ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પુષ્કલાવતી
પુષ્કલાવતી : ગાંધાર દેશની પ્રાચીન રાજધાની. વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ ભરતના પુત્ર પુષ્કરે પોતાના નામ પરથી પુષ્કલાવતી કે પુષ્કરાવતી નામે નગર વસાવેલું. ગ્રીક વર્ણનોમાં એનો ‘પ્યૂકેલૉટિસ’ નામથી ઉલ્લેખ થયેલો છે. સિકંદરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે પુષ્કલાવતી એક સ્વતંત્ર રાજ્ય હતું અને તે કાબુલથી સિંધુ નદી સુધીના માર્ગ પર આવેલું હતું.…
વધુ વાંચો >પુષ્ટિમાર્ગ
પુષ્ટિમાર્ગ : ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા (ભાગવત પુરાણ 2-10-4). ભારતીય ભક્તિમાર્ગ-ભાગવતમાર્ગ (મુખ્ય નામ ‘પાંચરાત્ર સંપ્રદાય’ તેમ ‘સાત્વત સંપ્રદાય’) ઈ. સ. પૂ. એક હજાર વર્ષ ઉપર વૈદિક હિંસામય યજ્ઞોની સામે ઊભો થયો અને વિષ્ણુનારાયણ તેમજ…
વધુ વાંચો >પુષ્પગુપ્ત
પુષ્પગુપ્ત : ઈ. સ. પૂ. ચોથી સદીમાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ-શૈલલેખમાં ગિરિનગરના ‘સુદર્શન’ નામે જળાશયના સેતુ(બંધ)ના સમારકામની સમકાલીન ઘટના નિમિત્તે એ જળાશયના નિર્માણનો પૂર્વવૃત્તાંત પણ આપવામાં આવ્યો છે. એ અનુસાર આ જળાશયનું નિર્માણ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્તે કરાવ્યું હતું. પુષ્પગુપ્ત વૈશ્ય હતો ને સુરાષ્ટ્રના…
વધુ વાંચો >પુષ્પદંત
પુષ્પદંત : આશરે દસમા શતકમાં થઈ ગયેલા અપભ્રંશ ભાષાના મહાન જૈન કવિ. એમના પિતાનું નામ કેશવ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેઓ વિદર્ભ પ્રદેશના હતા. જન્મે કાશ્યપ ગોત્રના શૈવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી જૈન ધર્મના દિગંબર સંપ્રદાયની દીક્ષા લીધેલી. આથી તેમના પર બ્રાહ્મણ પરંપરાનાં સાંખ્ય, વેદાંત, મીમાંસા, બૌદ્ધ વગેરે દર્શનો…
વધુ વાંચો >પુષ્પદંત ગંધર્વ
પુષ્પદંત ગંધર્વ : ખૂબ જાણીતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ના લેખક. એ સ્તોત્રના અંતે આપેલી માહિતી મુજબ તેઓ દેવોના સંગીતકારો અર્થાત્ ગંધર્વોના રાજા હતા. તેઓ શિવના ભક્ત હતા. શિવનો ક્રોધ થતાં પુષ્પદંતનો ગંધર્વ તરીકેનો મહિમા ખતમ થવાથી શિવનો મહિમા ગાતું સ્તોત્ર તેમણે રચેલું. શિવનો રોષ પુષ્પદંત પર કયા કારણે થયો એ વિશે એવી…
વધુ વાંચો >પુષ્પબંધ
પુષ્પબંધ : દ્રવિડ શૈલીના સ્થાપત્યમાં સ્તંભશીર્ષના ભાગરૂપ રચના. તેને પુષ્પબોધિકા પણ કહેવામાં આવે છે. આ રચનાનો ઘાટ ખાસ પુષ્પમાળાના રૂપમાં થતો હોય છે. આ ભાગ ખાસ કરીને સ્તંભશીર્ષથી આગળ રખાય છે, જેથી તે લટકતો દેખાય અને ઊઘડતા ફૂલનો આભાસ આપે. બાંધકામની દૃષ્ટિએ તેનું સ્વરૂપ ભરણી જેવું લાગે. તે ઉપરના પાટડાને…
વધુ વાંચો >પુષ્પભૂતિ વંશ
પુષ્પભૂતિ વંશ : ઉત્તર ભારતનો છઠ્ઠી અને સાતમી સદી દરમિયાનનો રાજવંશ. પૂર્વ પંજાબમાં શ્રીકંઠ નામે દેશ હતો. એનું પાટનગર સ્થાણ્વીશ્વર (કે થાનેશ્વર – થાનેસર) સરસ્વતી નદીના તીરે આવ્યું હતું. ત્યાં પુષ્પભૂતિ રાજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું. એ વૈશ્ય હતો. શંકરનો ઉપાસક હતો. ભૈરવાચાર્ય નામે શૈવ આચાર્યની કૃપાથી મળેલ ‘અટ્ટહાસ’ નામે ખડ્ગ…
વધુ વાંચો >પુષ્પાસન
પુષ્પાસન : પુષ્પીય પ્રરોહ(florat shoot)નો અક્ષ. તે પુષ્પદંડ-(pedicel)નું સીધું વિસ્તરણ (prolongation) છે અને પુષ્પીય પત્રોના ચાર સેટ ધરાવે છે. સામાન્યત: તે સહેજ ફૂલેલી દડા જેવી રચના હોય છે; પરંતુ કેટલીક વાર તે લાંબું અને શંકુ આકારનું [દા. ત., લીલો ચંપો (Artabotrys odoratissima), પીળો ચંપો (Michelia champaka)] અથવા સપાટ ટોચવાળું વાદળી…
વધુ વાંચો >પુષ્યદેવ
પુષ્યદેવ : ઈ. સ.ની આઠમી સદીમાં સૈન્ધવ વંશનો ઘૂમલીનો રાજા. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આઠમી સદીમાં ‘સૈન્ધવ’ નામે રાજવંશ સ્થપાયો. એ વંશ પાંડવોના સમકાલીન સિંધુરાજ જયદ્રથમાંથી ઉત્પન્ન થયેલો મનાતો હતો. ઘૂમલીનાં દાનશાસનોમાં પૂર્વજોની વંશાવળી પુષ્યદેવ સુધી આપવામાં આવી છે. પુષ્યદેવ લગભગ ઈ. સ. 735થી 750માં રાજ્ય કરતો હતો. એ અહિવર્મા પહેલાના પુત્ર…
વધુ વાંચો >પુષ્યમિત્ર શૃંગ
પુષ્યમિત્ર શૃંગ : શૃંગ વંશનો સ્થાપક તથા છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ. વૈદિક સાહિત્યમાં શૂંગ આચાર્યોના ઉલ્લેખો મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ‘શૌંગીપુત્ર’નો શિક્ષક તરીકે ઉલ્લેખ છે. તે પતંજલિનો સમકાલીન હતો અને મહાભાષ્યમાં ‘અમે પુષ્યમિત્ર માટે યજ્ઞો કરીએ છીએ’ એવો ઉલ્લેખ છે. ‘યવનોએ સાકેત અને માધ્યમિકોને ઘેરો ઘાલ્યો હતો’ એવો…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >