >પૃષ્ઠતાણ
પૃષ્ઠતાણ : પ્રવાહીની સપાટીમાં પ્રવર્તતું, તેના ક્ષેત્રફળને ઓછામાં ઓછું રાખવાનો પ્રયત્ન કરતું બળ. પ્રવાહી/વાયુ, પ્રવાહી/પ્રવાહી, ઘન/ઘન, ઘન/પ્રવાહી અને ઘન/વાયુ જેવી બે પ્રાવસ્થા વચ્ચેનાં આંતરપૃષ્ઠ (interface) આંતરપૃષ્ઠીય ઊર્જા ϒ ધરાવે છે. પ્રવાહી અને વાયુ વચ્ચેના આંતરપૃષ્ઠ માટેની આવી ઊર્જાને પૃષ્ઠતાણ કહે છે. પૃષ્ઠતાણ માટે ϒ અથવા Γ સંજ્ઞા વપરાય છે. પ્રવાહીનાં ટીપાંનો ગોળ આકાર…
વધુ વાંચો >પૃષ્ઠવંશી (vertebrata)
પૃષ્ઠવંશી (vertebrata) કરોડરજ્જુ (vertebral column) ધરાવતી પ્રાણીસૃષ્ટિનો એક વિશાળ સમૂહ. બધાં પ્રાણીઓને અપૃષ્ઠવંશી (invertebrata) અને પૃષ્ઠવંશી (vertebrata) એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. વર્ગીકરણની દૃષ્ટિએ પૃષ્ઠવંશી પ્રાણીઓને મેરુદંડી (chordata) સમુદાયના એક ઉપસમુદાય(subphylum)માં ગણવામાં આવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની ગર્ભાવસ્થાના ઉત્તરકાળ દરમિયાન મેરુદંડ (notochord) ઉપરાંત અથવા તો તેના સ્થાને ખંડિત કરોડરજ્જુ પ્રસ્થાપિત…
વધુ વાંચો >પૃષ્ઠસક્રિય કર્તા (પૃષ્ઠસક્રિય પદાર્થ) (surface active agent or surfactant)
પૃષ્ઠસક્રિય કર્તા (પૃષ્ઠસક્રિય પદાર્થ) (surface active agent or surfactant) : પ્રવાહીમાં થોડા પ્રમાણમાં ઉમેરવાથી તેનું પૃષ્ઠતાણ (surface tension) ઘટાડી, પ્રવાહીના વિસ્તરણ (spreading) અથવા આર્દ્રક (wetting) ગુણધર્મો વધારવા માટે વપરાતો [પ્રક્ષાલક (detergent) જેવો] પદાર્થ. આવા પદાર્થો ઘન અથવા પ્રવાહી સપાટીઓની પૃષ્ઠઊર્જા(surface energy)માં મોટો ફેરફાર કરે છે. આ ફેરફાર કરવાની તેમની ક્ષમતા…
વધુ વાંચો >પેઇન ટૉમસ
પેઇન, ટૉમસ (જ. 29 જાન્યુઆરી 1737, થેટફર્ડ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1809, ન્યૂયૉર્ક, યુ.એસ.એ) : અમેરિકા અને ફ્રાંસની ક્રાંતિઓમાં મહત્ત્વનું વૈચારિક પ્રદાન કરનાર અઢારમી સદીના અગ્રણી રાજકીય ચિંતક. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે વ્યવસ્થિત શિક્ષણ ન પામી શકનાર પેઇનને ઘણી નાની વયે વહાણમાં ખલાસી તરીકે, ઇંગ્લૅન્ડના સરકારી આબકારી…
વધુ વાંચો >પેઇન્ટર, બાબુરાવ
પેઇન્ટર, બાબુરાવ (જ. 3 જૂન 1890, કોલ્હાપુર; અ. 16 જાન્યુઆરી 1954, કોલ્હાપુર) : હિંદી ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને છબીકાર. ભારતીય સિનેમાના ઇતિહાસમાં બાબુરાવ પેઇન્ટર ‘સિને કેસરી’ તરીકે જાણીતા હતા. તેમનું ખરું નામ બાબુરાવ કૃષ્ણરાવ મિસ્ત્રી હતું. કોલ્હાપુરમાં સ્થપતિ પિતાને ત્યાં જન્મ થયો હતો. બાબુરાવે બચપણથી મૂર્તિકલાનું જ્ઞાન મેળવ્યું. યુવાનવયે નાટકોના…
વધુ વાંચો >પેક, ગ્રેગરી
પેક, ગ્રેગરી (જ. 5 એપ્રિલ 1916, લા જોલા, કૅલિફૉર્નિયા; અ. 12 જૂન 2003, લૉસ એન્જિલસ કૅલિફૉર્નિયા) : અમેરિકાના ફિલ્મ અભિનેતા. ન્યૂયૉર્કમાંના નેબરહૂડ પ્લેહાઉસમાં 2 વર્ષ અભિનયપ્રવૃત્તિ કર્યા પછી 1942માં તેમણે બ્રૉડવે પર સર્વપ્રથમ અભિનય કર્યો; તે સાથે જ તેમને ફિલ્મ-અભિનય માટે ઢગલાબંધ પ્રસ્તાવ મળ્યા. યુદ્ધોત્તર સમયના તેઓ એક મહત્ત્વના સ્વતંત્ર…
વધુ વાંચો >પૅકર, કેરી
પૅકર, કેરી (જ. 17 ડિસેમ્બર 1937, સિડની; અ. 26 ડિસેમ્બર 2005, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : સમૂહ માધ્યમોના સંચાલક. તેમના પિતા સર ફ્રૅન્ક પૅકર તરફથી તેમને ઑસ્ટ્રેલિયન કૉન્સોલિડેટેડ પ્રેસ (ACP) જૂથ વારસામાં મળ્યું હતું. 1977-78 દરમિયાન તેમણે ‘વર્લ્ડ સીરિઝ ક્રિકેટ’નું નિર્માણ કર્યું અને તેમાં ‘નૉક-આઉટ’ ધોરણે રમાતી એક દિવસીય ક્રિકેટ મૅચ…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >