ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
પર્સેલ, ઍડવર્ડ મિલ્સ
પર્સેલ, ઍડવર્ડ મિલ્સ (જન્મ : 30 ઑગસ્ટ 1912 ટેલરવિલ, ઇલિનૉઇસ; અ. 7 માર્ચ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.) : પ્રસિદ્ધ અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પરમાણ્વીય નાભિઓ તથા અણુઓની, ન્યૂક્લિયર ચુંબકીય ચાકમાત્રાના માપનમાં ઉપયોગી, પ્રવાહી તથા ઘન પદાર્થમાં ઉદ્ભવતી ‘ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ’ (NMR) ઘટનાની તેમની સ્વતંત્ર શોધ માટે, યુ.એસ.ના ફેલિક્સ બ્લૉકની સાથે , ઈ.…
વધુ વાંચો >પલક માઇક્રોસ્કોપ (Blink microscope)
પલક માઇક્રોસ્કોપ (Blink microscope) : આકાશના કોઈ એક ભાગની જુદા જુદા સમયે લેવાયેલી બે છબીઓની તુલના કરીને તેમાં થતા ફેરફારોને શોધી કાઢવા માટે વપરાતું ઉપકરણ. આ ઉપકરણને પલક તુલનામાપક (Blink comparator) પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ બંને ફોટોગ્રાફિક પ્લેટને એકસાથે એક જ નેત્ર-કાચ (eye-piece) દ્વારા જોઈ શકાય છે. બંને…
વધુ વાંચો >પલટૂદાસી પંથ
પલટૂદાસી પંથ : ઉત્તર પ્રદેશનો નિર્ગુણ બ્રહ્મને માનનારા લોકોનો પંથ. ઈ. સ.ની અઢારમી સદીમાં અયોધ્યામાં મહાત્મા પલટૂદાસે આ પંથની સ્થાપના કરી હતી. પલટૂદાસ અવધના નવાબ શુજાઉદ્દૌલાના સમકાલીન હતા. પલટૂદાસની વિચારધારા પર સૂફી મતનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે હિંદુ અને મુસલમાન વચ્ચે કોઈ ભેદરેખા દોરી નહોતી. તેમના સ્વતંત્ર વિચારોને…
વધુ વાંચો >પલ પલ જો પલૉઉ (1977)
પલ પલ જો પલૉઉ (1977) : સિંધી કવિ હરિ દરિયાણી ‘દિલગીર’- રચિત કાવ્યસંગ્રહ. 1979માં તેને કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. કવિએ પારંપરિક સિંધી કવિતા અને લલિતપદ, દોહા, રુબાઈઓ, ગઝલો ઉપરાંત અછાંદસ કવિતાના પ્રયોગો કરેલ છે. કવિના કથનાનુસાર અસ્તિત્વવાદના પાયે રચાયેલ નવી અછાંદસ નિરાશાવાદી કવિતાના સ્થાને તેમણે આશાવાદી અછાંદસ રચનાઓનો…
વધુ વાંચો >પલાડ, જ્યૉર્જ ઇ.
પલાડ, જ્યૉર્જ ઇ. (જ. 19 નવેમ્બર 1912, જેસ્સી, રુમાનિયા; અ. 7 ઑક્ટોબર 2008, ડેલ માર, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : 1974ના શરીરક્રિયાવિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પુસ્કારના આલ્બર્ટ ક્લૉડ અને ક્રિશ્ચિયન રેની ડે ડુવેના સહવિજેતા. તેમણે કોષની સંરચના અને કાર્ય અંગેનું શોધોદ્ઘાટન (discovery) કર્યું છે. 1940માં પલાડી બુખારેસ્ટ(રુમાનિયા)માં તબીબી વિદ્યાના સ્નાતક બન્યા…
વધુ વાંચો >પલામુ (પાલામાઉ)
પલામુ (પાલામાઉ) : ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 23° 20´ થી 24° 36´ ઉ. અ. અને 83° 20´થી 84° 58´ પૂ. રે. વચ્ચે તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યની સીમા, પૂર્વે ચત્રા, અગ્નિમાં રાંચી, દક્ષિણે લોહરણા અને ગુમલા, નૈર્ઋત્યે છતીસગઢ રાજ્યની સીમા, જ્યારે પશ્ચિમે ગરવા…
વધુ વાંચો >પલાશ
પલાશ : જુઓ, ખાખરો
વધુ વાંચો >પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ
પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ (જ. 18 મે 1921, કુરૂન્દવાડ; અ. 26 ઑક્ટોબર 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અદ્વિતીય ગાયક. ગાયનાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરનાં બાર સંતાનોમાંના એકમાત્ર પુત્ર અને છેલ્લું સંતાન હતા. 10 વર્ષની ઉંમર સુધી તેઓ નાસિકમાં રહ્યા. દત્તાત્રેયને સામે બેસાડીને પિતા સંગીતની નાનીમોટી ચીજો તેમને શિખવાડતા હતા. 1931માં…
વધુ વાંચો >પલુસ્કર, વિષ્ણુ દિગંબર
પલુસ્કર, વિષ્ણુ દિગંબર (જ. 18 ઑગસ્ટ 1872, બેળગાંવ; અ. 21 ઑગસ્ટ 1931) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતના પ્રચારમાં અર્પણ કર્યું હતું. પિતાનું નામ દિગંબર ગોપાલ અને માતાનું નામ ગંગાદેવી. પિતા સારા કીર્તનકાર હતા. નાનપણમાં દીપાવલીમાં ફટાકડાથી વિષ્ણુની આંખો પર અસર થઈ અને ઝાંખું…
વધુ વાંચો >પલ્લવ (1928)
પલ્લવ (1928) : હિંદીના છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતનાં કાવ્યોનો સંગ્રહ. તેમાં કવિનાં 1918થી 1925 દરમિયાન રચાયેલાં 32 કાવ્યોનો સમાવેશ છે. તેમાં ભાષા, છંદ અને ભાવ વચ્ચેની સમરસતા સાથે તેને અનુરૂપ માધુર્ય અને કલ્પના જોવા મળે છે. કવિની સહજસિદ્ધ સર્જકતા ને કલાત્મકતા અહીં અનુભવાય છે. ભાવ તથા શૈલીની દૃષ્ટિએ આ કાવ્યસંગ્રહની…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >