ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નારાયણશતકમ્
નારાયણશતકમ્ (પંદરમી શતાબ્દી) : તેલુગુ કાવ્ય. મધ્યયુગમાં પૌરાણિક કથાઓને તેલુગુમાં કાવ્યદેહ આપનાર કવિ પોતના બમ્મેર પ્રારંભમાં શિવભક્ત હતા. એમણે શિવભક્તિનાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે. પાછળથી એ વિષ્ણુભક્ત બન્યા. એમનો વ્યવસાય ખેતીનો હતો. એમનું પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પ્રશસ્ય હતું. એમણે શ્રીમદભાગવતને આધારે વિષ્ણુના અવતારો વિશે આ મુક્તકો રચ્યાં છે. એમાં મત્સ્ય,…
વધુ વાંચો >નારાયણ, શ્યામ
નારાયણ, શ્યામ (જ. 25 જુલાઈ 1922, ખાહિ કાસિમ, સિંધ; અ. 10 જાન્યુઆરી 1989, દિલ્હી) : સિંધી કવિ. તેમનું મૂળ નામ નારાયણ ગોકળદાસ નાગબાણી હતું, પણ નારાયણ તરીકે તે જાણીતા છે. 18 વરસની ઉંમરે કાવ્ય રચવાની પ્રેરણા થઈ હતી. 1970માં તેમને ‘વારીખ ભર્યો પલાંદ’ (1968) કાવ્યસંગ્રહ માટે સાહિત્ય એકૅડેમીનું પારિતોષિક મળ્યું…
વધુ વાંચો >નારાયણ સરોવર
નારાયણ સરોવર : કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પશ્ચિમ છેડે કોરી ખાડી પર આવેલું સરોવર તેમજ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 35’ ઉ. અ. અને 68° 30’ પૂ. રે.. આ સ્થળ કચ્છના રણની પશ્ચિમ ધાર પર આવેલું હોવાથી તેની આજુબાજુનો પ્રદેશ શુષ્ક, વેરાન અને તદ્દન આછી વનસ્પતિ ધરાવે છે.…
વધુ વાંચો >નારાયણ હેમચંદ્ર
નારાયણ હેમચંદ્ર (જ. 1855, મુંબઈ; અ. 1909, મુંબઈ) : અલગારી સ્વભાવના ગુજરાતી લેખક, અનુવાદક. પ્રકૃતિએ ‘વિચિત્ર પુરુષ’. અમેરિકામાં ‘અસભ્ય પહેરવેશ’ બદલ તેમની ધરપકડ થયેલી. કરસનદાસ મૂળજીનો દેશાટન વિશેનો નિબંધ વાંચી તેમનામાં વાચન-ભ્રમણની ભૂખ ઊઘડી. તેઓ પ્રવાસશોખીન અને જ્ઞાનપિપાસુ હતા. ‘સુબોધપત્રિકા’માં અને ‘જગદારશી’ના નામથી ‘નૂરે આલમ’માં લખતા. દયાનંદ સરસ્વતી જેવા ધર્મસુધારકો…
વધુ વાંચો >નારિયેળી
નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી.…
વધુ વાંચો >નારીનરકેશિતા (hirsutism)
નારીનરકેશિતા (hirsutism) : સ્ત્રીના શરીર પર પુરુષોની માફક વ્યાપક વિસ્તારમાં અને વધુ પ્રમાણમાં ઊગતા વાળવાળો વિકાર. વ્યક્તિના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે : રુવાંટી અથવા રોમ (vellus) અને પુખ્ત કેશ (terminal hair). રોમ ઝીણું અને રંગ વગરનું હોય છે અને તે બાળકોમાં જોવા મળે છે. કેશ જાડા (coarser)…
વધુ વાંચો >નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones)
નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones) : સ્ત્રીઓના લૈંગિક વિકાસ, જાળવણી અને નિયંત્રણ માટે કાર્યરત અંત:સ્રાવો. સ્ત્રીઓના અંડપિંડમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન જૂથના અંત:સ્રાવોનું નિયંત્રિત અને ચક્રીય (cyclic) રીતે ઉત્પાદન થાય છે. ઇસ્ટ્રોજન જૂથનો પ્રમુખ અંત:સ્રાવ ઇસ્ટ્રેડિઓલ છે અને પ્રમુખ પ્રોજેસ્ટિનને પ્રોજેસ્ટિરોન કહે છે. સગર્ભાવસ્થા સમયે નિતંબના હાડકાંના સાંધા ઢીલા કરવા માટે…
વધુ વાંચો >નારીવાદી આંદોલનો
નારીવાદી આંદોલનો : સ્ત્રી-પુરુષ વચ્ચેની સામાજિક અસમાનતાઓ નાબૂદ કરવા માટેના વૈચારિક, સંગઠનાત્મક અને કાનૂની પ્રયાસો. માનવસમાજમાં અનેક પ્રકારનાં ભેદ અને અસમાનતા જોવા મળે છે. વર્ગભેદ, જ્ઞાતિભેદ, રંગભેદ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની અસમાનતાઓ ઉપરાંત સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા અંગે માહિતી અને જાગૃતિ વીસમી શતાબ્દીમાં ધ્યાનાકર્ષક બની…
વધુ વાંચો >નાર્થેક્સ
નાર્થેક્સ : ચર્ચની આગળની લાંબી સાંકડી પરસાળ. તેની રચના સ્તંભો વડે કરાતી. તેનો ઉપયોગ પ્રવેશમંડપ તરીકે પણ થતો. પહેલાંના સમયમાં શિક્ષાર્થી તથા પ્રાયશ્ચિત્ત કરવા આવનારને ત્યાં સુધી જ પ્રવેશ અપાતો. ચર્ચની અંદર જવાની તેમને મનાઈ હતી. ઘણી વાર નાર્થેક્સની સાથે એક અલિંદ પણ બનાવાતો. તેવા સંજોગોમાં નાર્થેક્સ, એક્સો-નાર્થેક્સ તરીકે ઓળખાતી.…
વધુ વાંચો >નાલગોંડા
નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17 ઉ. અ. અને 79 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની પૂર્વે સૂર્યાપેટ, અગ્નિએ આંધ્રપ્રદેશ રાજ્ય, દક્ષિણે નાગરકૂર્નુલ, પશ્ચિમે રંગારેડ્ડી અને વાયવ્યે યાદારીભુવનગિરિ જિલ્લા સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાની દક્ષિણે વહેતી નદીઓમાં કૃષ્ણા નદી અને પૂર્વે સૂર્યાપેટ…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >