ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal)

Jan 15, 1998

નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal) : કોલસામાંના કાર્બન અને બાષ્પશીલ દ્રવ્યોની માત્રા મુજબ કરેલા વર્ગીકરણ પૈકી બિટૂમિનસ કોલસાનો એક પેટાપ્રકાર, જે લિગ્નાઇટ અને બિટૂમિનસ પ્રકારોની વચગાળાની કક્ષામાં મુકાય છે (જુઓ : કોલસો). તેમાં કાર્બનનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ કરતાં વધુ પણ બિટૂમિનસ, નિમ્ન-ઍન્થ્રેસાઇટ તથા ઍન્થ્રેસાઇટ કરતાં ઓછું હોય છે; જ્યારે બાષ્પશીલ…

વધુ વાંચો >

નિમ્નસ્તરીય વાયુ (degenerate gas)

Jan 15, 1998

નિમ્નસ્તરીય વાયુ (degenerate gas) : ફર્મિ-ઊર્જા કરતાં ઓછી ઊર્જાવાળા નીચેના સ્તરમાં કણોનું સંકેન્દ્રણ (concentration) થઈ સંપૂર્ણ ભરાઈ ગયા હોય તેવી અવપરમાણ્વીય (subatomic) વાયુપ્રણાલી, તેને અપભ્રષ્ટ (degenerate) વાયુ પણ કહે છે. એક જ ઊર્જાસ્તરને અનુરૂપ એક કરતાં વધુ ક્વૉન્ટમ સ્થિતિઓ હોય તેને અપભ્રષ્ટતા કહે છે, અને તેવી પ્રણાલીને અપભ્રષ્ટતા પ્રણાલી કહે…

વધુ વાંચો >

નિમ્ફેયમ

Jan 15, 1998

નિમ્ફેયમ : પ્રાચીન રોમન સ્થાપત્યમાં ફૂલઝાડ, ફુવારા તથા હોજના સમાવેશ માટે બનાવાતી ખાસ ઇમારત. તેને વિવિધ મૂર્તિઓ તથા કોતરણી વડે અલંકૃત કરાતી. ‘નિમ્ફેયમ’ શબ્દ ‘નિમ્ફ’ પરથી આવેલો છે, તે શબ્દ અપ્સરા, વનદેવતા કે વિદ્યાધર જેવી અર્ધદૈવી શક્તિઓ માટે વપરાય છે. તેમને માટે બનાવેલી ઇમારત તે નિમ્ફેયમ. રોમના લિસિયનિયનના બગીચાનું નિમ્ફેયમ…

વધુ વાંચો >

નિમ્બાર્કાચાર્ય

Jan 15, 1998

નિમ્બાર્કાચાર્ય (આશરે ચૌદમી સદી) : વેદાન્તના એક જાણીતા સંપ્રદાયના સ્થાપક. નિંબાર્ક, નિંબાદિત્ય કે નિયમાનંદ તૈલંગ બ્રાહ્મણ હતા. તેઓ સંભવત: ચેન્નાઈ ઇલાકાના નિંબ કે નિંબપુર ગામના વતની હતા. ‘દશશ્લોકી’ પરની હરિવ્યાસદેવની ટીકા પરથી જ્ઞાત થાય છે કે તેમના પિતાનું નામ જગન્નાથ હતું અને માતાનું સરસ્વતી. પણ નિમ્બાર્કાચાર્યના સમય અંગે મતભેદ છે…

વધુ વાંચો >

નિયતિવાદ (ભારતીય)

Jan 15, 1998

નિયતિવાદ (ભારતીય) : બધું જ પહેલેથી નિશ્ચિત થયેલું છે એવો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કે પદાર્થની બધી જ અવસ્થાઓ પહેલેથી જ નિયત થયેલી છે, તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. અમુક માણસ શું શું કરવાનો છે, તેની શી શી દશાઓ થવાની છે, તે સુખ ભોગવવાનો છે કે દુ:ખ, તેના એક પછી…

વધુ વાંચો >

નિયમન (control)

Jan 15, 1998

નિયમન (control) : વિશિષ્ટ કાર્ય અથવા ઉદ્દેશ અસરકારક રીતે દક્ષતાપૂર્વક પાર પાડવાની ખાતરી આપતી સભાન, આયોજિત, સંકલિત અને સંમિલિત પ્રક્રિયા. ધંધાકીય એકમોનાં વિશાળ કદ, અન્ય ઉત્પાદકો તરફથી હરીફાઈ, સરકારી દરમિયાનગીરી, સામાજિક વિચારસરણીમાં પરિવર્તન, પર્યાવરણના ફેરફારો વગેરે પરિબળોએ નિયમનપ્રક્રિયાની જરૂરિયાત ઊભી કરી છે. ઉત્પાદનપ્રવૃત્તિ, નાણાકીય સંચાલન અને કર્મચારીવિષયક નિર્ણયો નિયમન વગર…

વધુ વાંચો >

નિયમનવ્યાપ (span of control)

Jan 15, 1998

નિયમનવ્યાપ (span of control) : ધંધાકીય એકમમાં કર્મચારીઓ, સાધનો, પદ્ધતિઓ અને કાર્યપરિણામો ઉપર અસરકારક નિયમન રાખવા માટે નિશ્ચિત કરેલા માળખાનું કાર્યક્ષેત્ર. ધંધાકીય એકમમાં ઉત્પાદનનું કાર્યદક્ષ આયોજન કરવું હોય તો (1) કર્મચારીઓની સંખ્યા અને લાયકાત, (2) સાધનોની ઉત્પાદકતા અને ઉપયોગિતા, (3) પદ્ધતિઓ અને કાર્યવિધિઓની અસરકારકતા, તથા (4) વાસ્તવિક કાર્યપરિણામોની ગુણવત્તા અંગે…

વધુ વાંચો >

નિયંત્રક અને નિયંત્રિત કંપની

Jan 15, 1998

નિયંત્રક અને નિયંત્રિત કંપની : અન્ય કંપની પર અંકુશ ધરાવતી  અને અન્ય કંપનીના અંકુશ નીચે રહેતી કંપની. અન્ય કંપનીની શૅરમૂડીના 50 % કરતાં વધારે હિસ્સાની માલિકી ધરાવતી હોય, અન્ય કંપનીમાં 50 % કરતાં વધારે મતાધિકાર ધરાવતી હોય, અથવા અન્ય કંપનીના સ્થાપનાપત્ર (memorandum of association) અને સ્થાપનાનિયમો(articles of association)ના આધારે તે…

વધુ વાંચો >

નિયોગ

Jan 15, 1998

નિયોગ : ભારતીય પરંપરા મુજબ સંતાન વગરની વિધવા દિયર કે નજીકના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોક્ત રીતે સંબંધ બાંધે તે, દેરવટું, અર્થાત્ વિધવા સ્ત્રીને તેના દિયર સાથે ઘર મંડાવીને જોડવી તે. નિયોગના રિવાજ વિશે ઐતિહાસિક હકીકત પૂર્વ અને પશ્ચિમના સામાજિક ઇતિહાસ દ્વારા વિસ્તારપૂર્વક કહેવાયેલી છે અને તે છેક આજે ભરવાડોમાં…

વધુ વાંચો >

નિયોડિમિયમ

Jan 15, 1998

નિયોડિમિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉ IIIA) સમૂહમાં આવેલ લૅન્થેનાઈડ શ્રેણીમાંનું દુર્લભ મૃદાધાતુતત્વ. સંજ્ઞા Nd, પરમાણુક્રમાંક 60 તથા પરમાણુભાર 144.24. સામાન્ય રીતે તેને મોનેઝાઇટ, બેસ્ટ્નેસાઇટ, એલેનાઇટ જેવાં ખનિજોમાંથી મેળવવામાં આવે છે. ખનિજોનું ભંજન કરવા સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરવામાં આવે છે. 1885માં વેલ્સબાખે આ તત્વ શોધેલું. તેણે કહેવાતા ડિડિમિયમ(didymium) તત્વ(ખરેખર…

વધુ વાંચો >