ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits)

Jan 2, 1998

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits) : નદીની વહનક્રિયા દ્વારા સ્થાનાંતરિત થતો રહીને નદીપથનાં અનુકૂળ સ્થાનોમાં જમાવટ પામતો દ્રવ્યજથ્થો. નદીઓ દ્વારા થતી નિક્ષેપક્રિયા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર ગણાય છે : જળપ્રવાહથી ઉદ્ભવતી શક્તિ, નદીપટ અને પથમાં થતું રહેતું પરિવર્તન અને નદી-અવસ્થા. નદીના જળપ્રવાહની ગતિ અને જળજથ્થાનું પ્રમાણ ઘટી જાય તો વહનક્ષમતા…

વધુ વાંચો >

નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces)

Jan 2, 1998

નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces) : નદીજન્ય મેદાની પ્રકારનું ભૂમિસ્વરૂપ. નદીખીણની બાજુઓ પર જોવા મળતા મેદાની વિભાગોમાં સીડીનાં સોપાન જેવી, લાંબી છાજલી આકારની રચના બનતી હોય છે. તેમના ઢોળાવો નદીની વહનદિશા તરફ તેમજ નદીના પટ તરફ એમ બે બાજુના હોય છે, પરંતુ શિરોભાગ સપાટ હોય છે. નદી તરફની ધાર કરાડ…

વધુ વાંચો >

નન્નેચોડ

Jan 2, 1998

નન્નેચોડ (સમય : 1080થી 1125) : તેલુગુના વીરશૈવ સંપ્રદાયના પ્રથમ કવિ. એ ઓસ્યુરુના સૂર્યવંશી ક્ષત્રિય રાજા હતા. એમને એમની કવિપ્રતિભાને લીધે ‘કવિરાજશિખામણિ’ તથા વીરતાને લીધે ‘ટેંકણાદિત્યુડુ’ની ઉપાધિ મળી હતી. એ સંસ્કૃતના પંડિત હતા. તેઓ એવા કવિ હતા કે તેમની કવિતામાં તેમણે કન્નડ અને તમિળ ભાષાના શબ્દો પ્રયોજ્યા હતા. એમણે શૈવમતના…

વધુ વાંચો >

નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન

Jan 2, 1998

નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન (જ. 25 જૂન 1864, બ્રિસેન, જર્મની; અ. 18 નવેમ્બર 1941, મસ્કાઉ, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક વૈજ્ઞાનિક. સનદી અધિકારીના પુત્ર. ઝુરિક, ગ્રાઝ (ઑસ્ટ્રિયા), વુર્ઝબર્ગ અને બર્લિન ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1887માં તેઓ ઓસ્વાલ્ડના સહાયક તરીકે જોડાયા. 1895માં ગોટિન્જન અને 1905માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણના…

વધુ વાંચો >

નપુંસકતા (impotence)

Jan 2, 1998

નપુંસકતા (impotence) : જાતીય સમાગમ પરિપૂર્ણ કરવા માટે શિશ્નનું ઉત્થાન કરવાની કે જાળવી રાખવાની ક્ષમતા ન હોવી તે. આ પ્રકારની ફરિયાદ ઘણી વ્યાપક છે અને કોઈ રોગવાળી પુખ્ત વ્યક્તિઓના 10 % થી 35 % વ્યક્તિઓ તથા ઉંમર વધતાં, તેથી પણ વધુ સંખ્યામાં વ્યક્તિઓ આ તકલીફથી પીડાય છે. પુરુષોની ઇન્દ્રિય જાતીય…

વધુ વાંચો >

નફો

Jan 2, 1998

નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…

વધુ વાંચો >

નભોમંડળનો નકશો

Jan 2, 1998

નભોમંડળનો નકશો : જુઓ, ખગોળશાસ્ત્ર.

વધુ વાંચો >

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass)

Jan 2, 1998

નમનદર્શક (clinometer) નમનદર્શક હોકાયંત્ર (clinometer compass) : કોઈ પણ પ્રકારના ભૂસ્તરીય ક્ષેત્રકાર્યમાં સ્તરનમન (નમનકોણ–નમનદિશા) દિશાકોણ અને દિશામાપન માટે ઉપયોગમાં લેવાતું સાધન. ઊંચાઈ માપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સાદા ઘડિયાળની જેમ જ ચપટા, ગોળાકાર આ સાધનમાં રેખાંકિત ચંદો (dial) જડેલો હોય છે. તેની બાહ્ય કિનારી 0°થી 360° સુધી…

વધુ વાંચો >

નમન, નમનકોણ (dip), નમનદિશા

Jan 2, 1998

નમન, નમનકોણ (dip), નમનદિશા : શૈલ સ્તરનો ક્ષૈતિજ સમતલ અધિકતમ ઢોળાવ, તેનો કોણ અને તેની દિશા. લગભગ બધા જ જળકૃત ખડકો અનુકૂળ સંજોગો હેઠળ ક્ષિતિજસમાંતર સ્થિતિમાં એક પછી એક કણજમાવટ પામીને પ્રત્યેક સ્તર અલગ પાડી શકાય એવા શ્રેણીબદ્ધ સ્તરસમૂહ રૂપે તૈયાર થતા હોય છે. પ્રત્યેક સ્તર તેના રંગ, ખનિજબંધારણ અને…

વધુ વાંચો >

નમિનાથ

Jan 2, 1998

નમિનાથ : જૈન ધર્મના એકવીસમા તીર્થંકર. અનુશ્રુતિ અનુસાર પૂર્વજન્મમાં તેઓ કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થ હતા. તેમણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લઈને કઠોર તપ કર્યું અને તીર્થંકર બન્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એ ચાર તીર્થો તેમણે સ્થાપ્યાં તેથી તેઓ તીર્થંકર કહેવાયા. સમાધિપૂર્વક દેહત્યાગ કરી અપરાજિત નામના સ્વર્ગમાં દેવ તરીકે…

વધુ વાંચો >