ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >પરજીવી (parasite)
પરજીવી (parasite) : સ્વતંત્ર રીતે જીવી ન શકે અને તે માટે બીજાં સજીવો પર આધાર રાખવો પડે તેવાં પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિના સભ્યો. મોટાભાગની વનસ્પતિ સ્વતંત્ર રીતે જીવવાની ક્ષમતા ધરાવે છે. પરજીવી જીવન મુખ્યત્વે પ્રાણીસૃષ્ટિમાં જોવા મળે છે. પરજીવીપણું ક્ષણિક હોય કે કાયમી અને વ્યાપક (extensive) યા સઘન (intensive). મોટાભાગના પરજીવીઓ…
વધુ વાંચો >પરથુ
પરથુ : કંપની જેવા ધંધાકીય એકમની કામગીરી, કાર્યક્ષમતા અને નફાકારકતા જાણવા માટે તૈયાર કરવામાં આવતું કાચું દૈનિક અથવા રોજિંદું સરવૈયું. કંપની અથવા ધંધાકીય એકમ પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તથા ચોક્કસ સમય દરમિયાન ધંધામાંથી કેટલો નફો કે નુકસાન થયાં તેની વિગતો ધંધાકીય એકમનું સરવૈયું અને નફાનુકસાન ખાતું…
વધુ વાંચો >પરપીડન
પરપીડન : મર્યાદિત અર્થમાં ‘પરપીડન’ (sadism) શબ્દ વિકૃત કે વિચલિત જાતીય મનોવૃત્તિ તથા વર્તનના સંદર્ભમાં વપરાય છે. આ અર્થમાં પરપીડન એટલે વ્યક્તિનું એવું મનો-ભૌતિક વર્તન જેના દ્વારા તે અન્ય વ્યક્તિને પીડા આપીને જાતીય આનંદ કે સંતોષ મેળવે છે. આવું વર્તન નર-નારી વચ્ચે કે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે…
વધુ વાંચો >પરબ
પરબ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સપ્ટેમ્બર, 1960માં તેનો ત્રૈમાસિક તરીકે આરંભ. ‘પરબ’નો પ્રથમ અંક ‘કુમાર’ પ્રિન્ટરીમાં છપાયો હતો. પ્રારંભમાં તેના ચાર સંપાદકો હતા. સર્વશ્રી નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા તથા યશવંત શુક્લ. કાકાસાહેબ કાલેલકરે ‘પરબ’ને આવકારતાં તેના પ્રથમ અંકમાં બહુ સચોટ રીતે લખ્યું હતું કે ‘ગુજરાતી ભાષાના આરોગ્ય,…
વધુ વાંચો >પરભણી
પરભણી : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓમાંનો આ એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 19 30´ ઉ. અ. અને 76 45´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે હિંગોલી અને બુલધાના જિલ્લા, પૂર્વે નાંદેડ અને હિંગોલી જિલ્લા, દક્ષિણે લાતૂર અને પશ્ચિમે બીડ અને જાલના જિલ્લા…
વધુ વાંચો >પરમદ
પરમદ : ‘પરમદ’ એટલે પરમ મદ કે ઘેન. નીતિનિયમનું પાલન કરી, ઔષધ રૂપે પ્રમાણસર લેવાયેલ મદ્ય એક ઔષધ છે; પરંતુ નિયમબહાર, પ્રમાણબહાર વ્યસન રૂપે મદ્ય લેવાતાં તે શરીરમાં અનેક ભયાનક રોગો પેદા કરે છે અને તેથી અચાનક અકાળે મૃત્યુ પણ થાય છે. આયુર્વેદમાં વધુ પડતા મદ્યપાનથી ઉત્પન્ન થતાં દર્દોને ‘મદાત્યય’…
વધુ વાંચો >પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ)
પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ) (ઈ. સ.ની દસમી સદી) : અપભ્રંશ ભાષામાં જૈન અધ્યાત્મવિચાર વ્યક્ત કરતી જોઇન્દુ(યોગીન્દુ)ની સબળ કૃતિ. કૃતિમાંથી કર્તા વિશે વિશેષ માહિતી મળતી નથી. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી. ડૉ. એ. એન. ઉપાધ્યે તેમનો સમય ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી માને છે તો રાહુલ સાંકૃત્યાયન દસમી શતાબ્દી. દેવનાગરી અને કન્નડ લિપિમાં…
વધુ વાંચો >પરમર્દિદેવ
પરમર્દિદેવ (ઈ. સ.ની 12મી સદી) : બુંદેલખંડના ચંદેલ વંશનો પ્રતાપી રાજા. ઉત્તર-ભારતના પ્રખ્યાત રજપૂત શાસક વંશોમાં બુંદેલખંડના ચંદેલોનું આધિપત્ય હાલના મધ્યપ્રદેશ ઉપર હતું. ચંદેલ વંશનો નોંધપાત્ર રાજા પરમર્દિદેવ કે પરમાલ (ઈ. સ. 1165-1201) મદનવર્માનો પૌત્ર હતો. શરૂઆતના સમયની તેની લશ્કરી પ્રવૃત્તિઓ ઘણી સફળ હતી. તેણે ઈ. સ. 1173 પછી ચૌલુક્યો…
વધુ વાંચો >પરમર્દી
પરમર્દી (ઈ. સ.ની 12મી સદી) : કલ્યાણીના ચાલુક્ય વંશનો પરાક્રમી રાજા. ગુજરાતના સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094-1142)ના સમયમાં કલ્યાણીના ચાલુક્ય વંશમાં વિક્રમાદિત્ય છઠ્ઠો રાજ્ય કરતો હતો. એ ઘણો પરાક્રમી હતો અને પરમર્દી તરીકે જાણીતો હતો. એણે સિદ્ધરાજના દરબારમાં પોતાનો રાજદૂત પણ મોકલ્યો હતો. સિદ્ધરાજ જયસિંહે પરમર્દીનું…
વધુ વાંચો >પરમ-શૂન્યાંક ઊર્જા (zero point energy)
પરમ–શૂન્યાંક ઊર્જા (zero point energy) : જે કમ્પન-ઊર્જા (vibrational energy) પદાર્થના અણુઓ, નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ જાળવી રાખે છે તે ઊર્જા. ભૌતિકશાસ્ત્રમાં, તાપમાનને પદાર્થના અણુઓની યાદૃચ્છિક ગતિ(random motion)ની તીવ્રતાની માત્રા તરીકે લેવામાં આવે છે. તેથી જો તાપમાનમાં ઘટાડો કરીને નિરપેક્ષ શૂન્ય કરવામાં આવે ત્યારે બધી જ ગતિ બંધ પડી જઈ,…
વધુ વાંચો >